Posts

Showing posts from June, 2020

આ કારણથી બેડ પર બેસીને ક્યારેય ન કરવું જોઈએ કોઈ કામ

કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. લોકડાઉન પહેલા આપણે બધા વહેલા ઉઠી જતા હતા અને પોતપોતાના ભાગનું કામ પતાવીને ઓફિસે જતા રહેતા હતા. ઓફિસેથી આવીને ફરી થોડું કામ, પરિવાર સાથે બેસીને ડિનર અને પછી થોડીવાર ટીવી જોઈને ઊંઘી જતા. પરંતુ હવે દિનચર્યા બદલાઈ ગઈ છે. લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ પણ હજુ કેટલીક ઓફિસો બંધ છે અને લોકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે. જેના કારણે સવારે ઊઠવાથી લઈને રાત્રે ઊંઘવાનો સમય બદલાઈ ગયો છે. આટલું જ નહીં કેટલાક તો સવારે ઊઠતાની સાથે જ ફ્રેશ થયા વગર લેપટોપ લઈને બેડમાં જ ઓફિસનું કામ કરવાનું શરૂ કરી દે છે. પરંતુ એક સ્ટડી પ્રમાણે બેડ પર બેસીને કામ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: બેડ ઊંઘવા માટે છેઃ બેડ પર બેસીને કામ કેમ ન કરવું જોઈએ તે પાછળનું પહેલું અને મુખ્ય કારણ એ છે કે, બેડ ઊંઘવા માટે છે, કામ કરવા માટે નહીં. હાવર્ડના ડિવિઝન ઓફ સ્લીપ મેડિસિન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, કોઈએ પણ ઊંઘવાની જગ્યાએ બેસીને કામ ન કરવું જોઈએ. જે રૂમમાં તમે ઊંઘો છો ત્યાંથી લેપટોપ, ટ...

આ ટ્રિક અપનાવો, માસ્ક પહેર્યું હશે તો પણ ચશ્મા પર નહીં બાઝે ફોગ

Image
કોરોના સંક્રમણથી બચવા માટે માસ્ક એક સિંપલ પણ બહુ કારગર ઉપાય સાબિત થઈ રહ્યો છે. પરંતુ ગરમી અને ભેજની વચ્ચે માસ્ક પહેરવું મુશ્કેલીભર્યું છે. તેમાં પણ ખાસ કરીને એવા લોકો જેમને પરસેવો વધુ થાય છે અને તેઓ નિયમિતરુપે ચશ્મા પણ પહેરે છે. તેમના માટે માસ્ક ખરેખર એક મુશ્કેલી બની જાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કેમ કે ચશ્મા સાથે માસ્ક પહેરવાથી લેન્ચ પર ફોગ આવે છે. તે કારણે જોવામાં મુશ્કેલી આવે છે. જો તમે તમારી લાઈફમાં દરરોજ આવી સમસ્યાથી પરેશાન છો તો આજે અમે અહીં તમારા માટે એક સહેલી માસ્ક ટ્રિક શેર કરી રહ્યા છીએ. આ ટ્રિકને અપનાવ્યા બાદ ન તો તમારા ચશ્મામાં ફોગ જામશે અને ન તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થશે. ટિશ્યુ પેપરને ડબલ ફોલ્ડ કરો પહેલા સમસ્યાને સમજો માસ્ક પહેરવાથી તમે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છે તેનાથી તમારા ચશ્મા પર ફોગ જામે છે. જ્યારે બીજી સમસ્યા એ છે કે માસ્ક પહેરી રાખવાથી લાંબા સમયે પરસેવો વળે છે. જેનાથી ત્વચા પર ખંજવાળની સમસ્યા પણ થાય છે. શું કરવાનો છે ઉપાય? આ બંને સમસ્યાનો ઉપાય એક ટિશ્યુ પેપર છે. જો તમારી પાશે ટિશ્યુ પ...

