Posts

Showing posts from May, 2020

કોરોના વાયરસ છે કે સામાન્ય તાવ? ડૉક્ટરની મદદ વિના આ રીતે જાણો

Image
સામાન્ય તાવ કે કોરોના? ઘરે બેઠાં આ રીતે જાણો તાળ-કળતર, કફ, શરદી થલી – આ તમામ સામાન્ય તાવ, ફ્લૂ, ઋતુ અનુસાર એજર્લી અને કોરોના વાયરસ તમામના લક્ષણ એક જેવા જ હોય છે. જ્યારે મોટાભાગના લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે, આખરે એ કેવી રીતે જાણી શકાય કે, પોતાને સામાન્ય તાવ છે કે કોરોના વાયરસ? આને સમજવા માટે તમારે આ તમામના લક્ષણોની વચ્ચેના અંતરને સમજવું પડશે. તમે ઘરે બેઠાં જ લક્ષણોના આધારે જાણી શકો છો કે, તમને કોરોનાના લક્ષણ છે કે પછી તે સામાન્ય ફ્લૂ છે. કોરોના વાયરસ અથવા કોવિડ-19 કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે. તેના લક્ષણ ખૂબ જ સામાન્ય છે. તેમાં રોગીને સામાન્ય તાવ આવે છે. જોકે, કોવિડ-19માં રોગી ખૂબ જ બીમાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે – હ્રદય રોગ, ફેફસાંના રોગ, ડાયાબિટિસ જેવી બીમારીઓથી પીડિત ઉંમરલાયક અથવા કોઈપણ ઉંમરના લોકોને આનાથી વધુ ખતરો છે. કોરોનાની અત્યારે કોઈ જ સારવાર કે રસી નથી. આ છે Covid-19ના લક્ષણ તાવ અથવા ઠંડી સાથે તાવ આવવો સૂકો કફ શ્વાસ લેવામાં તકલીફ થાક માથાનો કે શરીરનો દુ:ખાવો ગળામાં ખરાશ નાક વહેવું, સાઈનસ કન્જેશન અને શ્વાસ લેવામાં તકલીફ કોવિડ-19ના સામાન્...

લોકડાઉનમાં મોબાઈલનો વધારે ઉપયોગ કરી રહ્યા છે બાળકો, માતા-પિતાએ આટલું ધ્યાન રાખવું

Image
મોબાઈલનો વધારે ઉપયોગ કરી રહ્યા છે બાળકો લોકડાઉનમાં માતા-પિતા ઘરેથી કામ કરવામાં અને ઘરનું કામ કરવામા બિઝી છે, ત્યારે બાળકો મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. જો કે, આપણે સૌ જાણીએ છીએ તેમ મોબાઈલનો વધારે પડતો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે. માયો ક્લિનિક પ્રમાણે, 2થી 5 વર્ષના બાળકોએ દિવસ દરમિયાન 1 કલાકથી વધારે સમય મોબાઈલ ન વાપરવો જોઈએ. બાળકોની આંખોને નુકસાન ન પહોંચે તે માટે માતા-પિતાએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. તેમને આંખો ઝપકાવવાનું યાદ કરાવો તમે ઘણી વખત જોયું હશે કે, બાળકો આંખો ઝપકાવ્યા વગર સતત મોબાઈલ પર ચોંટેલા રહે છે. આમ કરવાથી તેમના આંખોમાં મોઈશ્ચરાઈઝર ઓછું થઈ જાય છે, જેથી તે ડ્રાય થઈ જાય છે. આંખો જો ડ્રાય થઈ જાય તો તે વધારે ખતરો ઊભો કરે છે. તેમને તેનાથી માથાનો દુખાવો થવાની પણ શક્યતા છે. તેથી, તેમને આંખ ઝપકાવવાનું યાદ કરાવો. બાળકોને અન્ય પ્રવૃતિઓ તરફ વાળો આ સમય દરમિયાન તમારા બાળકોને મનોરંજન પૂરું પાડવું તે પડકારજનક છે, કારણ કે હાલ તેઓ બહાર જઈ શકતા નથી. ઘણી વાર તેમને કંટાળો આવી રહ્યો હોવાની ફરિયાદ કરતાં પણ સાંભળ્યા હશે. આવા સમયે તેને ફોન પકડાવ્યા વગર અન્ય પ્ર...

શું કોઈ અચાનક નજીક આવી જાય તો શ્વાસ રોકી લેવાથી કોરોનાથી બચી જવાય?

