કોરોના સામેની લડાઈમાં આ 3 વસ્તુ બનશે તમારું સુરક્ષા કવચ

કોરોના સામે તમારું કવચ

કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈમાં જીત તો જ મેળવી શકાશે જ્યારે સાફ સફાઈની સાથે સાથે ખાન-પાન અંગે પણ ધ્યાન રાખવામાં આવે. હાલ લોકો કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું તે શોધી રહ્યા છે. ત્યારે આવો અમે તમને બેસ્ટ ફૂડ, વિટામિન અને દિનચર્યાનું એક એવું રુટિન જણાવીશું જેનાથી તમને હાલના સમયમાં જોઈતી તમામ સુરક્ષા મળી રહેશે. કેમ કે ઇન્ટરનેટ પર મળતી તમામ માહિતીઓ વિશ્વાસપાત્ર નથી હોતી જ્યારે અમે અહીં એક જાણીતી મેડિકલ વેબસાઈટ MedicineNetમાં છાપવામાં આવેલ લેખ મુજબ વિટામિન A,C,D,E, મિનરલ ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ રીચ ફૂડ દ્વારા ઇમ્યુનિટી કઈ રીતે વધારવી તેનું માર્ગદર્શન આપીશું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

રોગપ્રતિકારક શક્તિ પર પડે છે આની અસર

કેટલાય ન્યુટ્રિશનિસ્ટનું તો કહેવું છે કે ઇમ્યુનિટી વધારવા માટે ન તો કોઈ દવા આવે છે ન એવું કોઈ ફૂડ છે જે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને રાતોરાત વધારી દે. જોકે કેટલાક અભ્યાસ મુજબ શરીરમાં જરુરી પોષકતત્વોની ઉણપ હોય તો તમારી ઈમ્યુન સિસ્ટમ પર ચોક્કસ અસર પડે છે. નિમોનિયા અને અને અન્ય બીમારીવાળા લોકોમાં વિટામીન સી અને વિટામીન ડી ઉણપ જોવા મળે છે.

શરીર માટે જરુરી પોષકતત્વો

તમારા શરીર માટે જરુરી પોષકતત્વો વગર શરીરની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ નથી કરી શકતી. વિટામિનના ડૈઈલી ડોઝ માટે તાજો અને યોગ્ય માત્રામાં ખોરાક ખૂબ જ યોગ્ય રીત છે. ફળો અને શાકભાજીમાં એન્ટિઓક્સિડેન્ટ પ્રચૂર માત્રામાં હોય છે. વિશ્વના પ્રસિદ્ધ ડાયેટિશિયન પૈકી એક કેથલીન જેલમેનનું કહેવું છે કે સૌથી મહત્વનું છે કે ડાયેટમાં અનેક પ્રકારનું ખાવાનું સામેલ કરવું જોઈએ.

સપ્લિમેન્ટ નહીં ખોરાકના માધ્યમથી લો પોષકતત્વો

જોકે કેથલીન માને છે કે જો તમારા શરીરમાં અત્યાર સુધી તમે યોગ્ય પ્રકારનો આહાર ન લીધો હોય તો તેને પોષકતત્વોના સપ્લિમેન્ટ દ્વારા પણ પૂરો કરી શકાય છે. પરંતુ સૌથી ઉત્તમ રસ્તો ખોરાકના માધ્યમથી જ આ પોષક તત્વને લેવાનો છે. તેમજ અન્ય વિટામિન ઉપરાંત એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર આહાર લેવો જોઈએ. જે આપણા શરીરને બીમારીઓથી લડવા માટે મદદ કરે છે.

આ શાકભાજીમાં મળશે વિટામિન A અને C

વિટામિન A અને બીટા કેરોટીન માટે ગાજર, શક્કરીયા, પાલક, ખડબૂચું, કેરી, સરગવો, કોળું ખાવા જોઈએ. જ્યારે વિટામિન સી માટે ખાટા ફળ, સ્ટ્રોબેરી, લાલ શિમલા મરચા, ફુલાવર, બ્રોકોલી, ટમેટા, શક્કરિયા અને શતાવરીની ભાજી ખાવી જોઈએ.

વિટામિન E

વનસ્પતિ તેલ, બદામ, આખા ધાન, ઘઉંની ધાણી, શક્કરિયા ખાઈ શકાય છે. જ્યારે સેલેનિયમની ઉણપ સોલેમન અને કાંટાદાર માછલીઓ દ્વારા પૂરી થઈ શકે છે.

વિટામિન D

મેડિસિનનેટ વેબાસાઈટના અહેવાલ મુજબ વિટામિન ડીની ઉણપ હવે એક વૈશ્વિક સમસ્યા છે. દુનિયામાં હાલ લગભગ 100 કરોડ લોકો વિટામિન ડીની ઉણપ સામે ઝઝૂમી રહ્યા છે. તેવામાં સૂર્ય પ્રકાશ ઉપરાંત સોલેમન માછલી, ટુના માછલી, મશરુમ, ઈંડા, સંતરાનો જ્યુસ અને ચીઝમાંથી વિટામિન ડી મળે છે.

દિનચર્યા પણ મહત્વનો ભાગ ભજવે છે

પોતાના સ્વસ્થ અને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ કરો. લોકડાઉન દરમિયાન તમે ઘરમાં જ યોગા અને કેટલીક હળવી કસરત કરી શકો છો. કોઈપણ પ્રકારનો તણાવ ન લો. તણાવથી શરીરમાં ટી કોષની વૃદ્ધી થાય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ધ્યાન અને બ્રિધિંગ એક્સર્સાઈઝ પણ તણાવ ઓછો કરવામાં મદદરુપ થશે.



source https://www.iamgujarat.com/health-news/these-three-things-will-make-your-shield-against-corona-virus-544626/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?