Posts

Showing posts from March, 2020

નાસ લેવાથી દૂર ભાગે છે કોરોના વાયરસ? તમે આવું માનતા હો તો જાણી લો હકીકત

લોકોમાં કોરોના વાયરસનો ફફડાટ છે. આ વિશે લોકો ઈન્ટરનેટ પર જેટલી માહિતી મળે છે તમામને સાચી માને છે. એટલું જ નહીં કોરોનાથી બચવા માટેના દરેક ઘરેલુ નુસખાને સાચા માનવાની સાથે તેનો ઘરે અમલ પણ કરે છે. આવો જ એક નુસખો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ છે નાસ લેવાનો મતલબ કે ગરમ પાણીની વરાળ લેવાનો. લોકો માની રહ્યા છે સ્ટીમ થેરપી (નાસ લેવો) દ્વારા કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે અને તેને મારી શકાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કોરોનાથી પોતાના પરિવારને બચાવવા માટે લોકો જાતભાતના કીમિયા અપનાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારતાં પીણાંની સાથે હવે સ્ટીમ થેરપી લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો માને છે કે વરાળના ગરમાવાથી કોરોના મરી જશે અને શરીર પર કોઈ અસર નહીં થાય. એક તરફ કેટલાક લોકો સાદા પાણીથી નાસ લઈ રહ્યા છે તો કેટલાક લોકો વિક્સ, સંતરા, લીંબુના છોતરાં, લસણ, ટી-ટ્રી ઓઈલ, આદુ, લીમડાના પાન વગેરે જેવા હર્બ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધા હર્બ એન્ટીમાઈક્રોબિયલ હોય છે જેથી લોકો માને છે વાયરસને મારવામાં અસરકારક સાબિત થશે. કેટલાક લોકો તો એવી સલા...

WHOએ કહ્યું, ગર્ભવતી મહિલાઓ કોરોનાથી બચવા શું કરવું

દેશ અને દુનિયામાં કોરાના વાયરસનું સંક્રમણ ગંભીર સંકટ બની રહ્યું છે. અત્યાર સુધીમાં ભારતમાં 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. જ્યારે દુનિયામાં આંકડો દોઢ લાખની આસપાસ પહોંચી ગયો છે. કોરોના વાયરસનું વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓને સૌથી વધારે જોખમ રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ગર્ભવતી મહિલાઓને કોરોના વાઈરસથી બચાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: WHOના જણાવ્યા અનુસાર, ગર્ભવતી મહિલાને કોરોના વાઈરસના પ્રકોપથી બચાવવા માટે અમુક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આવું કરવાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ તમારા ગર્ભમાં ઉછરી રહેલ બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર નહીં પડે – સાબુ અથવા સેનિટાઈઝરથી નિયમિતપણે હાથ ધોવા. – અન્ય લોકોથી ચોક્કસ અંતર રાખો – ખાંસી અથવા છીંક આવે તે પહેલાં મોં ઉપર હાથ, ટિશ્યૂ અથવા રૂમાલ રાખવો WHOએ ગર્ભવતી મહિલાઓને સલાહ આપી છે કે, તાવ, ઉધરસ, શરદી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત મેડિકલ તપાસ કરાવવી. કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો તમારી જાતને 2 અઠવાડિયા માટે આઇસોલેટમા રાખો. તેનાથી તમે, તમારું બાળક ...

ઘૂંટણના દુઃખાવામાંથી મુક્તિ અપાવશે ઘરે બનાવેલું આ ડ્રિંક, નિયમિત પીવાથી થશે લાભ

માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનો પણ ઘૂંટણના દુઃખાવાથી પીડાય છે. ઘૂંટણમાં થતી પીડા વ્યક્તિને શાંતિથી ઊંઘવા પણ નથી દેતી. આવા સમયમાં ઘરેલું નુસખો કામ આવે છે. source https://www.iamgujarat.com/health-news/home-remedy-for-knee-pain-539052/

એક સમયે 127 કિલો હતું આ યુવકનું વજન, 8 મહિનામાં 50 કિલો ઘટાડીને બનાવી ફિટ બોડી

સ્થૂળતા એક એવી સામાન્ય સમસ્યા છે જેની સામે મોટાભાગના લોકો ઝઝૂમી રહ્યા છે. બિઝી લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ આદતોના કારણે વજન વધી જાય છે. પરંતુ જો તમે એકવાર નક્કી કરી લો તો વજન ઉતારવું એટલું પણ અઘરું નથી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: પટિયાલામાં રહેતો અને વ્યવસાયે બેંકર 31 વર્ષીય મનપ્રીત સિંહે મજબૂત ઈરાદાથી સાડા સાત મહિનામાં 50 કિલો વજન ઘટાડી દીધું. 5.6 ઈંચ જેટલી ઊંચાઈ ધરાવતા મનપ્રીતનું વજન એકસમયે 127 કિલો હતું પરંતુ હવે તેનું વજન 76 કિલો છે. આ રીતે લીધો વજન ઘટાડવાનો નિર્ણય મને જાણ હતી કે મારું વજન ઝડપથી વધી રહ્યું છે. પરંતુ જ્યારે એક દિવસ મેં મારી સેલ્ફીને ધ્યાનથી જોઈ તો મને લાગ્યું કે હું જાડો થઈ ગયો છું અને મારે જલ્દી કંઈક કરવું જોઈએ. જો કે, વજન ઘટાડવું તે મારા માટે ચેલેન્જ સમાન હતું. પરંતુ મારી તે ખરાબ સેલ્ફી મારા મગજમાંથી નીકળી નહોતી રહી. હવે, હું વધારે જાડો થવા માગતો નહોતો. વજન ઘટાડવા માટે આવો હતો ડાયટ પ્લાન મને લાગે છે કે વજન ઘટાડવા માટે કોઈ શોર્ટ કટ હોતો નથી. એક સારી ફિટનેસ માટે ડાયટ પ્લાન ફોલો કરવું જરૂરી છે. મેં મારા ...

