કોરોનાની સારવારમાં 130 વર્ષ જૂની પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે કરે છે ઈલાજ

પ્લાઝ્મા થેરાપી દ્વારા કોરોનાની સારવાર

Plasma Therapy for Coronavirus: प्लाज्मा थेरेपी क्या है, क्या हो सकता है कोरोना का इलाज

પ્લાઝ્મા ટ્રિટમેન્ટ કે થેરાપી કોરોના વાયરસની સારવારમાં કેટલી ઉપયોગમાં આવશે તે તો હજુ જોવું રહ્યું. આ પહેલા સાર્સ અને મર્સ વખતે પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીઓનો ઈલાજ કરવામાં આવ્યો હતો. જે કોરોના વાયરસની કેટેગરીમાં આવતા વાયરસ સંક્રમણ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લગભગ 130 વર્ષ જૂની ઈલાજ થેરાપી

NBT

તમે પ્લાઝ્મા ટ્રિટમેન્ટનું નામ ભલે હાલમાં જ સાંભળ્યું હોય પરંતુ આ ઈલાજ નવો નથી. તે આશરે 130 વર્ષ જીનો એટલે કે 1890ની આસપાસ શોધાયેલી ઈલાજ પદ્ધતી છે. આ થેરાપી જર્મન ફિઝિયોલોજિસ્ટ એમિલ વોન બેહ્નિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ પારીતોષિતથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જે દવાના ક્ષેત્રે સૌથી પહેલું નોબેલ હતું.

રાજ્ય સરકારોએ માગી મંજૂરી

દેશના ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ કોરોના સામે લડવા માટે પ્લાઝ્મા ટેક્નોલોજીના ઉપયોગ અંગે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી છે. કેટલાક કેસમાં મંજૂરી આપી પણ દેવામાં આવી છે. જે હાલ એક મેડિકલ ટ્રાયલ તરીકે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તેમાં દિલ્હી, કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર અને તામિલાનાડુ સામેલ છે. દિલ્હીમાં વેન્ટિલેટર પર રહેલા વ્યક્તિને આ થેરાપી આપવાનું શરું કરવામાં આવ્યું છે.

શું છે પ્લાઝ્મા ટેક્નોલોજી

NBT

આપણું લોહી ચાર વસ્તુથી બને છે. રેડ બ્લડ સેલ્સ, વાઈટ બ્લડ સેલ્સ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા. જેમાં પ્લાઝ્મા લોહીનો પ્રવાહી ભાગ હોય છે. જેની મદદથી જ જ્યારે શરીરને જરુર પડે ત્યારે એન્ટિબોડી બને છે. કોઇપણ વાયરસના એટેક બાદ શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે લડવા માટે પ્લાઝ્મા દ્વારા એન્ટીબોડી બનાવે છે. જો શરીર પૂરતી માત્રામાં આવા એન્ટીબોડી બનાવી લે છે તો કોરોના હારી જશે. જે દર્દી કોરોના સામે જલ્દી લડાઈ જીતી લે છે તેમના એન્ટીબોડીઝ વધુ શક્તિશાળી અને વધુ માત્રામાં હોવાનું સાયન્સ માને છે. ત્યારે વ્યક્તિ ઠીક થઈ ગયા બાદ પણ લોહીમાં આ એન્ટીબોડી રહેતા હોય છે. જેને ડોનેટ કરી શકાય છે.

કેવી રીતે થાય છે ઈલાજ

NBT

જે વ્યક્તિને એકવાર કોરોનાનું સંક્રમણ થાય છે ત્યારે તેને સંક્રમણથી મુક્ત કરવા શરીરમાં એન્ટીબોડી બને છે. જે તેને સંક્રમણથી મુક્ત કરવામાં મદદ કરે છે. આવા ફરી ઠીક થયેલા વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેશન કરે છે. ત્યારે તેમના લોહીમાંથી પ્લાઝ્મા અલગ કરવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીબોડીને બીમાર દર્દીના શરીરમાં પહોંચાડવામાં આવે છે. જે તેને વોયરસ સામે લડવામાં મદદ કરે છે. એક વ્યક્તિના શરીરમાંથી મળેલા પ્લાઝ્મામાંથી 2 વ્યક્તિનો ઈલાજ થઈ શકે છે. કોરોના નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ કોઈપણ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.

કેટલી કારગર છે આ થેરાપી

NBT

પ્લાઝ્મા ટ્રીટમેન્ટ કેટલી કારગર છે તે તો હાલ કઈ શકાય નહીં. પરંતુ ચીનમાં કોરોનાના કેટલાક દર્દી પર કરવામાં આવેલ આ પ્રયોગ સફળ રહ્યા છે. ત્રણ ભારતીય અમેરિકનને પણ આ થેરાપી દ્વારા ફાયદો મળ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. જોકે ભારતમાં આ પદ્ધતીનો ઉપયોગ વ્યાપક ધોરણે કરવો કે કેમ તેના અંગે ICMR અને DGCI ટ્રાયલ પૂર્ણ થયા બાદ જ જણાવશે.



source https://www.iamgujarat.com/latest-news/india-news/130-year-old-plasma-therapy-may-have-answer-for-corona-but-what-is-what-is-plasma-therapy-544905/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?