Myths Vs Facts: ક્યાંક તમને પણ કોરોના વિશે આવા ભ્રમ તો નથી ને?

આવી ભ્રામક વાતો પર વિશ્વાસ ન કરો

Myths Vs Facts: कोरोना से जुड़ी इन 12 गलतफहमियों का शिकार तो नहीं हैं आप?

કોરોના વાયરસ અત્યારે દુનિયા માટે સૌથી મોટી સમસ્યા બની ગયો છે. આ કારણે આ વાયરસ વિશે લોકોમાં અનેક પ્રકાર ગેરસમજણો પણ ઝડપથી ફેલાઈ રહી છે. આવી ગેરસમજણોની સંખ્યા 1 કે 2 નહીં પરતું ઘણી વધુ છે. આ લિસ્ટમાંથી અમે તમારા 12 એવા મિથ્સ અને તેના ફેક્ટ્સ લાવ્યા છીએ જેની હકીકત બધા જાણવા માગે છે…

માસ્ક લગાવી કોરોનાથી બચી શકાય છે

NBT

મિથ 1 – માસ્ક લગાવી કોરોનાથી બચી શકાય છે

ફેક્ટ- કોઈપણ સર્જિકલ માસ્ક એ રીતે ડિઝાઈન કરાયું નથી કે, વાયરલ પાર્ટિકલ્સને બ્લૉક કરી શકે પણ તે ઈન્ફેક્ટેડ વ્યક્તિને વાયરસ ફેલાવાથી રોકવામાં મદદ કરી શકે છે. કારણ કે, આ રેસ્પિરેટ્રી ડ્રૉપલેટ્સ (શ્વાસ લેવા અને છીંકવા દરમિયાન નીકળનારી નાનકડી બૂંદો જેમાં વાયરસ હોય છે) તેને ફેલાવાથી રોકે છે.

સાબુ નહીં સેનિટાઈઝ સારું

NBT

મિથ 2- સાબુથી હાથ ધોવાની તુલનામાં હેન્ડ સેનિટાઈઝર વધુ પ્રભાવી છે, આ બીમારીને રોકવામાં

ફેક્ટ– સાબુથી હાથ ધોવા દરમિયાન ન માત્ર વાયરસ મરે છે પણ તે ધોવાઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા હાથ પર ડસ્ટ લાગી હોય તો હેન્ડ સેનિટાઈઝરને બદલે સાબુનો ઉપયોગ જ વધુ સારો છે.

મચ્છર-માખી અને કોરોના

NBT

મિથ 3મચ્છર પણ હોઈ શકે છે કોરોના ફેલાવાનું કારણ

ફેક્ટ : અત્યાર સુધી એવું કોઈ પ્રમાણ સામે આવ્યું નથી જેના આધારે એ કહી શકાય કે, મચ્છર અને માખી પણ કોરોના વાયરસ ફેલાવવામાં જવાબદાર છે.

વિટામિન-સી ખાવાથી નથી થતો કોરોના

NBT

મિથ-4 – વટામિન C લેવાથી કોરોના નથી થતો

ફેક્ટ – વિટામિન C શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છએ અને વાયરસને મારવામાં આપણી ઈમ્યૂન સિસ્ટમની મદદ કરે છે પણ એક્સપર્ટ્સને એવા કોઈ પૂરાવા નથી મળ્યા કે, વિટામિન સીથી માણસને કોવિડ 19નું ઈન્ફેક્શન ન લાગે. આ જ વાત ગ્રીન-ટી અને ઝિંક પર પણ લાગુ થાય છે.

ગૌમૂત્ર કોરોનાથી બચાવે છે

NBT

મિથ 5 – ગૌમૂત્રથી કોરોનાને રોકી શકાય છે

ફેક્ટ: ભારતીય વાયરૉલજિકલ સોસાયટી અનુસાર, ગૌમૂત્ર અન્ટિ બેક્ટિરિયલ છે પણ તેના હજુ કોઈ ચોક્કસ પૂરાવા મળ્યા નથી.

આ હર્બ્સ કોરોનાને રોકે છે

NBT

મિથ 6 – ગિલોય, હળદર અને તુલસીથી તૈયાર સેનિટાઈઝર કોરોનાને રોકે છે

ફેક્ટ – વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન અનુસાર આલ્કોહૉલ બેઝ્ડ હેન્ડ સેનિટાઈઝર જ કોરોનાને મારવામાં પ્રભાવી છે. જ્યારે ગિલોય, હળદર અને તુલસી અંગે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.