રોજ રાત્રે જમ્યા બાદ ગરમ પાણીમાં એક ચમચી આ મસાલો ઉમેરીને પીવો, વજન ઉતરી જશે

બિઝી લાઈફસ્ટાઈલ અને જંક ફૂડના કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. વજન ઉતારવા માટે લોકો જિમમાં જઈને પરસેવો પાડે છે, એક્સર્સાઈઝ કરે છે. તેમ છતાં ચરબી ઓછી થતી નથી. આ વચ્ચે અમે તમને શીખવી રહ્યા છીએ વજન ઉતારવા માટેના એક પાઉડરની રેસિપી. source https://www.iamgujarat.com/health-news/add-this-powder-in-warm-water-for-weight-loss-538999/

શું મચ્છર કરડવાથી કોરોના વાયરસ એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે?

કોવિડ 19 એટલે કોરોના વાયરસના કારણે લોકોમાં ભય ઊભો થયો છે. ત્યારે તેનાથી કેવી રીતે બચી શકાય તેમજ તે કેવી રીતે ફેલાય છે, તે અંગે લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. આ સિવાય કોરોના વાયરસને લઈને કેટલીક અફવાઓ પણ ઊડી રહી છે, જેમ કે, આવું કરવાથી વાયરસ શરીરમાં પ્રવેશે છે, આમ કરવાથી નથી પ્રવેશતો. આ સમયમાં લોકોને જાગૃત કરવાની દિશામાં અમારું સહયોગી અખબાર અમદાવાદ મિરર કામ કરી રહ્યું છે. તો વાંચકો તરફથી પણ તેને લગતા કેટલાક સવાલ આવી રહ્યા છે, જેમાંથી એક સવાલનો જવાબ અમે તમને અહીં જણાવી રહ્યા છીએ. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વાંચકનો સવાલઃ શું મચ્છર વિવિધ પ્રકારના વાયરસ લાવી શકે છે? શું તે કોરોના વાયરસને પણ ટ્રાન્સમિટ કરવામાં ભૂમિકા ભજવે છે? અમદાવાદમાં હાલમાં કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે મચ્છરના બ્રીડિંગ વધશે. શું આ ચિંતાનું કારણ છે? -શ્રૃતિ પિલ્લઈ, BBA નિષ્ણાતોનો જવાબઃ મચ્છરના કરડવાથી કોરોના વાયરસ ટ્રાન્સમિટ થતો નથી. આજ દિન સુધી મચ્છર દ્વારા કોરોના વાયરસ ટ્રાન્સમિટ થાય છે તેવી કોઈ જ માહિતી કે પૂરાવો નથી. ‘આપણા બધાની જાણ માટે, કોરોના વાયરસ તે...

COVID-19: રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માત્ર હેલ્ધી ખોરાક નહીં આ બાબત પણ જરૂરી

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત્ છે. આખી દુનિયા આ જીવલેણ વાયરસ સામે લડી રહી છે. આ વાયરસથી બચવા માટે હજુ સુધી રસી શોધાઈ નથી એવામાં હાલ તો સુરક્ષિત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે હેલ્ધી ખોરાક ઉપરાંત પૂરતી ઊંઘ પણ જરૂરી છે. હાલમાં જ થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ Tubingenના રિસર્ચ પ્રમાણે, સારી ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચે સંબંધ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ખૂબ ઊંઘવાથી તમે બીમાર નહીં પડો એવું નથી પરંતુ ઓછી ઊંઘ લેવાથી રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર પડી શકે છે. આપણે ઊંઘતા હોઈએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. જો આ હોર્મોન્સ વધી જાય તો T સેલ તરીકે ઓળખાતા ઈમ્યૂન સેલની કાર્યક્ષમતા ઘટી જાય છે. જેથી વાયરસ કે બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. પૂરતી ઊંઘના મળે તો શરીરમાં સાઈટોકાઈન (Cytokines)નું ઓછું ઉત્પાદન થાય છે. સાઈટોકાઈન એક પ્રકારનું પ્રોટીન છે જે ઈન્ફેક્શન સામે અસરકારક રીતે લડવા માટે રોગપ્રતિરાક શક્તિને મજબૂત બનાવે છે...

46 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાય છે મલાઈકા અરોરા, જાણો તેની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ

બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની ઉંમર 46 વર્ષ છે, તેમ છતાં તે 26ની હોય તેવી લાગે છે. સુંદરતાના મામલે તે આજની નવી-નવી હીરોઈનોને પણ પાછળ છોડી દે છે. મલાઈના ફેન્સ હંમેશા જાણવા આતુર હોય છે કે તેની સ્કિન આટલી ગ્લોઈંગ કેવી રીતે દેખાય છે… તો જાણી લો તેનું બ્યૂટી સિક્રેટ. ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ મલાઈકાનું કહેવું છે કે તે હંમેશા સ્ટ્રેસ ફ્રી રહેવાનું પ્રયાસ કરે છે. તેના કહેવા પ્રમાણે આપણું મન સ્કિન પર રિફ્લેક્ટ થાય છે. ખાસ કરીને સ્કિન પર તો અંદર શું ચાલી રહ્યું છે સ્પષ્ટ દેખાઈ આવે છે. તેથી ટેન્શન ઓછું લો અને જીવનને સંતુલિત કરવાનો પ્રયાસ કરો. ઓઈલી પરંતુ ક્લિયર સ્કિન જે લોકોની સ્કિન ઓઈલી હોય છે, તેઓ સ્કિન સંબંધિત પરેશાનીઓથી ઘેરાયેલા રહે છે. પરંતુ મલાઈકાની સ્કિન ઓઈલી હોવા છતાં ફ્લોલેસ રહે છે. આવું કેવી રીતે? આ સવાલના જવાબમાં મલાઈકાનું કહેવું છે કે, ગમે એટલા થાકેલા હો તેમ છતાં રોજ રાત્રે ફેસ વોશ કરીને જ ઊંઘો. સાથે જ નોન ગ્રીસી લૂક માટે ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. ગ્લોઈંગ સ્કિનનું વધુ એક સિક્રેટ મલાઈકાનું કહેવું છે કે તે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત જિમ જાય છે અને ત્યાં બરાબરનો પરેસેવો પાડે...

Myths Vs Facts: ક્યાંક તમને પણ કોરોના વિશે આવા ભ્રમ તો નથી ને?

