બાબા રામદેવે સૂચવેલા આ 4 પ્રાણાયામ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે
રોગપ્રતિકારક શક્તિ કોઈ વ્યક્તિના શરીર માટે સુરક્ષા કવચ સમાન છે. રોગપ્રતિકાક શક્તિ શરીરને વિવિધ પ્રકારની બીમારીઓથી બચાવે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરદી-ઉધરસથી માંડીને ઘણા પ્રકારની ઈન્ફેક્શનથી ફેલાતી બીમારીઓ દૂર રહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે પ્રાણાયામની મદદ લઈ શકો છો. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન દ્વારા પણ કહેવાયું છે કે, લોકો યોગ થકી ઈમ્યૂન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) મજબૂત બનાવી શકે છે. અહીં બાબા રામદેવ સૂચિત 4 પ્રાણાયમ જણાવીશું જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
અનુલોમ વિલોમ

અનુલોન વિલોમ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ઉપરાંત શરદી-ખાંસીની સમસ્યા પણ દૂર કરી શકાય છે. સાથે જ તમારું શ્વસનતંત્ર પણ સક્રિય રીતે કામ કરે છે.
કેવી રીતે કરશો?
– સૌથી પહેલા યોગ મેટ (આસન) પાથરીને તેના પર બેસી જાવ.
– હવે એક હાથથી નાકના એક છિદ્રને બંધ કરો અને બીજી તરફના છિદ્રથી ઊંડો શ્વાસ લો.
– હવે જે છિદ્ર ખુલ્લું હતું તેને બંધ કરો અને અગાઉ બંધ કરેલું છિદ્ર ખોલીને શ્વાસ બહાર કાઢો.
– હવે નાકના જે છિદ્ર દ્વારા શ્વાસ બહાર કાઢ્યો તે જ છિદ્રથી શ્વાસ લો. હવે નાકના આ છિદ્રને બંધ કરો અને નાકનું બીજું છિદ્ર ખોલીને શ્વાસ બહાર કાઢો.
– આ પ્રાણાયામને પાંચ મિનિટ સુધી કરો. જો કે, તમે શરૂઆત કરતા હો તો 10 વાર કરો. પછી ધીમે-ધીમે સમય વધારવો.
ઉદ્રિત

આ પ્રાણાયામને સવાર-સાંજ કરી શકો છો. આ પ્રાણાયામ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
કેવી રીતે કરશો?
– ઘરે યોગના આસન પર બેસી જાવ.
– હવે યોગ મુદ્રાની સ્થિતિમાં બેસો.
– હવે એક ઊંડો શ્વાસ લો.
– ॐ નું ઉચ્ચારણ કરતાં કરતાં ધીમે-ધીમે નાક દ્વારા શ્વાસ છોડો.
– આ પ્રાણાયામને પાંચ મિનિટ સુધી કરી શકો છો.
ભ્રામરી

ભ્રામરી વિશે તમે સાંભળ્યું હશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાની વાત આવે ત્યારે ભ્રામરી પ્રાણાયામ તમારી રોગપ્રતિકારક શક્તિને અનેક ઘણી મજબૂત બનાવી શકે છે.
કેવી રીતે કરશો?
– ભ્રામરી પ્રાણાયામ માટે ઘરના એક શાંત ખૂણે બેસી જાવ.
– હવે હાથને મોં પર રાખો અને તમારા બંને કાન અંગૂઠાથી બંધ કરી દો.
– બંને તર્જની આંગળીઓને પોતાના માથા પર મૂકો અને બાકીની આંગળીઓથી આંખ બંધ કરી લો.
– એક ઊંડો શ્વાસ લઈને ॐ નું ઉચ્ચારણ કરો અને નાકથી શ્વાસ છોડો.
– આ પ્રાણાયામને 5-7 મિનિટ સુધી કરી શકો છો.
કપાલભાતિ

કપાલભાતિ દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે. કપાલભાતિ કરવાથી શ્વસનતંત્ર સક્રિય રૂપે કાર્ય કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
કેવી રીતે કરશો?
– યોગના આસન પર બેસી જાવ.
– હવે નાક દ્વારા શ્વાસ લો અને પેટ પર દબાણ આપીને ઝડપથી શ્વાસ છોડો.
– 2-3 મિનિટ સુધી આ ક્રિયા કરો. ત્યારબાદ થોડીવાર આરામ કરો અને ફરીથી આ ક્રિયા કરો.
નોંધ- જો તમે અગાઉ ક્યારેય પ્રાણાયમ કે યોગ કર્યા ના હોય તો નિષ્ણાત પાસેથી શીખીને કરવા.
વારંવાર બીમાર પડી જતા હો તો આટલું કરો, રોગપ્રતિકારક શક્તિ વધશે
source https://www.iamgujarat.com/health-news/pranayama-to-improve-immune-system-536074/
Comments
Post a Comment