લોકડાઉનમાં ઘરે રહેવાથી વધ્યું બ્લડ સુગર લેવલ, આ રીતે કરો કંટ્રોલ

Image
ઘરમાં રહેવાથી બ્લડ સુગર લેવલમાં વધારો કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનમાં ઘરે રહેવાથી લોકોમાં નવી બીમારીઓ ઘર કરી ગઈ છે. લોકડાઉનમાં આખો દિવસ ઘરમાં જ રહેવાથી શરીરને મહેનત પડી નહીં અને જેના કારણે શરીરની મેટાબૉલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા પર અસર પડી છે. હવે નવા રિસર્ચ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે લોકડાઉન દરમિયાન ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગર લેવલમાં 20% સુધીનો વધારો થયો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો આ કારણે વધે છે બ્લડ સુગર લેવલ શરીરનું બ્લડ સુગર લેવલ વધવાના કારણોમાં તણાવ, ચિંતા, જીવનશૈલીમાં પરિવર્તન, કસરત નહીં કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ નવા રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે ખરાબ જીવનશૈલીના કારણે શરીરના બ્લડ સુગરના લેવલમાં વધારો થયો છે. આ સિવાય લોકડાઉન દરમિયાન ઘરે બેઠા-બેઠા સ્વાદમાં ગળ્યો ખોરાક વધુ પ્રમાણમાં ખાવાના કારણે પણ શારીરિક સમસ્યાઓ ઊભી થઈ છે. લોકડાઉન દરમિયાન લોકોના વજનમાં વધારો થયો હોવાનું પણ જોવા મળ્યું છે. આખરે ડાયાબિટિઝના દર્દીઓ માટે કેમ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે કોરોના? કોરોનાનો ચેપ લાગવાની શક્યતાઓ વધુ ...

ઈમ્યૂનિટી વધારતા કાવાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં થાય છે આવી આડઅસર

આપણે સૌ જાણીએ છીએ કે, કોઈ વસ્તુનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો તે લાભદાયી છે, પરંતુ જો વધારે પડતું સેવન કરવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડે છે. હાલના સમયમાં હોમમેડ કાવો શરીર માટે સારો છે કારણ કે તે ઈમ્યૂનિટી વધારે છે. પરંતુ તેની આડઅસર પણ છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કાવો બનાવવામાં કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં વપરાય છે તે વ્યક્તિની ઉંમર, સીઝન અને ઓવરઓલ હેલ્થ પર આધારિત હોવું જોઈએ. જો તમે રોજ કાવો પીતા હો અને તમને નાકમાંથી લોહી નીકળવાની તકલીફ જણાઈ તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. source https://www.iamgujarat.com/health-news/possible-side-effects-of-immunity-boosting-kadhas-569266/

ચોમાસામાં ફ્લૂથી બચવા માટે આયુષ મંત્રાલયે સૂચવ્યા કેટલાક ઘરેલું ઉપાય

વરસાદની સીઝનમાં મોટાભાગના લોકો ફ્લૂનો શિકાર બની જતા હોય છે. આ સિવાય આ સીઝનમાં મચ્છરના કારણે ફેલાતા મેલેરિયા અને ડેન્ગ્યુનો પણ ખતરો વધારે રહે છે. તેવામાં ભારત સરકારના આયુષ મંત્રાલયે વાયરલ, ફ્લૂ અને વાયરસથી બચવા માટે કેટલાક દેશી ઉપાયો જણાવ્યા છે. મંત્રાલય અનુસાર, ચોમાસામાં થતી બીમારીઓના શરૂઆતી લક્ષ્ણ ઉધરસ અને છીંક આવવી છે. જો આપણે ખાવા-પીવાને સમય અનુસાર બદલી નાખીએ તો રોગ પ્રતિકારકક્ષમતા મજબૂત કરી શકીએ છીએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ચોમાસામાં કારગત સાબિત થશે આ ઉપાયઃ – સામાન્ય રીતે ગરમીની સીઝનમાં હળદરવાળું દૂધ પીતા નથી. પરંતુ આ વખતે ગરમીની જેમ ચોમાસુ પણ અલગ છે. કોવિડ 19ના ખતરાના કારણે આપણા જીવનને સૌથી વધારે અસર થઈ છે. – ઉધરસ, તાવ અને ગળામાં દુખાવાની સાથે શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા દૂર કરવા માટે દિવસમાં એકવાર હળદરવાળું દૂધ પીવું. એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી જ હળદર નાખવી. -બંધ નાકને ખોલવા અને ગળાના દુઃખાવામાંથી મુક્તિ મેળવવા માટે તમે ગરમ પાણીમાં વિક્સ મિક્સ કરીને તેનાથી નાસ લઈ શકો છો. સીઝનલ ફ્લૂના લક્ષણોઃ – ચોમાસામાં થતા ફ્લૂના લક્ષ...