Image
યક્ષ પ્રશ્ન કોરોનાથી બચવું તો કઈ રીતે? આખી દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આ વાયરસનું સંક્રમણ પણ અલગ અલગ રીતે પોતાનો ફેલાવો કરી રહ્યું છે. લોકો સતત પોતાને કોરોના વાયરસથી સંક્રમણ બચાવવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે. ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ પણ આ વાયરસ વિશે વધુને વધુ ખબર પડે અને તેના ફેલાવાને રોકી શકાય તે માટે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: રસી દવા મળવામાં હજુ સમય આ વાયરસથી થતા કોવિડ-19થી બચવા માટે અને તેની સારવાર માટે રસી તેમજ દવા બનાવવા માટે સંશોધકો સતત દિવસરાત કામ કરી રહ્યા છે. જોકે હજુ પણ લોકોને આ દવા કે રસી મળવામાં 12થી 18 મહિના જેટલો સમય લાગી શકે છે. લોકડાઉન કાયમ ન રહી શકે વર્ષ 2020ની શરુઆત સાથે જ દુનિયામાં ફેલાવાનું શરુ કરનાર કોરોનાના કારણે દેશ-દુનિયા લોકડાઉન સ્વરુપે પોતાના ઘરોમાં જ કેદ થઈ ગઈ છે. ત્યારે હવે 2020નો આ છઠ્ઠો મહિનો આવી રહ્યો છે. જેથી કોરોનાના કારણે ક્યાંક દુનિયાની અર્થવ્યવસ્થા જ ભાંગી ન પડે તે માટે મોટાભાગના દેશો ધીરે ધીરે સાવધાની પૂર્વક ...

નોબેલ વિજેતાએ કહ્યું, આગામી 9-12 મહિના કોરોનાની રસીની વાત જ ભૂલી જજો

મેલબોર્ન: નોબેલ પારિતોષિક વિજેતા પીટર ચાર્લ્સ ડોહર્ટીએ કોરોના સામેની લડાઈ સરકારો માટે આવનારા દિવસોમાં ખૂબ જ અઘરી બની રહેશે તેમ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઈમ્યુનોલોજિસ્ટ પીટરના જણાવ્યા અનુસાર, ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં લોકડાઉનમાં છૂટછાટ ચિંતાજનક છે. જોકે, સંપૂર્ણ લોકડાઉન સામાજીક અને આર્થિક રીતે અશક્ય હોવાનું પણ તેમનું માનવું છે. આગામી દિવસોમાં કોરોનાના કેસો વધશે તેવી ચેતવણી આપતા પીટર ચાર્લ્સે કહ્યું છે કે આગામી 9-12 મહિના સુધી તેની સામે રક્ષણ આપે તેવી રસી શોધાવાની પણ શક્યતા નથી. તેમનું માનવું છે કે, જો તમામ પરિક્ષણો યોગ્ય રીતે પાર પડે તો પણ કોઈ રસી સુરક્ષિત અને અસરકાર છે તે જાણવામાં જ સપ્ટેમ્બર કે ઓક્ટોબર આવી જશે. ત્યારબાદ રસીનું ઉત્પાદન, કેટલી ઝડપથી તે બની શકે અને લોકોને અપાઈ શકાય તે પાછી અલગ અને લાંબી પ્રક્રિયા છે. કોરોના વાયરસ ઈન્ફ્લુએન્ઝાની જેમ ઝડપથી પોતાનું સ્વરુપ નથી બદલતો. જેથી એક જ રસી આખી દુનિયાના લોકો પર અસર કરવી જોઈએ. યુનિ. ઓફ મેલબોર્નના ડીપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજી એન્ડ ઈમ્યુનોલોજી સાથે સંકળાયેલા પીટર ચાર્લ્સ 1996માં નોબેલ જીત્યા હતા. શરીરની રોગપ્રતિકાર શક્તિ કઈ...

