કોરોના વાયરસથી કઈ રીતે બચશો? સરકાર બાદ હવે બાબા રામદેવ પણ કહી રહ્યા છે ઉપાય

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલો કોરોના વાયરસ હવે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં દેખા દઈ ચૂક્યો છે. જેન કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સરકાર અને જાણકારોની ગાઈડલાઇન્સ બાદ હવે યોગગુરુ બાબા રામદેવ પણ કોરોનાથી બચવા માટે ઉપાય જણાવી રહ્યા છે. બાબા રામદેવ પણ જાણકારોની વાત જ ફરી ફરી લોકોને કહી રહ્યા છે કે દરેક શરદી અને તાવ કોરોના વાયરસ નથી. તેનાથી ડરવાની જરુર નથી. સાથે સાથે તેમણે કહ્યું કે જે પણ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમના પર કોરોનાના અટેકની શક્યતા વધુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

બાબા રામદેવે કહ્યું કે, કોરોનાથી બચવા અને રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પ્રાણાયામ કરી શકાય છે. રામદેવે કહ્યું કે વાયરસનો હાલ તો કોઈ ઈલાજ નથી. પરંતુ લોકોમાં દેખાઈ રહેલા લક્ષણોના આધારે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રામદેવ માને છે કે ગિલોય, તુલસી, મરી, હળદરને પાણીમાં ઉકાળીને પિવાથી શરદી, તાવ, માથાનો દુઃખાવો દૂર થાય છે.

શું છે કોરોના વાયરસ

સેક્ટર 30 ચાઈલ્ડ પીજીઆઈના માઈક્રોબાયોલોજી વિભાગના ડો. સુમી નંદવાણીએ કહ્યું કે, ગત વર્ષે ડિસેમ્બરમાં પહેલીવાર ચીનના વુહાનમાંથી કોરોના વાયરસના દર્દી મળ્યા હતા. આ વાયરસ નિમોનિયાથી પીડિત દર્દીમાં જોવા મળ્યો હતો. આ વાયરસ માણસમાંથી માણસમાં ફેલાતો વાયરસ છે. કોરોના વાયરસ પહેલા ઉંટ, બિલાડી, ચમામચિડિયામાં જોવા મળતો હતો. હવે માણસોમાં પણ ફેલાઈ રહ્યો છે. WHOએ તેને નોબેલ કોરોના 2019 નામ આપ્યું છે.


દિલ્હીમાં વાયરસને બેસર કરશે ગરમી

દિલ્હીમાં પહોંચેલા કોરોના વાયરસને ત્યાંનું હવામાન જ બેઅસર કરી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો દિલ્હીનું તાપમાન 30-35 ડિગ્રી થતા જ વાયરસની અસર ધીરે ધીરે ઓછી થશે. સ્કાઈમેટ અનુસાર દિલ્હી-NCRમાં રહેતા લોકોએ કોરોનાથી ડરવાની જરુર નથી.

અફવાથી રહો દૂર

કોરોનાના કેસ ભારતમાં આવ્યા તે પહેલા જ અલગ અલગ પ્રકારના નુસ્ખા માર્કેટમાં આવી ચૂક્યા છે. જોકે, તેમાંથી કોઈ કોરોનાનો ઈલાજ કરી શકે નહીં. આવા જ કંઈક ભ્રમ તમને અહીં જણાવવામાં આવ્યાં છે.

 

Video:શું કોરોના વાયરસ ઉધરસ, ખાંસી કે પછી સેક્સથી પણ ફેલાય છે?



source https://www.iamgujarat.com/latest-news/india-news/corona-virus-symptoms-prevention-myths-and-facts-531347/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?