બાળક 6 મહિનાનું થાય એટલે તેને કેળા ખવડાવવાનું શરૂ કરી દો, થશે આટલા ફાયદા

નાના બાળકોને જ્યારે યોગ્ય આહાર આપવાનું શરૂ કરવામાં આવે ત્યારે તેને ઘણા પ્રકારના પૌષ્ટિક ફળ આપવામાં આવે છે. આ ફળમાં કેળાનું નામ પણ સામેલ છે. બાળકો માટે કેળા લાભદાયી માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે બાળકના સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કેળામાંથી મળતા પોષક તત્વો કેળામાં અનેક પોષક તત્વો હોય છે. જેમાં કેલેરી, ફેટ, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન એ, વિટામીન સી, વિટામીન બી6 અને મેગ્નેશિયમ સામેલ છે. બાળકને કેળું ક્યારથી આપવું? બાળક 6 મહિનાનું થાય ત્યારથી તમે તેને કેળા ખવડાવી શકો છો. 6 મહિનાના બાળકને દિવસમાં એકવાર નાનું કેળુ ખવડાવી શકો. કેળા બાળકોને શરદી-ઉધરસથી પણ બચાવે છે. બાળકોને કેળા ખવડાવવાના ફાયદા – કેળામાં ફાઈબરની ઉચ્ચ માત્રા હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ફાઈબર પેટ સાફ રાખે છે અને બાળકને કબજિયાત થતો નથી. – કેળા બાળકોનું વજન વધવામાં મદદ કરે છે. પોટેશિયમ અને કેલ્શિયમયુક્ત કેળા બાળકોના હાડકા મજબૂત બનાવે છે. તેમાં રહેલું આયર્ન લોહીમાં હ...

ક્યાંક તમારું બાળક ડિપ્રેશનમાં તો નથી ને? આ લક્ષણો ઓળખો અને તેની મદદ કરો

Image
માનસિક સ્વાસ્થ્ય પર આપો ધ્યાન COVID-19 મહામારીએ આપણા જીવનને ઘણી રીતે બદલી નાખ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક જેવા ન્યૂ નોર્મલ અને ઈન્ફેક્શન ના લાગી જાય તેનો ડર ઘરની બહાર પગ મૂકીએ ત્યારે રહે છે. આ ઉપરાંત આ મહામારી મેન્ટલ હેલ્થ પર પણ અસર કરી છે. ઘરના પુખ્ત વયના લોકો તો કોરોના વાયરસના કારણે ઉદાસીનતાથી ઘેરાઈ રહ્યા છે ત્યારે ઘરમાં રહેલા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો બાળપણમાં થતા ડિપ્રેશન વિશે જાગૃતિ જરૂરી આપણા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, હંમેશા હસતા રહેતા અને ખુશ રહેતા લોકોને ક્યારેય ડિપ્રેશન ના આવે. બાળપણના ડિપ્રેશન વિશે તો આપણા ત્યાં કોઈ વાત જ નથી કરતું. આપણા ત્યાં લોકો એવું માને છે કે બાળકો નાના હોવાથી તેમને કોઈ જાતની ચિંતા જ નથી હોતી તો તેમને ડિપ્રેશન કેવી રીતે આવી શકે. બાળકોમાં ડિપ્રેશન પાછળ હોઈ શકે છે આ કારણો જવાબદાર આ જ કારણ છે કે આપણા ત્યાં બાળપણના ડિપ્રેશનને કોઈ ગંભીરતાથી લેતું નથી. ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ડિપાર્ટમ...