Image
આવી ભ્રામક વાતો પર વિશ્વાસ ન કરો કોરોના વાયરસ અત્યારે દુનિયા માટે સૌથી મોટી સમસ્યા બની ગયો છે. આ કારણે આ વાયરસ વિશે લોકોમાં અનેક પ્રકાર ગેરસમજણો પણ ઝડપથી ફેલાઈ રહી છે. આવી ગેરસમજણોની સંખ્યા 1 કે 2 નહીં પરતું ઘણી વધુ છે. આ લિસ્ટમાંથી અમે તમારા 12 એવા મિથ્સ અને તેના ફેક્ટ્સ લાવ્યા છીએ જેની હકીકત બધા જાણવા માગે છે… માસ્ક લગાવી કોરોનાથી બચી શકાય છે મિથ 1 – માસ્ક લગાવી કોરોનાથી બચી શકાય છે ફેક્ટ- કોઈપણ સર્જિકલ માસ્ક એ રીતે ડિઝાઈન કરાયું નથી કે, વાયરલ પાર્ટિકલ્સને બ્લૉક કરી શકે પણ તે ઈન્ફેક્ટેડ વ્યક્તિને વાયરસ ફેલાવાથી રોકવામાં મદદ કરી શકે છે. કારણ કે, આ રેસ્પિરેટ્રી ડ્રૉપલેટ્સ (શ્વાસ લેવા અને છીંકવા દરમિયાન નીકળનારી નાનકડી બૂંદો જેમાં વાયરસ હોય છે) તેને ફેલાવાથી રોકે છે. સાબુ નહીં સેનિટાઈઝ સારું મિથ 2- સાબુથી હાથ ધોવાની તુલનામાં હેન્ડ સેનિટાઈઝર વધુ પ્રભાવી છે, આ બીમારીને રોકવામાં ફેક્ટ – સાબુથી હાથ ધોવા દરમિયાન ન માત્ર વાયરસ મરે છે પણ તે ધોવાઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા હાથ પર ડસ્ટ લાગી હોય તો હેન્ડ સેનિટાઈઝરને બદલે સાબુનો ઉપયોગ જ વધુ સારો છે. મચ્છર-માખી અને કોરોના ...

જાણે-અજાણ્યે તમે કલાકમાં કેટલીવાર ચહેરાને સ્પર્શો છો ખબર છે? આંકડો અચંબિત કરશે

દુનિયાભરમાં કોરોના વાયરસનો ફેલાવો થયો છે ત્યારથી તમે સાંભળ્યું હશે કે હાથ વારંવાર ધોવો. તમારા હાથનો ચહેરા પર સ્પર્શ ના થાય તેની કાળજી રાખો. કોરોના વાયરસથી બચવા માટે દર 20 મિનિટ હાથ ધોવાની શિખામણ આપવા પાછળ એક કારણ રહેલું છે. તમે જ્યારે તમારા હાથથી નાક, આંખ કે મોંને સ્પર્શ કરો છો ત્યારે કોરાના વાયરસ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આપણે ખરેખર આપણા ચહેરાને કેટલીવાર અડીએ છીએ? આ સાવ સામાન્ય વાત છે ને ક્યારેય આ બાબત ધ્યાનમાં પણ નહીં આવી હોય. પરંતુ હવે આ જાણવું અગત્યનું બની ગયું છે. આ બાબતે કરવામાં આવેલા સ્ટડીનું પરિણામ જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો સ્ટડી પ્રમાણે, તમે ગમે તેટલીવાર તમારા હાથ સાફ કરો પરંતુ તમારા શરીરમાં ઈન્ફેક્શન જતું અટકાવી શકતાં નથી. એટલે જ તમારા ચહેરાને હાથથી સ્પર્શ ના કરવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જો કે, આ વાત કહેવી સરળ છે પરંતુ અમલમાં મૂકવી મુશ્કેલ છે. ઘણીવાર આપણું ધ્યાન પણ નથી હોતું ને આપણો હાથ ચહેરા પર હોય છે. એક વિશ્વસનીય સૂત્રએ ઓસ્ટ્રેલિયાની મેડિકલ યુનિવર્સિટીના 26...

ધ્યાન રાખો! દૂધ, બ્રેડ કે કરિયાણાની સાથે ક્યાંક કોરોના વાયરસ પણ ઘર સુધી નથી આવી રહ્યો ને?

ન્યૂ દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે પરંતુ ક્યાંક એવું ન થાય કે આપણી બેદરકારીના કારણે આ યોજના નિષ્ફળ જાય. લોકડાઉનમાં લોકોને જરૂરી સામાન મળી રહે તે માટે રાજ્ય સરકારોએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ સાથે જ ખાવા-પીવાના જરૂરી સામાનની દુકાનો પણ ખુલ્લી છે. ધ્યાન એ રાખવાનું છે કે ક્યાંક દૂધ-બ્રેડ ખરીદવાના ચક્કરમાં તમે કોરોના વાયરસને તમારા ઘર સુધી લઈને ન આવો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકારી પગલા સિવાય જનતાનો સપોર્ટ પણ જરૂરી છે. પ્રયાસ કરવો જોઈએ કે તમે ઘરની અંદર જ રહો અને કોઈ સામાન જરૂરી હોય તો તેને ખરીદતી વખતે સાવધાની રાખવી જોઈએ. – પ્રયાસ કરો કે જરૂરિયાતનો સામાન હેલ્પલાઈન પર ફોન કરીને મગાવો અને સ્ટોર પર જવાથી બચો. સ્ટોર પર દિવસ દરમિયાન ઘણા લોકો આવે છે. તેવામાં લેવડદેવડની પ્રક્રિયામાં સંક્રમણનો ખતરો વધારે રહે છે. – બિગ બાજાર અને અન્ય સ્ટોર વોટ્સએપ અથવા ફોન નંબર પર ઓર્ડર લે છે. જો તમારા ઘરે ડિલિવરી બોય આવે છે તો પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે. સામાન લેતા પહ...

