આયુર્વેદ પ્રમાણે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશો બીમાર

આયુર્વેદ પ્રમાણે સીઝન પ્રમાણે ખાવા-પીવા પર રાખવું જોઈએ. પરંતુ આજની જનરેશનની સૌથી મોટી તકલીફ એ છે કે આપણને ખબર નથી કે કયા ફૂડની તાસીર કેવી છે એટલે કે કયા ફૂડની તાસીર ઠંડી છે અને કયા ફૂડની તાસીર ગરમ. અમે આજે તમને દાળની તાસીર વિશે જણાવીશું.

ફેબ્રુઆરી-માર્ચમાં ન ઠંડી ન ગરમી
આયુર્વેદાચાર્ય સુરેન્દ્ર સિંહનું કહેવું છે કે, ફેબ્રુઆરી અને માર્ચ એવો મહિનો છે જ્યારે ન વધારે ઠંડી પડે છે કે ન વધારે ગરમી. આ સીઝનમાં ખાસ ખાવા-પીવાનું ધ્યાન રાખવું જોઈએ.

કઈ દાળ ખાવી સારી રહેશે?
આયુર્વેદ પ્રમાણે, આ સીઝનમાં મિક્સ દાળ ખાવી જોઈએ. જેમ કે તમે અડદની દાળમાં મસૂરની દાળ મિક્સ કરીને ખાશો તો બદલાતી સીઝનમાં બીમારીથોથી બચી શકશો.

મગ અને મસૂરની દાળ
મગની દાળની તાસીર ગરમ હોય છે અને મસૂર દાળ ઠંડી હોયછે. તેવામાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આ બંને દાળને બરાબર માત્રામાં મિક્સ કરીને ખાવી જોઈએ. જેનાથી શરીરને સીઝન પ્રમાણે તાપમાન કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે.

પેટ રહે સાફ
મગ દાળની અસર મોટા આંતરડા પર થાય છે. આ પેટને ગરમીના કારણે થનારા રોગોમાં ફાયદાકારક છે. ઠંડીની સીઝનમાં ગરમ તાસીરવાળી વસ્તુઓ વધારે ખાશો તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ દાળ ખાવાથી પાચન તંત્ર ઠીક કરે છે. પેટને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

સ્કિન અને વાળની ડ્રાયનેસને રોકે
મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી શરીરમાં વધતી ડ્રાયનેસને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ઠંડીની સીઝન જ્યારે જવામાં હોય ત્યારે ઠંડા પવન વધારે હોય છે. જેના કારણે વાળમાં ડ્રાયનેસ વધી જાય છે. જો તમે નિયમિત રીતે મગ અને મસૂરની દાળને બરાબર માત્રામાં લઈને બનાવીને ખાશો તો આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

આ વાત રાખો યાદ
કેટલાક લોકોને તે વાત જાણીને નવાઈ લાગે છે કે ફોતરાવાળી મસૂરની તાસીર ઠંડી હોય છે પરંતુ તેની દાળની તાસીર ગરમ હોય છે. જ્યારે મગની તાસીર ગરમ હોય છે જ્યારે ફોતરાવાળી મગની દાળની તાસીર ઠંડી હોય છે.

ચણાની દાળ
ચણા અને ચણાની દાળને ગમે તે સીઝનમાં ખાઈ શકો છો. બસ તેને રાત્રે ખાવાથી બચવું

આ દાળની તાસીર હોય છે ઠંડી
– અડદની દાળ
– ફોતરાવાળી મગની દાળ
– અડદની ફોતરાવગરની દાળ
– રાજમા

ગરમ તાસીરવાળી દાળ
– અડદની ફોતરાવાળી દાળ
– આખા મગ

એક્સપર્ટઃ આ આર્ટિકલ આયુર્વેદાચાર્ય, સુરેન્દ્ર સિંહ રાજપૂતની વાતચીત પર આધારિત છે. તેઓ બીએએમએસ અને પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છે. છેલ્લા 40 વર્ષથી આયુર્વેદિક પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

આટલું ખાશો તો પણ વાળ ઝડપથી વધવા લાગશે 



source https://www.iamgujarat.com/health-news/ayurveda-says-these-pulses-should-not-be-eaten-in-february-march-526839/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?