આખરે ડાયાબિટિઝના દર્દીઓ માટે કેમ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે કોરોના?

Image
કોરોનાના આંકડા શું બોલે છે (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) ભારતને ડાયાબિટિઝની રાજધાની કહેવામાં આવે છે. કોરોનાવાયરસની મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં દુનિયામાં આ મહામારીના કારણે લાખો લોકોના જીવ ગયા છે. ત્યારે એક એહેવાલ મુજબ કોરોના વાયરસથી સૌથી વધુ મોત ડાયાબિટિઝ અને હૃદયરોગના દર્દીઓના થયા છે. ત્યારે ડોક્ટર્સ અને નિષ્ણાંત પહેલાથી જ જેમને ડાયાબિટિસ છે તેવા દર્દીઓને વધુ સાવધાની રાખવા માટે સલાહ આપે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ડાયાબિટિઝ દર્દી માટે કેમ ઘાતક છે કોરોના ડાયાબિટિસઝના દર્દીઓમાં કોરોના વાયરસ શરીરમાં પ્રવેશતા જ જલ્દીથી સંક્રમણ ફેલાવવા લાગે છે. એક અભ્યાસમાં જોવા મળ્યું કે સામાન્ય વ્યક્તિમાં કોરોનાના સંક્રમણની ઝડપ ઓછી હોય છે પરંતુ ડાયાબિટિઝના દર્દીમાં તે ખૂબ જ ઝડપથી શ્વસનતંત્રને જકડવા લાગે છે. જેથી આ દર્દીઓએ વહેલીતકે જ સારવાર લેવી જોઈએ અન્યથા કોરોના જીવલેણ સાબિત થાય છે. બીજુ કારણ રોગપ્રતિકારક ક્ષમતા ડાયાબિટિઝ જેવા રોગથી જજૂમી રહેલા લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ નબળી પડી જાય છે. ડાયાબિટિઝના દ...

કેમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કોરોના?

Image
ડાયાબિટીસના દર્દી માટે ખતરનાક છે કોરોના એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓમાં મોટાભાગના દર્દીઓમાં ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત સમસ્યા જોવા મળી છે. કેટલાંક કેસમાં ડોક્ટર્સે ડાયાબિટીસના દર્દીઓને વિશેષ સાવધાની રાખવાનું જણાવ્યું છે. કેમ ડાયાબિટીસના દર્દીઓમાં કોરોના વાયરસ વધારે ઘાતકી સાબિત થઈ રહ્યો છે? ચાલો જાણીએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ડાયાબિટીસના દર્દીમાં ઝડપથી ફેલાય છે કોરોના કોરોના વાયરસ ડાયાબિટીસના દર્દીઓમાં પ્રવેશ્યા પછી ઝડપથી ફેલાય છે. જેની અસર દર્દીના શ્વસન તંત્ર ઉપર પડે છે અને જો દર્દી ઈલાજ માટે સમયસર હોસ્પિટલ પહોંચે નહીં તો આ સ્થિતિ તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે કારણકે ડાયાબિટીસના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેના કારણે તે જલદી કોરોના વાયરસના ચેપનો ભોગ બને છે. આ દર્દીઓમાં દવાની અસર પણ ધીરે-ધીરે થાય છે અને આ કારણે કોરોના વાયરસ, ડાયાબિટીસના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓને જ્યારે એવું જાણવા મળે કે તેઓ કોરોના વાયરસનો ભોગ બન્યા છે તો ત...