શરદી-ઉધરસથી છુટકારો અપાવશે આ દેશી કાવો, જાણી લો બનાવવાની રીત

હાલની સીઝન એવી છે કે મોટાભાગની વ્યક્તિઓને ઉધરસ થઈ ગઈ છે. જેનાથી છુટકાળો મેળવવા માટે તેઓ દવા લેતા હોય છે. પરંતુ દવા લેવા કરતાં શરદી-ઉધરસમાં દેશી ઉપચાર વધારે કામમાં આવે છે. આજે અમને તમને શીખવવા જઈ રહ્યા છીએ અજમાનો કાવો બનાવવાની રીત. જે પીવાથી શરદી-ઉધરસથી મુક્તિ મળશે. source https://www.iamgujarat.com/health-news/how-to-make-kadha-at-home-easily-538417/

વાયરસ સામે લડવા માટે આ રીતે બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક, ભૂખ્યા પેટે પીવાથી થશે લાભ

કોરોના વાયરસ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી જરૂરી છે. જે માટે તમારે ખાવા-પીવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને શીખવી રહ્યા છીએ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક બનાવવાની રીત. જે પીવાથી તમે સ્વસ્થ રહેશો source https://www.iamgujarat.com/health-news/coronavirus-how-to-make-immunity-booster-drink-538419/

અસ્થમાના દર્દી માટે કેટલો ખતરનાક છે કોરોના વાયરસ?

Image
કોરોના વાયરસનો ચેપ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો જેના કારણે ભારત સરકારે પૂરા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં એવું જાણવા મળ્યું કે અસ્થમાના દર્દીઓ માટે કોરોના વાયરસ કેટલો ખતરનાક છે. જે કોઈ વ્યક્તિ શ્વાસ સાથે જોડાયેલી કોઈ બીમારીથી પીડિત છે તેણે આ રિપોર્ટ ખાસ વાંચવો રહ્યો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો અસ્થમાની બીમારી શું છે? અસ્થમાની બીમારીને દમના રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેઓમાં આ બીમારી જોવા મળે છે. શ્વાસનળીમાં જો થોડો બ્લોકેજ હોય તેના કારણે આવું થાય છે. અસ્થમાનો દર્દી જ્યારે શ્વાસ લે છે ત્યારે તેના ફેફ્સા સુધી પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચી નથી શકતો અને અસ્થમાના દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય છે. અસ્થમાના દર્દીઓને કોરોના વાયરસથી કેટલો ખતરો? અસ્થમાના દર્દી માટે કોરોના વાયરસ ખૂબ જ જોખમી છે કારણકે કોરોના વાયરસ રેસ્પિરેટરી (Respiratory) એટલે કે શ્વસન સિસ્ટમને નુકસાન પહોંચાડે છે અને અસ્થમાનો રોગ શ્વસન સિસ્ટમ સાથે જોડાયેલો છે. અસ્થમાના દર...

લોકડાઉનમાં ઉદાસીને મન-મગજ પર હાવી ના થવા દો, માનસિક સ્વાસ્થ્ય માટે આટલું કરો

COVID-19એ આખી દુનિયામાં તરખાટ મચાવ્યો છે. લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને હજારોએ જિંદગી ગુમાવી છે. તો વિશ્વના અબજો લોકો ઘરમાં બંધ થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. સામાન્ય રીતે નોકરી-ધંધામાંથી રજા મેળવવા કે પરિવારને સમય ના આપી શકતાં લોકો ‘કાશ ઘરે રહી શકતા હોત તો કેવું સારું’ એવું કહેતા હોય છે. પરંતુ ફરજિયાતપણે હવે ઘરમાં રહેવાનું આવ્યું છે ત્યારે લોકોને ઉદાસીનતા ઘેરી વળી છે. કોરોનાથી બચવા ઘરે રહીને શારીરિક સ્વાસ્થ્ય તો સારું રહેશે પરંતુ માનસિક સ્વાસ્થ્યનું શું? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કોરોના વાયરસના ભય અને લોકડાઉનની સ્થિતિમાં લોકોના મનમાં નેગેટિવિટી ઘર કરી રહી છે. લોકોના મગજમાં આ વાયરસથી બીમાર પડીને મરવાનો ડર ભરાઈ ગયો છે. આખો દિવસ ટીવી અને સોશિયલ મીડિયા પર સતત કોરોના વાયરસ વિશે જોતા અને વાંચતા લોકો વધુ પડતી સ્વચ્છતા રાખતા થઈ ગયા છે. લાઈફસ્ટાઈલમાં એકાએક આવેલા આ પરિવર્તનને કારણે યુવાનોથી માંડીને વૃદ્ધોના મગજ પર વિપરીત અસર થઈ રહી છે. લોકડાઉન...

કોરોના સામે લડવા ખાઓ આ ફળો અને શાકભાજી, વધશે શરીરની રોગપ્રતિકારક શક્તિ

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 4 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે 18 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તે જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફળો, શાકભાજી ઉપરાંત અન્ય કેટલાક પદાર્થોનું સેવન જરૂરી છે. અહીં તમને આવા જ કેટલાક ફળ અને શાકભાજી વિશે માહિતી આપીશું જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો લીલા શાકભાજી: પાલક, બ્રોકોલી સહિતના લીલા શાકભાજીમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ (phytonutrients) રહેલા છે. ઉપરાંત, શુગર લેવલ ઓછું, ફાયબર અને વિટામિનનું પ્રમાણ વધારે હોય છે. ફળો: મોટાભાગના ફળોમાં ફેટ, સોડિયમ અને કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. ફળોમાં વિટામિન C, A ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હાલ વિટામિન C ધરાવતી વસ્તુઓનું સેવન વધારે કરવું. લસણ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સ્પષ્ટ કર્યું છે કે લસણમાં એન્ટીમાઈક્રોબાયોકલ પ્રોપર્ટી હોવા છતાં તે કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે તેવા કોઈ પુરાવા મળ્યા...

