શું છે થર્મલ સ્કેનર? કેવી રીતે ખબર પડે કે કોરોના વાયરસ છે કે નહિ?
ચીનમાં લોકોને કોરોના વાયરસનું ઈન્ફેક્શન લાગ્યું છે કે નહિ તે જોવા માટે એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. તમે કોરોના વાયરસના સમાચાર વચ્ચે થર્મલ સ્કેનર અંગે ઘણું સાંભળ્યું હશે. તો જાણી લો કે થર્મલ સ્કેનર આખરે છે શું અને તે કેવી રીતે કામ કરે છે. થર્મલ સ્કેનર કેવી રીતે પકડી પાડે છે કે કોરોના વાયરસ છે કે નહિ? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો થર્મલ સ્કેનર એક એવું ઉપકરણ છે જેના માધ્યમથી કોરોનાવાયરસ કે પછી તેના જેવા જ બીજા રોગથી ઈન્ફેક્ટેડ વ્યક્તિની ઓળખ કરી શકાય છે. આ એવું મશીન છે જે સ્વસ્થ વ્યક્તિ અને વાયરસથી ઈન્ફેક્ટેડ વ્યક્તિ વચ્ચે સ્પષ્ટ અંતર દર્શાવી દે છે. સ્કેનરની ખાસ વાત એ છે કે તેમાંથી નીકળતા તરંગોનો માણસના શરીર પર કોઈ ખરાબ પ્રભાવ નથી પડતો. તેનો ઉપયોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ. સામાન્ય રીતે થર્મલ સ્કેનિંગ કરાવનારા લોકોના મનમાં અજાણ્યો ડર રહે છે. લોકો થર્મલ સ્કેનિંગને સીટી સ્કેન જેવી મશીન સાથે જોડીને જુએ છે. થર્મલ સ્કેનિંગ માનવ શરીરની તપાસ માટે સૌથી આસાન ઉપાયમાંનો એક છે. તેના માટે તમારે કોઈ મોટા ઉપકરણમાંથી પસાર થવાની જરૂર પડતી નથ...