હર્બલ ટી કોરોનાથી બચાવી શકે છે

NBT

મિથ 7- ચા પીવાથી કોરોના નથી થતો

ફેક્ટ – એ વાત સાચી છે કે, ચાની અંદર મિથાઈલ જેન્થીન્સ હોય છે જે વાયરસના પ્રભાવને ઓછો કરે છે પણ કોરોનાના કેસમાં આ વાતની હજુ પુષ્ટિ થઈ નથી કે ચા પીવાથી તેને ખતમ કરી શકાય છે.

નૉનવેજ ખાવીથી થાય છે કોરોના

NBT

મિથ 8 – નૉનવેજ ખાવીથી થાય છે કોરોના

ફેક્ટ- હજુ સુધી એ વાતની કોઈ જ પુષ્ટિ થઈ નથી કે, ચિકન અથવા એગ્સ અથવા તો કોઈપણ માંસ ખાવાથી કોરોના થઈ શકે છે. જોકે, આ વસ્તુઓથી આપણા શરીરને પ્રોટીન જરૂર મળે છે.

કોરોના બાળકોને નથી થતો

NBT

મિથ 9: કોરોના બાળકોને નથી થતો

ફેક્ટ: અત્યાર સુધી મળેલા ડેટા અનુસાર, બાળકોને આ બીમારીનું ઈન્ફેક્શન ઓછું લાગ્યું પણ આનું એ કારણ ન કહી શકાય કે, આ બીમારી બાળકોમાં નથી થતી. પરંતુ બાળકોમાં તે ન હોવાનું કારણ મોટા લોકોની તુલનામાં બાળકોનું એક્સપોઝર ઓછું છે તે હોઈ શકે છે.

પાળતુ જાનવરોથી કોરોના થાય છે

NBT

મિથ 10 – પાળતુ જાનવરોથી કોરોના થાય છે

ફેક્ટ- આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી કે કુતરા અને બિલાડી પણ કોરોનાથી ઈન્ફેક્ટ થાય છે. જોકે, આપણે હાલ પોતાની સેફ્ટી માટે પોતાના પેટ્સને અડ્યા બાદ હાથ જરૂર ધોઈ લેવા જોઈએ.

કોગળાં કરવાથી કોરોના નથી થતો

NBT

મિથ 11- કોગળા કરવાથી કોરોના નથી થતો

ફેક્ટ્સ- સાયન્ટિસ્ટ્સને અત્યાર સુધી એવા કોઈ ચોક્કસ પ્રમાણ નથી મળ્યા જેને જોઈને કહી શકાય કે, મીઠાં અથવા બિટાડિનના કોગળા કરવાથી અને માઉથવૉશ યૂઝ કરવાથી કોરોનાનો ચેપ નથી લાગતો પણ તે બીજા માઈક્રોબ્સને મારવામાં મદદરૂપ હોઈ શકે છે.

યુવાનોએ ડરવાની જરૂર નથી

NBT

મિથ 12 – માત્ર વૃદ્ધો અને બાળકો માટે જ જીવલેણ બીમારી

ફેક્ટ- કોરોના દરેક ઉંમરના વ્યક્તિને સંક્રમિત કરે છે. પરંતુ વૃદ્ધો અથવા અન્ય કોઈ ઘાતક બીમારીથી ઝઝૂમી રહેલા લોકોમાં જેમ કે, અસ્થમા, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર વગેરે થવા પર જીવનું વધું જોખમ રહે છે.

આ ફેક્ટ્સ પર વિશ્વાસ કેમ કરવો?

NBTન્યૂઝ સોર્સ: અહીં એક્સપ્લેઈન કરવામાં આવેલા ફેક્ટ્સ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ (WHO) અને ધ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા રજૂ કરવામાં આવેલા રિસર્ચ પેપર અને સ્ટડીઝમાંથી લેવામાં આવ્યા છે, જેમાં એક્સપર્ટ્સ દ્વારા કોરોના વાયરસ પણ કરવામાં આવી રહેલા સતત રિસર્ચમાં આવનારી નવી-નવી જાણકારીઓ શેર કરવામાં આવી રહી છે.



source https://www.iamgujarat.com/health-news/myths-and-facts-about-coronavirus-in-gujarati-538671/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?