સામે આવ્યા કોરોના વાયરસના કેટલાક નવા લક્ષણ

કોરોના વાયરસ હાલમાં દુનિયા માટે એક નવી બીમારી છે. એટલે દુનિયાભરના મેડિકલ સ્પેશ્યાલિસ્ટ તેને લઈને સતત જાણકારી મેળવી રહ્યા છે. Center For Disease Control and Prevention (CDC)ના નવા રિપોર્ટ મુજબ, જો આ બીમારી દરમિયાન કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન 100.4 ડિગ્રી ફેરનહિટ કે 38 ડિગ્રી સેલ્સિયસ છે, સાથે જ ઉધરસ અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે, તો એ લોકોએ ઘરમાંથી બિલકુલ બહાર નીકળવું ન જોઈએ. સાથે જ અન્ય લોકોથી 6 ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial સૌથી સામાન્ય લક્ષણ સાર્સ કોરોના વાયરસ-2થી ગ્રસ્ત લોકોમાં તાવ, થાક અને સૂકી ઉધરસ આવવી સૌથી સામાન્ય લક્ષણ છે. પરંતુ, કેટલાક દર્દીઓમાં નાક વહેવું, ગળામાં સોજો અને દુઃખાવો, નાક બંધ થવું કે નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીરમાં સોય વાગતી હોય તેવું થવું અને દુઃખાવો થવો, ડાયેરિયાની સમસ્યા થવી પણ સામેલ છે. 80 ટકા કેસ માઈલ્ડ હોય છે કોવિડ-19 પીડિત દર્દીઓમાં 80 ટકા કેસ માઈલ્ડ હોય છે, જે એક રેગ્યુલર કોલ્ડની જેવો અનુભવ કરાવે છે અને રીકવર થઈ જાય...

સાબુ Vs હેન્ડ સેનિટાઈઝરઃ કોરોના વાયરસ સામે લડવા સ્કિન માટે બંનેમાંથી શું શ્રેષ્ઠ છે?

કોરોના વાયરસના કારણે લોકો ભય હેઠળ જીવી રહ્યા છે. દેશના મોટાભાગના રાજ્યો લોકડાઉન છે. લોકોને સાવચેતી અને સલામતી માટે ઘરમાં જ બંધ રહેવાનું કહેવાઈ રહ્યું છે. આ સિવાય કોરોનાથી બચવા માટે વારંવાર સ્વચ્છ પાણી, સાબુ તેમજ સેનિટાઈઝરથી હાથ ધોવા માટે સરકાર, અધિકારીઓથી લઈને સેલેબ્સ પણ અપીલ કરી રહ્યા છે. આ વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે, વાયરસની ચપેટથી બચવા માટે સ્કિન માટે સાબુ તેમજ હેન્ડ સેનિટાઈઝરમાંથી શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: – નિષ્ણાતોનું કહેવું છે કે COVID 19થી બચવા માટે સાબુ અસરકારક રીતે કામ કરે છે – સાબુ ફેટી લેયરને ઓગાળી દે છે, જે કોરોના વાયરસને કોટ કરે છે – જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર અને થોડા ઘસીને હાથ ધોવે તો જ સાબુ અને પાણી કામ કરે છે. વિજ્ઞાન શું કહે છે? વાયરસના 3 ઘટકો છે – ન્યૂક્લીક એસિડ જેનોમિ – પ્રોટીન – ફેટી આઉટર લેયર ઓફ લિપિડ -સાબુ વાયરસના આસપાસનું લિપિડ લેયર તોડી શકે છે – સાબુથી 15થી 20 સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ તો શું હેન્ડ સેનિટાઈઝર કોરોના વાયરસ સામે નથી લડી શકતું? – કોરોના વાયરસ સામે લડવા મ...

ડરને કરો દૂર, જાણી લો કોરોના સાથે જોડાયેલા 8 ફેક્ટ્સ

Image
જંગ કોઈ ચેપી રોગ સામે હોય કે આર્મી સામે, જ્યાં સુધી બધા એક જ દિશામાં સાથે મહેનત ન કરે, લડાઈ મુશ્કેલ હોય છે. Covid-19ની સામે ચાલી રહેલા જંગ આપણો દેશ જીતી જાય તે માટે અમને તમારા માટે આ બીમારી અને કોરોના વાયરસ સાથે સંલગ્ન વધુમાં વધુ જાણકારી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં જાણો, એવી જ જરૂરી વાતો, જે તમને જાણતા હોવા જોઈએ… હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial ઝડપથી ફેલાય તેવી સ્થિતિ એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો કોરોના પોઝિટિવ હોય છે, તેમાં આ વાયરસના ફેલાવાની ગતિ સિમ્પ્ટમ્સ શો થાય તે પહેલા ઘણી વધારે હોય છે. એટલે કે તે હાઈલી કોન્ટેજિયસ હોય છે, એ સ્થિતિમાં જ્યારે તેમનામાં લક્ષણ નજર આવતા નથી અને તેમના દ્વારા આ વાયરસ ઘણો ઝડપથી અન્ય લોકોમાં ફેલાતો જાય છે. ઈન્ફેક્શનના ચાન્સ ખતમ કોઈ વ્યક્તિમં કોવિડ-19ના સિમ્પ્ટમ્સ આ વાયરસ તેમની બોડીમાં એન્ટ્રી કરવાના 2થી 14 દવિસની વચ્ચે નજર આવે છે. સાથે જ એવું પણ જોવાયું છે કે સિમ્પ્ટમ્સ આવ્યા બાદ 8થી 10 દિવસ સુધી વ્યક્તિ કોન્ટેજિયસ રહે છે. તે પછી તેના દ્વારા ઈન્ફેક્શન લાગવાનો...