ઉનાળામાં ઓઈલી સ્કિનની સમસ્યા વધી ગઈ છે? આ ફેસ માસ્ક અઠવાડિયામાં રિઝલ્ટ આપશે

Image
ઉનાળામાં આ રીતે રાખો ઓઈલી સ્કિનની સંભાળ ગરમીની ઋતુમાં સ્કિન સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ઓઈલી છે તેમને વધુ તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ ગુલાબ જળ એવી વસ્તુ છે તમારા ચહેરા પરથી ડલનેસ, એક્ને અને સનબર્નના નિશાન દૂર કરશે. સાથે ઓઈલને કંટ્રોલ કરશે. ઓઈલી સ્કિનવાળાએ ગરમીમાં ગુલાબ જળનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. ગુલાબ જળ ટોનર તરીકે કામ કરે છે. તે પોર્સને અંદરથી સાફ કરે છે અને સ્કિનને પ્રાકૃતિક ચમક આપે છે. અહીં તમને એવા DIY ફેસ માસ્ક જણાવીશું જેને તમારે સ્કિન કેર રૂટિનમાં સામેલ કરવા જોઈએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ચંદન અને ગુલાબ જળનું ફેસ માસ્ક ચંદન- 2 મોટી ચમચી ગુલાબ જળ- 2 મોટી ચમચી બનાવવાની રીત ગુલાબ જળ અને ચંદનને મિક્સ કરીને ફેસ માસ્ક બનાવી લો. આ ફેસ માસ્કને 25 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. તમે ઈચ્છો તો ચંદનના બદલે મુલતાની માટી પણ વાપરી શકો છો. સર્વોત્તમ પરિણામ માટે અઠવાડિયામાં 2-3 વાર આ ફેસ માસ્ક લગાવવું જોઈએ. ઓઈલી સ્કિન ટાઈપ માટે સૌથી સારા ફેસ માસ્કમાંથી એક છે. તે ઓઈલ કંટ્રોલ કરીને ખીલ થતાં રોકે છે...

ફિટ રહેવા માટે રોજ આ ચા પીવે છે શિલ્પા શેટ્ટી, તમે પણ ઘરે બનાવીને ઘટાડી શકો છો વજન

Image
શિલ્પા શેટ્ટીનું ડાયટ સિક્રેટ 44 વર્ષની શિલ્પા શેટ્ટી કેટલીક ફિટનેસ ફ્રિક છે તે વાત સૌ કોઈ જાણે છે. તે પોતાને ફિટ રાખવા માટે યોગાસનથી લઈને ટ્રેનિંગ સેશન સુધીના શક્ય તમામ પ્રયાસો કરે છે. આટલી ઉંમર હોવા છતાં તે 26ની હોય તેવું લાગે. શિલ્પા સ્પેશિયલ ડિટોક્સ ટી એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના ડેઈલી શિડ્યૂલ વિશે વાત કરી હતી અને તે રોજ શું ખાય છે તેનો ખુલાસો કર્યો હતો. શિલ્પાને દેશી અને હેલ્ધી ખાવાનું વધારે પસંદ છે. ત્યારે તે ડ્રિંકમાં શું પસંદ કરે છે તે પણ જાણવા જેવું છે. ફોટો શેર કરતાં શિલ્પાએ ખુલાસો કર્યો કે, તે રોજ બપોરે 2 કલાકે CCF ટી લે છે. આ ચાનું નામ તમે પહેલીવાર સાંભળ્યું હશે પરંતુ તેને બનાવવી જરાય અઘરી વાત નથી. CCF ચા શું છે? CCF ચા જીરું, સૂકા ધાણા અને વરિયાળીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ત્રણ એવી વસ્તુ છે જે તમારા રસોડામાંથી સરળતાથી મળી રહે છે. જે તમને ડિટોક્સ અને ફિટ રહેવામાં મદદ કરે છે. જીરું, સૂકા ધાણા અને વરિયાળીનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સિવાય તે શરીર માટે પણ સારા છે, ખાસ કરીને ઉનાળાની સીઝનમાં. આ ચા પીવાથી તમારી ડાઈઝેશન સિસ્ટમ ઈમ્પ્રૂવ થાય ...

કોરોના વાયરસ: કરિયાણું ખરીદવા જાઓ ત્યારે આ કારણથી ગ્લવ્સ પહેરવાનું ટાળવું

Image
કોરોના વાયરસનો કહેર આપણા દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેનાથી બચવા માટે સરકાર પણ સુરક્ષાના પૂરતા ઉપાયો કરવાની અપીલ કરી રહી છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ કોઈ વસ્તુને અડ્યા બાદ કે બહારથી આવ્યા બાદ હાથ ધોવા અથવા સેનિટાઈઝ કરવા. આ સિવાય જ્યારે તમારે મેડિકલ સ્ટોર્સ કે પછી કરિયાણાની દુકાને જવાનું થાય તો સાવચેતી માટે શું કરવું તે પણ એક સવાલ છે. મોટાભાગના લોકો ગ્લવ્સ પહેરીને કરિયાણું ખરીદવા જાય છે. પરંતુ શું આ યોગ્ય છે?. આ સરળ સવાલનો જવાબ છે ના. ગ્લવ્સ પહેરવા યોગ્ય છે? માસ્ક અને ફેસ શીલ્ડ પહેરવું તેમજ વારંવાર હાથ ધોવા તે બરાબર છે. પરંતુ ગ્લવ્સ પહેરવાથી ઈન્ફેક્શનનો ખતરો ઘટી જશે તે વાત સાચી નથી. સેન્ટર્સ ઓફ ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC)કેટલીક પરિસ્થિતઓને છોડીને આવી કોઈ ભલામણ કરી નથી, જેમ કે સર્ફેશની સફાઈ કરવી અને વાયરસથી સંક્રમિત કોઈ વ્યક્તિના કપડા ધોતી વખતે. આ સ્થિતિઓમાં પણ જો તેને યોગ્ય રીતે હાથમાંથી કાઢવામાં આવે તો જ તે અસરકારક બની શકે છે. પરંતુ જ્યારે કરિયાણું ખરીદવાની વાત આવે ત્યારે ગ્લવ્સ અસરકારક સાબિત નથી. ગ્લવ્સ કેમ અસરકારક...