લોકડાઉનમાં યુવતીએ આ રીતે ઉતાર્યું 10 કિલોગ્રામ વજન

Image
3 મહિનામાં 10 કિગ્રા વજન ઉતાર્યું ઈશિતા પાંડે નામની ગૃહિણીએ છેલ્લા 3 મહિનામાં 10 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. તેની ઉંમર 30 વર્ષ છે અને હાઈટ 5 ફૂટ 2 ઈંચ છે. લોકડાઉન પહેલા આ યુવતીનું વજન 70 કિલોગ્રામ હતું અને હવે તેણે 3 મહિનામાં કુલ 10 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. આ યુવતી એક બાળકની માતા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો વજન ઉતારવાની પ્રક્રિયા વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવતી દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં પૌંઆ ખાતી હતી અને ક્યારેક-ક્યારેક ઘઉંની બ્રેડ ખાતી હતી. જ્યારે લંચ દરમિયાન રોટલી, શાક, દાળ, ભાત અને દહીં-સલાડ જમતી હતી. જ્યારે ડિનરમાં તે કશું જમતી નહોતી, તેની જગ્યાએ સાંજે 6 વાગ્યે ચા-નાસ્તો કરતી હતી. ઘરકામમાં વ્યસ્ત રહેતી હતી આ યુવતી ગૃહિણી છે એટલે ઘરના કામ કરવામાં અને બાળકની દેખરેખ કરવામાં તેનો મોટાભાગનો સમય નીકળી જાય છે. એટલે તે કોઈ ખાસ પ્રકારની કસરત કરતી નહોતી. તે દિવસ દરમિયાન ભૂખ લાગે ત્યારે હળવો નાસ્તો કે જેમાં બદામ, પચવામાં સરળ હોય તેવા બિસ્કિટ અને છાશનો આહાર લેતી હતી. આ યુવતીએ જણાવ્યું કે વજન ઉતારવા માટે ચરબી ઘટે તે ખૂબ જ...

કોરોના વાયરસઃ ઘર બહાર જઈ રહ્યા છો? આ 5 ભૂલોના કારણે જોખમમાં મૂકાઈ શકે છે હેલ્થ

Image
ઘર બહાર જઈ રહ્યા છો? ભારતમાં ખૂબ જ ઝડપથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન સરકારે લોકડાઉનમાં પણ છૂટછાટ આપી છે. દિવસેને દિવસે વધુમાં વધુ લોકો બહાર નીકળી રહ્યા છે. કોઈ ઓફિસે જઈ રહ્યું છે, તો કોઈ શોપિંગ કરવા. પરંતુ આ એવો સમય છે જ્યાં જરૂર ન હોય તો ઘર બહાર ન નીકળવું જ ઉચિત છે. તેમ છતાં જો ઘર બહાર નીકળવું જ પડે તેમ હોય તો કેટલીક એવી ભૂલો છે જે ન કરવી. કારણ કે આવી ભૂલોના કારણે સંક્રમણનો ખતરો વધી જાય છે. માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને ટિશ્યૂ વગર બહાર નીકળવું તમે ભલે સોસાયટીના ગેટ સુધી જ જઈ રહ્યા હો કે પછી કામ પર. ઘર બહાર નીકળો એટલે માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. બહાર કોણ વાયરસથી સંક્રમિત થઈને ફરી રહ્યું છે તે વાત તમે પણ જાણતા હોતા નથી. CDCનું કહેવું છે કે, ઘર બહાર નીકળો ત્યારે માસ્કની સાથે સેનિટાઈઝર અને ટિશ્યૂ પેપર પણ સાથે રાખવું. વાયરસ હજુ ગયો નથી તે સમજવું ખૂબ જ જરૂરી છે કે, ભલે લોકડાઉનમાં છૂટછાટ મળી પરંતુ વાયરસ હજુ ગયો નથી. નરી આંખે પણ જોઈ ન શકાય તેવો જીવલેણ કોવિડ-19 હજુ પણ આપણી વચ્ચે છે. તેથી ઘર બહાર નીકળો ત્યારે સાવચેતી રાખો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. શોપિંગ માટે જવાન...