બીજુ કંઈ જાણતા હોવ કે નહીં પણ કોરોના અંગે આટલી વાત તો ખબર હોવી જ જોઈએ

કોરોના વાયરસથી ડરવાની નહીં પરંતુ તેનો મજબૂતીથી સામનો કરવાની જરુરત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે આ પહેલા કોરોના કરતા પણ વધુ ઘાતક બીમારીઓ સામે લડીને જીતી ચૂક્યા છે. જેમ કે સાર્સ અને ઈબોલા. આ બંને રોગ એવા છે તેનો હજુ સુધી કોઈ નિશ્ચિત અને પરમેનન્ટ ઈલાજ વિકસિત નથી થયો પરંતુ દ્રઢ ઈચ્છાશક્તિ અને સતર્કતાના કારણે માનવ જાતે આ બંને રોગને અટકાવવામાં સફળતા મેળવી છે. હવે આ નવા કોરોના વાયરસને હરાવવાનો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: કોરોનાનું પૂરું નામ કોરોના વાયરસ એ હકીકતમાં વાયરસનું સાચું અને પૂરું નામ નથી. વાયરસનું સાચું નામ SARS- corona virus-2 છે. જ્યારે covid-19 તેની બીમારીનું નામ છે, માટે કન્ફ્યુઝન ન રાખવું. સાર્સ પણ આવું જ એક સંક્રમણ હતું જે શ્વાસ દ્વારા ખૂબ જ જલદી ફેલાતું હતું. જેનું નામ સીવિયર એક્યુટ રેસપિરેટ્રી સિંડ્રોમ(Severe Acute Respiratory Syndrome) છે. સાર્સ એ માટે રહ્યો વધુ ઘાતક સાર્સના ફેલાવાનો દર સાર્સ કોરોના વાયરસ-2 કરતા ક્યાં વધારે હતો તેમજ આ કોરોના કરતા પણ વધારે ઘાતક હતો. તેનું મૃત્યુદર 10 ટકા હતો. એટલે કે જેમને પ...

સાબુ કે સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોવાથી સ્કિન ડ્રાય થઈ ગઈ છે, તો ઘરેલું નુસખા અજમાવો

હાલ ફેલાયેલી વાયરલ બીમારીના કારણે સાફ-સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેવામાં આ વાયરસ હાથથી ન ફેલાય તે માટે વારંવાર હાથ ધોવાની તેમજ સેનિટાઈઝ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ વારંવાર સાબુથી હાથ ધોવાથી કે સેનિટાઈઝ કરવાથી સ્કિન ડ્રાય થઈ જાય છે. તેનાથી રાહત મેળવવા માટે કેટલાક નુસખા આજે જણાવી રહ્યા છીએ. source https://www.iamgujarat.com/health-news/home-remedies-for-soft-skin-536877/

પાણીમાં 1 ચમચી આ પાઉડર મિક્સ કરીને પીવો, તમામ પ્રકારના ઈન્ફેક્શનથી બચી શકશો

Image
આખી દુનિયા હાલ કોરોના વાયરસનો સામનો કરી રહી છે. સરકારની સાથે બોલિવુડ સેલેબ્સ પણ સતત લોકોને સાવધાન રહેવાની અપીલ કરી રહ્યા છે. સાથે જ ઘરમાં કેવી રીતે સ્વસ્થ રહેવાય તેના ઉપાય સૂચવી રહ્યા છે. ત્યારે બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ કેમ પાછળ રહે? બિપાશાએ રોગપ્રતિકારક શક્તિ વધારતું ડ્રિંક બનાવવાની રેસિપી શેર કરી છે. તમે સરળતાથી જ આ રેસિપી ઘરે બનાવી શકો છો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:   View this post on Instagram   Have 1 tsp of this powder with hot water… or add to your dal everyday.It’s simple #immunitybooster #loveyourself #loveall #wecandothis A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on Mar 18, 2020 at 2:09am PDT આ ઈમ્યૂનિટી બુસ્ટર પાઉડરની મદદથી તમે ઘણા પ્રકારના વાયલ ઈન્ફેક્શનથી બચી શકો છો. આ પાઉડર બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં ઔષધીય ગુણ રહેલા છે. જે રોગપ્રતિરાક શક્તિ વધારવામાં મદદ કરે છે. ક્વોરન્ટીન પીરિયડ દરમિયાન તમે આ પાઉડર ઘરે બનાવીને ઉપયોગમાં લઈ શકો છો અને કોરોના સામે લડ...

કોરોના વાયરસથી પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ ખતરો, WHOએ સૂચવ્યા બચવાના ઉપાયો

કોરોના વાયરસથી મોતને ભેટલા લોકોનો આંકડો 13000ને પાર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના 327 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસથી વૃદ્ધો અને બાળકોની સાથે ગર્ભવતી મહિલાઓને પણ ખતરો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોના વાયરસથી ગર્ભવતી મહિલાઓ કેવી રીતે રક્ષણ મેળવી શકે તેના ઉપાયો સૂચવ્યા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: WHO અનુસાર ગર્ભવતી મહિલાઓએ કોરોના વાયરસથી બચવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતોનું ધ્યાન રાખશો તો ગર્ભવતી મહિલાઓ પોતાની સાથે ગર્ભમાં રહેલા બાળકને પણ સુરક્ષિત રાખી શકશે. નીચે જણાવેલી ચાર બાબતોનું ગર્ભવતી મહિલાઓએ કડકાઈથી પાલન કરવું જોઈએ. – નિયમિત રૂપે સાબુ અથવા સેનિટાઈઝરથી હાથ ધોવો. – આંખ, મોં, નાકને હાથ ના લગાવો. – અન્ય લોકોથી નિશ્ચિત અંતર જાળવો. – ઉધરસ કે છીંક ખાતા પહેલા હાથ, ટિશ્યૂ કે રૂમાલ અવશ્ય સાથે રાખો. WHOએ ગર્ભવતી મહિલાઓને સલાહ આપી છે કે, શરીર તાવથી ધગધગતું હોય, શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. કોરોના વાયરસના લક્ષણ દેખાય તો 2 અઠવાડિયા સુધી પોતાને આ...

આ વેજિટેબલ જ્યૂસ પીવાથી વધશે તમારી રોગપ્રતિકારક ક્ષમતા, વાયરલ બીમારી પણ રહેશે દૂર

કોરોના વાયરસે પૂરી દુનિયાને હચમચાવી મૂકી છે. તેવામાં તેનાથી બચવા માટે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. આ સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત હોવી જરૂરી છે. જેથી, વાયરસની ચપેટમાં આવતા બચી શકાય. તો આજે અમે તમને શીખવવા જઈ રહ્યા છીએ, એક એવા વેજિટેબલ જ્યૂસની રેસિપી જે નિયમિત પીવાથી તમારી ઈમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત થશે અને વાયરસ તમારી આજુબાજુ ફરકશે પણ નહીં. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સામગ્રી 2 નંગ ટામેટા 1 નંગ ગાજર 100 ગ્રામ દૂધી 1 નંગ બીટ 1 મોટી ચમચી લીંબૂનો રસ 4-5 ફુદીનાના પાન મીઠું અને ચાટ મસાલો સ્વાદાનુંસાર બનાવવાની રીતઃ સૌ પ્રથમ બધા શાકભાજીને સ્વચ્છ પાણીમાં સારી રીતે ધોઈ લો. હવે, તેના નાના-નાના ટુકડાં કરી લો. આ બધા શાકભાજી તેમજ ફુદીનાને જ્યૂસર અથવા મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો. બનાવવાની રીતઃ જ્યૂસને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં લીંબૂનો રસ, મીઠું અને ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો. આ જ્યૂસને થોડીવાર માટે ફ્રિજમાં મૂકીને ઠંડુ થવા દો. તો તૈયાર છે જ્યૂસ. આ જ્યૂસ તમે પણ પીઓ અને તમારા પરિવારજનોને પણ પી...