શું માસ્ક પહેરવાથી શરીરમાં ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય છે?

Image
માસ્ક પહેરવાથી શ્વાસમાં ઓછો ઓક્સિજન આવે છે? શું તમને પણ એવો કોઈ વોટ્સએપ મેસેજ મળ્યો છે કે જેમાં કહેવાયું છે કે માસ્ક પહેરવું જોખમી બની શકે છે. પણ, શું ખરેખર લાંબો સમય માસ્ક પહેરી રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે? શું તેનાથી મોત થઈ શકે છે? અમે અહીં આપી રહ્યા છીએ તમારા બધા સવાલોના જવાબ… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial માસ્ક પહેરવું જરૂરી થઈ ગયું છે કોરોના વાઈરસ મહામારીને કારણે ઘરની બહાર જતી વખતે બૂટ-ચંપલ પહેરવા જેટલું જ જરૂરી માસ્ક પહેરવું થઈ ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી શ્વાસમાં આવતા ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે તે પાછો શ્વાસમાં જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે. એક ડ્રાઈવર સાથે બનેલી ઘટના પણ જાણી લો અમેરિકાના ન્યૂ જર્સીમાં 23મી એપ્રિલે એક SUVના ડ્રાઈવરે કાર એક થાંભલા સાથે અથડાવી દીધી હતી. તેણે પોતાના બચાવમાં એક્સિડન્ટ માટે માસ્કને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, તેણે ઘણા સમયથી એન 95...

ચહેરા પર ગ્લો લાવવા આ ખાસ વસ્તુનો ઉપયોગ કરે છે કરીના અને કરિશ્મા

Image
લોકડાઉનના લીધે બ્યૂટી પાર્લર બંધ હોમમેડ ફેસ પેક હાલ પોપ્યુલર થઈ રહ્યા છે. સલૂન અને બ્યૂટી પાર્લર બંધ હોવાથી દરેક યુવતી નેચરલ ફેસ પેક પર આધાર રાખી રહી છે. કેમિકલ્સનો ઉપયોગ કર્યા વગર ઘરે ઘરે પણ ખૂબ ઓછી એવી સામગ્રીમાંથી ચહેરો ચમકાવી શકાય છે. સેલિબ્રેટી પણ હવે ફેન્સ સાથે પોતાના બ્યૂટી સિક્રેટ શેર કરી રહ્યા છે. તે પછી વાત પ્રિયંકા ચોપરાના હેર માસ્કની હોય કે સોનમ કપૂરના ફેસ પેકની. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સિક્રેટ વસ્તુનો ઉપયોગ કરે છે કરીના થોડા દિવસ પહેલા કરીના કપૂરે પણ હળદર અને ચંદન પાઉડરમાંથી તૈયાર થતાં માસ્ક બનાવવાની રીત શેર કરી હતી. હવે તે અને તેની બહેન એટલે કે કરીશ્મા કપૂર ચહેરાને ગ્લોઈંગ રાખવા માટે કઈ સિક્રેટ વસ્તુનો ઉપયોગ કરે છે, તે અંગે શેર કર્યો છે. બહેન અને નણંદ સાથે શેર કર્યું સિક્રેટ કરીનાએ આ સિક્રેટ વસ્તુ માત્ર કરિશ્મા જ નહીં પરંતુ નણંદ સોહા સાથે પણ શેર કરી છે. અને આ સિક્રેટ વસ્તુનું નામ છે માચા. માચા એક ફેમસ ગ્રીન ટીનું નામ છે. જે સ્કિનને સનલાઈટથી બચાવે છે. આ ગ્રીન ટીના પાનનો પાઉડર બનાવવામાં આવે છે અને તે માચા તર...