કોરોના મહામારી વચ્ચે ઋતુ બદલાતા થતી શરદી-ઉધરસથી બચવા ઋજુતા દિવેકરે આપી ટિપ્સ

કોરોના વાયરસ મહામારી દરમિયાન તમે ખૂબ કાળજી રાખતા હશો અને વિવિધ સેફ્ટી ટિપ્સ ફોલો કરતા હશો. આ જરૂરી પણ છે. આ દરમિયાન ઋતુ બદલાઈ રહી છે ત્યારે લોકોને સામાન્ય શરદી-ઉધરસ અને ફ્લૂની સમસ્યા પણ થાય છે. આવા જ લક્ષણ કોરોનાના દર્દીમાં પણ જોવા મળે છે. જો કે, બદલાતી ઋતુમાં થતી શરદી-ઉધરસ અને ફ્લૂના લક્ષણોને તમે સરળતાથી ઓળખી શકો છો. ત્યારે આનાથી બચવા માટે સેલિબ્રિટી ડાયટિશન ઋજુતા દિવેકરે ખાસ ટિપ્સ શેર કરી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઋજુતા દિવેકર સેલેબ્સ વચ્ચે પોપ્યુલર નામ છે. કરિના કપૂરની સાઈઝ ઝીરો હોય કે તેની હાલની ફિટનેસ ઋજુતા દિવેકરનો તેમાં મોટો ફાળો છે. ત્યારે તેમની ટિપ્સ ઘણી કામની હોય છે તેમ કહી શકાય. શરદી-ઉધરસથી બચવા માટે ઋજુતા દિવેકરે કેટલાક ઘરેલુ નુસખા સૂચવ્યા છે. આ માટેની સામગ્રી તમારા રસોડામાં સરળતાથી મળી પણ રહેશે.   View this post on Instagram   Gharelu nuskhe for cough, cold and flu. The time-tested wisdom from our kitchens and grandmoms shouldn’t need a pandemic to come back into limelig...

સસ્તું હેન્ડ સેનિટાઈઝર રુપિયા બચાવશે પણ શરીરને આ રીતે નુકસાન કરશે

Image
સસ્તુ હેન્ડ સેનિટાઈઝર કરી શકે છે નુકસાન આલ્કોહોલની એક સરખા માપની બોટલ પણ કંપની અલગ-અલગ હોવાથી તેના ભાવમાં પણ ફરક જોવા મળે છે ઘણાં હેન્ડ સેનિટાઝરની કિંમત એટલી ઓછી હોય છે કે ગ્રાહકના ચહેરા પર સ્મિત આવી જતી હોય છે પણ જો તમારી સાથે આવું થતું હોય તો ચેતી જવાની જરુરી છે. સસ્તાના ચક્કરમાં તમે પોતાને જ નુકસાન નથી પહોંચાડી રહ્યાને તે વાતનું ધ્યાન રાખવાની જરુર છે. શરીરમાં આ બધી તકલીફો થાય છે સસ્તા હેન્ડ સેનિટાઈઝરમાં આઈસોપ્રોપિલ (isopropyl)ના બદલે મેથેનોલ (Methanol)નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તેમાં મોસ્યુરાઈઝિંગ કમ્પોનન્ટ્સ પણ નથી હોતા જેના કારણે તેના ઉપયોગ અંગે સ્કીન સ્પેશિયાલિસ્ટ ચિંતા વ્યક્ત કરે છે. ડૉક્ટર જણાવે છે કે, આ પ્રકારના સસ્તા આલ્કોહોલના ઉપયોગથી ચામડી પર ખંજવાળ આવવી, ચાંઠા પડી જવા જેવી તકલીફો પણ થવા લાગે છે. ચામડીના ડૉક્ટર જણાવે છે કે, સસ્તા શંકાસ્પદ સેનિટાઈઝર, મુખ્યત્વે જેમાં કૃત્રિમ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરવાના બદલે સાબુથી હાથ ધોવા વધારે હિતાવહ છે. શરીરમાં થાય છે આવી બધી તકલીફો મેક્સ હેલ્થકેર હોસ્પિટલમાં ઈન્ટર્નલ મેડિકલ ડિપાર્ટમેન્ટના અસોસિએટ ડિરેક્ટર, ...