આ 3 વસ્તુઓને ભેગી કરીને તમે ઘરમાં જ બનાવી શકશો હેન્ડ સેનિટાઇઝર

નવી દિલ્હીઃ ચીનથી શરું થયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ ગયો છે. 11 હજાર કરતા વધારે લોકો તેના ભોગ બન્યા છે જ્યારે લાખો લોકો આ વાયરસના સંક્રમણના કારણે હોસ્પિટલોમાં ભરતી છે. તેવામાં દેશમાં સેનિટાઇઝર અને માસ્કની અછત વર્તાઈ રહી છે. આ વાયરસ સામે હાલ કોઈ રસી ન હોવાના કારણે લોકોને સંક્રમણથી બચવા માટે સતત પોતાના હાથ સેનિટાઈઝ કરવાનું કહેવામાં આવી રહ્યું છે તેવામાં જો તમને પણ ઓનલાઈન કે મેડિકલમાં સેનિટાઇઝર નથી મળી રહ્યું તો તમે પણ ઘરે આ રીતે સેનિટાઇઝર બનાવી શકો છો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જો તમને પણ બજારમાં હેન્ડ સેનિટાઇઝર નથી મળી રહ્યા અને જ્યાં મળે છે તે મોંઘા સેનિટાઇઝરની ખરીદીથી બચવા માગતા હોવ તો ઘરે જ આ રીતે સેનિટાઇઝર બનાવી લો. અહીં અમે તમને આજે જણાવી રહ્ય છે હેન્ડ સેનિટાઇઝર જેલ અને સ્પ્રે તૈયાર કરવાની રીતે. હેન્ડ સેનિટાઈઝર જેલ આ વસ્તુઓ જોઈશે – આઇસોપ્રોપિલ આલ્કોહોલ – એલોવેરા જેલ – ટી ટ્રી ઓઇલ આ રીતે બનાવો. એક ભાગ એલોવેરા જેલમાં ત્રણ ભાગ આઈસોપ્રોપિલ આલ્કોહોલ ભેળવો. સુગંધ મટે તેમાં કેટલાક ટીપા ટ ટ્રી ઓઇલ નાખો. બસ તમારું હેન્...

બાબા રામદેવે સૂચવેલા આ 4 પ્રાણાયામ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે

Image
રોગપ્રતિકારક શક્તિ કોઈ વ્યક્તિના શરીર માટે સુરક્ષા કવચ સમાન છે. રોગપ્રતિકાક શક્તિ શરીરને વિવિધ પ્રકારની બીમારીઓથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરદી-ઉધરસથી માંડીને ઘણા પ્રકારની ઈન્ફેક્શનથી ફેલાતી બીમારીઓ દૂર રહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે પ્રાણાયામની મદદ લઈ શકો છો. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન દ્વારા પણ કહેવાયું છે કે, લોકો યોગ થકી ઈમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત બનાવી શકે છે. અહીં બાબા રામદેવ સૂચિત 4 પ્રાણાયમ જણાવીશું જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો અનુલોમ વિલોમ અનુલોન વિલોમ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ઉપરાંત શરદી-ખાંસીની સમસ્યા પણ દૂર કરી શકાય છે. સાથે જ તમારું શ્વસનતંત્ર પણ સક્રિય રીતે કામ કરે છે. કેવી રીતે કરશો? – સૌથી પહેલા યોગ મેટ (આસન) પાથરીને તેના પર બેસી જાવ. – હવે એક હાથથી નાકના એક છિદ્રને બંધ કરો અને બીજી તરફના છિદ્રથી ઊંડો શ્વાસ લો. – હવે જે છિદ્ર ખુલ્લું હતું તેને બંધ કરો અને અગાઉ બંધ કરેલું છિદ્ર ખોલીને શ્વાસ બહાર ક...

ગુજરાતમાં covid19 પોઝિટીવ કેસઃ કોરોનાથી ડરવાની જરુર નથી બસ થોડી સાવધાની રાખોઃ ડોક્ટર્સ

અમદાવાદઃ ગુરુવારે ગુજરાત પણ ભારતના એ રાજ્યના લિસ્ટમાં સામેલ થઈ ગયું જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય. જોકે ડોક્ટર્સ અને આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે ચિંતા કરવાની જરુર નથી પરંતુ આરોગ્યનું જાળવણી, ચોખ્ખાઈ, ઉધરસ-છીંક ખાતા સમયે સાવધાની અને કોઈને મળવાથી બચવા જેવા ઉપાયથી આ ખૂબ જ ચેપી રોગથી બચી શકાય છે. જોકે આ સાથે જ ડોક્ટરે ચેતવણીના સૂરમાં કહ્યું કે કોવિડ-19ના કોઈપણ લક્ષણ જો તમને જણાય તો તેવી સ્થિતિમાં તાત્કાલિક ધોરણે ડોક્ટર અને હેલ્થ ઓથોરિટીનો સંપર્ક કરો. જેથી કરીને એકબીજાના સંપર્કથી લાગતો ચેપ તાત્કાલિક ધોરણે અટકાવી શકાય અને બીમારીને મોટાપાયે ફેલાતા રોકી શકાય. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ચેપી રોગ નિષ્ણાંત ડો. સંકેત માંકડે કહ્યું કે, ‘ડરવાની જરુર નથી પરંતુ તમામ પ્રકારે સાવચેતી અને આગમચેતીના પગલા લેવા ખૂબ જ જરુરી છે. જો કોઈને પણ કોવિડ-19ની જેમ શરદી, તાવ, કફ અને ઉધરસ સાથે શરીરના દુખાવાના લક્ષણો દેખાય તો તેમણે સૌથી પહેલા પોતાની જાતને ઘરમાં જ ક્વોરન્ટીન કરી દેવી જોઈએ. જે બાદ ડોક્ટર અને આરોગ્ય અધિકારીઓને તેની જાણ કરવી જોઈએ. તેમજ જો ...

