ડરને કરો દૂર, જાણી લો કોરોના સાથે જોડાયેલા 8 ફેક્ટ્સ
જંગ કોઈ ચેપી રોગ સામે હોય કે આર્મી સામે, જ્યાં સુધી બધા એક જ દિશામાં સાથે મહેનત ન કરે, લડાઈ મુશ્કેલ હોય છે. Covid-19ની સામે ચાલી રહેલા જંગ આપણો દેશ જીતી જાય તે માટે અમને તમારા માટે આ બીમારી અને કોરોના વાયરસ સાથે સંલગ્ન વધુમાં વધુ જાણકારી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અહીં જાણો, એવી જ જરૂરી વાતો, જે તમને જાણતા હોવા જોઈએ…
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial
ઝડપથી ફેલાય તેવી સ્થિતિ
એવું જોવામાં આવ્યું છે કે, જે લોકો કોરોના પોઝિટિવ હોય છે, તેમાં આ વાયરસના ફેલાવાની ગતિ સિમ્પ્ટમ્સ શો થાય તે પહેલા ઘણી વધારે હોય છે. એટલે કે તે હાઈલી કોન્ટેજિયસ હોય છે, એ સ્થિતિમાં જ્યારે તેમનામાં લક્ષણ નજર આવતા નથી અને તેમના દ્વારા આ વાયરસ ઘણો ઝડપથી અન્ય લોકોમાં ફેલાતો જાય છે.
ઈન્ફેક્શનના ચાન્સ ખતમ
કોઈ વ્યક્તિમં કોવિડ-19ના સિમ્પ્ટમ્સ આ વાયરસ તેમની બોડીમાં એન્ટ્રી કરવાના 2થી 14 દવિસની વચ્ચે નજર આવે છે. સાથે જ એવું પણ જોવાયું છે કે સિમ્પ્ટમ્સ આવ્યા બાદ 8થી 10 દિવસ સુધી વ્યક્તિ કોન્ટેજિયસ રહે છે. તે પછી તેના દ્વારા ઈન્ફેક્શન લાગવાનો ચાન્સ લગભગ ખતમ થઈ જાય છે.
ચેપનો વધુમાં વધુ ફેલાવો
જો માની લેવામાં આવે કે કોઈ વ્યક્તિમાં 14મા દિવસે આ બીમારીના લક્ષણ નજર આવે છે અને આગામી 8થી 10 દિવસ તે વ્યક્તિ કોન્ટેજિયસ રહેવાનો છે, તો કુલ મળીને એક સંક્રમિત વ્યક્તિ 22થી 24 દિવસ સુધી આ બીમારીને ફેલાવાની ક્ષમતા રાખે છે.
શરીરમાં કોરોનાની અવધિ
એક અન્ય સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, આ વાયરસ એક વ્યક્તિના શરીરમાં વધુમાં વધુ 20 દિવસ રહે છે, જ્યારે કે કેટલાક કેસમાં તે એક વ્યક્તિના શરીરમાં 37 દિવસ સુધી પણ જોવા મળ્યો છે. જોકે આવા કેસ રેર છે.
એટલે કે 6+8 = 14 દિવસ
દુનિયાભરમાં 14 દિવસના ક્વારન્ટાઈન એટલે કે એકાંતવાસની પાછળનું કેલક્યુલેશન એ છે કે, આ બીમારીના લક્ષણ આવવામાં મોટાભાગના કેસમાં 6 દિવસ લાગે છે અને આગામી 8 દિવસ સુધી સંક્રમિત વ્યક્તિ ઘાતક સ્તર પર સંક્રમણ ફેલાવી શકે છે. એટલે કે, બીમારીના લક્ષણ ડેવલપ થયા પહેલાના 6 દિવસ અને લક્ષણ ડેવલપ થયા પછીના 8 દિવસ, એટલે કે 6+8= 14 દિવસ.
શરીરમાં એન્ટિબોડીઝનું બનવું
આપણું શરીર ઈન્ફેક્શન લાગ્યા બાદ લગભગ-લગભગ 6થી 12 દિવસમાં જ આ વાયરસ સામે એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરી દે છે, જેનાથી વાયરસને ખતમ કરી શકાય. આ એન્ટિબોડીઝ બનવાને કારણે જ કોઈ રોગી વ્યક્તિ દ્વાર ચેપ ફેલાવવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.
રીઈન્ફેક્શનના ચાન્સ
જેની અંદર એક વખત ઈન્ફેક્શન ફેલાઈ જાય છે અને તે તેનાથી રિકવર કરી લે છે, તેની અંદર ઘણા જ રેર કેસમાં રીઈન્ફેક્શનના ચાન્સ હોય છે. એવા કેટલાક કેસ ચીનમાં સામે આવ્યા છે. તેનો દર કુલ સંક્રમિત કેસોના 0.2 ટકા જણાવઈ રહી છે. જોકે, હેલ્ત એક્સપર્ટસ તેમાં એરર હોવાની શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે.
ગરમીઓમાં આશા
95 ટકા પોઝિટિવ કેસમાં એ જોવાયું છે કે, આ ચેપ 2 ડિગ્રીથી લઈને 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેનાથી એવું લાગે છે કે આ વાયરસ ઠંડા વિસ્તારોમાં ઝડપથી ફેલાય છે. એટલે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગરમી વધવા પર આ વાયરસ ફેલાવાની ગતિ ધીમી પડી શકે છે. જેવું કે, ફ્લું અને કોલ્ડમાં જોવા મળે છે. જોકે, આ વાત કોઈ ડોક્ટર કે સાયન્ટિસ્ટ ખોંખારી કહી શકે તેમ નથી.
source https://www.iamgujarat.com/health-news/need-to-know-these-8-fects-about-coronavirus-to-fight-against-it-537126/
Comments
Post a Comment