COVID 19: તમારું બાળક માસ્ક પહેરવામાં આનાકાની કરે છે? આટલું કરશો તો તરત માની જશે

Image
સરકારે આપી છૂટછાટ ભારતમાં લોકડાઉન હળવું કરાયા બાદ લોકો ધીમે-ધીમે ઘર બહાર નીકળવા લાગ્યા છે. આટલું જ નહીં છેલ્લા 3 મહિનાથી બંધ રહેલી ઓફિસો, દુકાનો-ધંધા પણ ખુલી ગયા છે. લોકડાઉનમાં ભલે છૂટછાટ આપવામાં આવી હોય પરંતુ કોરોના વાયરસના કેસ પણ સાથે વધી રહ્યા છે એ બાબત કોઈએ ભૂલવી ન જોઈએ. આ એવો સમય છે જેમાં પર્સનલ હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડે તેમ છે. બાળકોને ‘ન્યૂ નોર્મલ’ વિશે જણાવો આ સમય જ્યારે મોટી ઉંમરના લોકો માટે કપરો બન્યો છે ત્યારે નાના બાળકને પણ આ સ્થિતિ વિશે જણાવવું જોઈએ. દેશમાં ક્યારે શાળાઓ ખૂલશે તેનું નક્કી નથી છતાં બાળકોને ઘર બહાર નીકળતી વખતે બાળકોને માસ્ક પહેરવાની આદત પાડવી જોઈએ. કોવિડ 19ની રસી ક્યારે આવશે તેની કોઈને જાણ નથી. ત્યારે બાળકોને પણ ‘ન્યૂ નોર્મલ’ વિશે શીખવો. જેમ કે, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વગેરે. બાળકોને માસ્ક પહેરતા કેવી રીતે કરવા? કોરોના વાયરસના કારણે દરેક ઉંમરની વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. જો કે, નાના બાળકોને મોં પણ માસ્ક બાંધવું ગમતું હોતું નથી. આવી સ્થિતિમાં તેમને તૈયાર કેવી રીતે કરશો તે માટેની જોઈ લો ટિપ્સ. માસ...

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Image
જૂતા ડિસઈન્ફેક્ટ કરો છો? દેશમાં જ્યારથી કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે ત્યારથી લોકો ઘર અને આસપાસની વસ્તુઓને જંતુમુક્ત કરવાના આગ્રહી બન્યા છે. સાથે જ વાયરસથી બચવા માટે અગાઉની સરખામણીમાં વધુ વખત હાથ ધોવે છે. બહારથી શાકભાજી કે કરિયાણું કે બીજી કોઈ પણ વસ્તુ લાવો તો તરત જ તેને ડિસઈન્ફેક્ટ કરો છો પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જૂતાનું શું? રોજ પહેરીને જતાં પગરખાં કેવી રીતે સાફ કરી શકાય? તમારા પગરખાં ઈન્ફેક્ટેડ સપાટીના સંપર્કમાં આવવાની સંભાવના સૌથી વધારે છે, એવામાં જ્યારે પણ તક મળે ત્યારે તેની સફાઈ કરવી જોઈએ. હાથ ધોવા જેટલું જ અગત્યનું છે તમારા જૂતા સાફ કરવું. અહીં તમને કેટલીક ટિપ્સ આપીશું જે જૂતાં સાફ રાખવામાં મદદ કરશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો અલગ-અલગ ચપ્પલ રાખો ઘરને વાયરસથી સુરક્ષિત રાખવા માટે સૌથી જરૂરી છે કે તમે ઘરમાં પહેરવાના અને બહાર પહેરીને જવાના જૂતા અલગ રાખો. જો તમારી પાસે બે અલગ-અલગ જૂતાની જોડી ના હોય તો જૂતા ઘરની બહાર કાઢવાનું રાખો. હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં લોકોએ ખાસ કરીને આ વાતનું પાલન કરવું. જૂતા કાઢતી...