સમોસા-વેફર ખાઈને થઈ ગયું હતું 92 કિલો વજન, નાના ભાઈમાંથી પ્રેરણા લઈને બન્યો ફિટ

ફિટનેસ જર્નીમાં આજે વાત કરીશું મૃદુલ રાજપૂતની. જેણે ખૂબ મહેનત કરીને પોતાના બોડીને શેપમાં લાવી છે. 27 વર્ષનો મૃદુલ કન્ટેન્ટ રાઈટર છે, જિમમાં પરસેવો પાડીને અને ડાયટ ફોલો કરીને તે ફેટ ટુ ફિટ બન્યો છે. એક વર્ષની અંદર તેણે 26 કિલો વજન ઘટાડ્યું છે. મૃદુલના કહેવા પ્રમાણે, તે શરૂઆતથી જ ખાવા-પીવાનો શોખીન હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: તેણે કહ્યું કે, ‘2016માં જ્યારે હું એક પ્રાઈવેટ કંપનીમાં નાઈટ શિફ્ટ કરતો હતો, તે સમયે એક જ વારમાં 2-3 સમોસા, 1-2 પ્લેટ પૌંઆ, બ્રેડ પકોડા અને 1-2 ચિપ્સના પેકેટ ખાતો હતો. એટલે કે મારી લાઈફ જંક અને ફાસ્ટ-પ્રોસેસ્ડ ફૂડ પર નિર્ભર હતી. ઘણા દિવસ સુધી આમ ચાલતું રહ્યું અને મારૂં વજન 92 કિલો થઈ ગયું હતું’. પરંતુ એવું શું થયું જેણે મૃદુલને પૂરી રીતે ફિટ થવા માટે મજબૂર કર્યો. આજે મૃદુલ તે દર વ્યક્તિ માટે પ્રેરણારૂપ બની ગયો છે જે લાંબા સમયથી વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તમે પણ તેમાથી છો તો તેની ટ્રાન્સફોર્મેશન સ્ટોરી વિશે જાણો… કોણ છે મૃદુલ રાજપૂત અને હાલ શું કરે છે? નામઃ મૃદુલ રાજપૂત ઉંમરઃ 27 વર્ષ પ્રોફેશનઃ...

આ બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતા વધુ, મોતનું જોખમ પણ વધારે

કોરોના વાયરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં લાખો લોકો સંક્રમિત થયા છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે દરેક વ્યક્તિ આ વાયરસથી બચવા માગે છે. તે માટે જરૂરી સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. આ દરમિયાન એક નવું રિસર્ચ સામે આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, કયા બ્લડ ગ્રુપના વ્યક્તિને કોરોના વાયરસ થવાનો ખતરો વધારે અને કોને ઓછો છે. ચીનના હુબેઈના જિનઈંતાન હોસ્પિટલના રિસર્ચરોએ આ વાતનો ખુલાસો કર્યો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો રિસર્ચમાં સામે આવ્યું છે કે, A બ્લડગ્રુપ ધરાવતા લોકો કોરોના વાયરસથી ઝડપથી સંક્રમિત થઈ જાય છે. જ્યારે O બ્લડગ્રુપ ધરાવતા લોકોને સંક્રમિત થવામાં વાર લાગે છે. ચીનના વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ વુહાનમાં કર્યું હતું. વુહાન ચીનના હુબેઈની રાજધાની છે. અહીંથી જ આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો છે. વુહાનમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી સંક્રમિત 2173 લોકોને રિસર્ચમાં સામેલ કર્યા હતા. જેમાંથી 206ના મોત કોરોના વાયરસને કારણે થયા હતા. આ લોકો હુબેઈની ત્રણ હોસ્પિટલોમાં દાખલ હતા. કોરોના વા...

જમતી વખતે તમારા બાળકને મોબાઈલ મચેડવાની આદત છે? તો થઈ શકે છે મુશ્કેલી

બાળક ખાસ કરીને નાનું હોય ત્યારે તેમને સમય પર ખવડાવું અઘરૂં કામ છે. મોટાભાગના બાળકોને તો દાળ-ભાત કે શાક-રોટલી ભાવતા નથી. આવા સમયે મમ્મીઓ તેમને સ્ટોરી સંભળાવીને કે મોબાઈલ આપીને ધ્યાન દોરે છે અને બાળક પણ હાથમાં મોબાઈલ આવતા આનાકાની કર્યા વગર ખાઈ લે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: જો તમારા બાળકને પણ જમતી વખતે મોબાઈલ પર ગેમ રમવાની આદત હોય તો તમારે સાવચેત થવાની જરૂર છે. શોધકર્તાઓનું માનવું છે કે જમતી વખતે વીડિયો ગેમ રમવાથી બાળકના હેલ્થ પર ખરાબ અસર પડે છે. જાણો, શું કહે છે રિસર્ચ.. જમતી વખતે કેમ ન રમવી જોઈએ ગેમ? જો તમે વિચારી રહ્યા છો કે, રમવામાં બાળકનું ધ્યાન દોરવાથી તેઓ વધારે જમશે, તો તમે ભૂલ કરી રહ્યા છો. જમતી વખતે ગેમ રમવાથી તેની હેલ્થ પર નકારાત્મક અસર પડે છે. બાળક રમવામાં વ્યસ્ત થઈ જાય છે અને તેની ભોજન કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. શું કહે છે રિસર્ચ? જયારે 119 યુવકોએ 15 મિનિટ સુધી કોમ્પ્યુટર પર ગેમ રમતા-રમતા ભોજન કર્યું તો તેઓ અન્યની સરખામણીમાં ઓછું જમ્યા. આ સ્ટડી જરનલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થઈ, જેમાં ભાગ લેનારાઓનું બે અલગ-અલ...