શરીરમાં કેટલા દિવસ રહે છે કોરોના વાયરસ? સાજા થયેલા દર્દીઓથી આટલા દિવસ દૂર રહેવું

કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં પણ ધીમે-ધીમે ગતિ પકડી રહ્યું છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસ 57 લોકોને ભરખી ગયો છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 2000ની નજીક પહોંચી ગઈ છે. 171 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. જો કે, આ વાયરસથી સાજા થયેલા લોકો પર સ્ટડી હાથ ધરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. સંક્રમિત થયેલા લોકોએ સંપૂર્ણ સાજા થયા બાદ ડૉક્ટરોએ તેમના પર અધ્યયન શરૂ કર્યું હતું. જે બાદ કેટલાક એવા પરિણામો આવ્યા જે તમારે જાણવા જરૂરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શેના આધારે થયું રિસર્ચ?

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સારવાર આખી દુનિયામાં ચાલી રહી છે. જે લોકોને સમયસર સારવાર મળી ગઈ તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આ જ રિકવર થયેલા લોકો પર ડૉક્ટરોએ રિસર્ચ કર્યું હતું. એક દર્દી સંક્રમિત થયા બાદ કેટલા દિવસ સુધી વાયરસ ફેલાવી શકે છે, આ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આ પહેલા કહેવાયું હતું કે, સંક્રમિત વ્યક્તિએ સાજા થયા બાદ 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું. પરંતુ તાજા રિપોર્ટ પ્રમાણે, આમ કરવું ખતરનાક પગલું સાબિત થઈ શકે છે.

ક્યાં થયું રિસર્ચ?

કોરોના વાયરસથી સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યા ઓછી પરંતુ સતત રિસર્ચ કરવામાં આવી રહ્યું છે જેથી આ વાયરસનો એન્ટિડોટ બનાવી શકાય. અમેરિકન થોરેસિસ સોસાયટીમાં જાહેર કરવામાં આવેલા એક સ્ટડીમાં આ અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. ડાયગ્નોસિસ એન્ડ મેનેજમેન્ટ ઓફ કોવિડ-19 ડિસીઝ નામથી પ્રકાશિત કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, કોરોનાથી સંક્રમિત થયેલા કોઈપણ વ્યક્તિને માત્ર 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રાખવા યોગ્ય નથી. આમ કરવાથી સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે.

સાજા થયા બાદ ક્યાં સુધી શરીરમાં રહે છે કોરોના વાયરસ?

કોરોના વાયરસના દર્દીને સાજા થયા બાદ 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કોરોના વાયરસના દર્દીના સાજા થયા બાદ પણ ઘણા દિવસ સુધી વાયરસ તેના શરીરમાં રહે છે. ડૉક્ટરોએ આ મુદ્દે રિસર્ચ કરીને કહ્યું કે, દર્દીના સાજા થયા બાદ પણ તેના શરીરમાં 8 દિવસ સુધી કોરોના વાયરસની હાજરી હોય છે. ઉપરાંત તેના શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો 14 દિવસ સુધી રહી શકે છે.

સંક્રમિત વ્યક્તિથી ક્યાં સુધી દૂર રહેવું?

કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયેલા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોરાનાના દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળે તે પછી પણ તેણે ઓછામાં ઓછા 20 દિવસ સુધી ક્વોરન્ટીમાં રહેવું જોઈએ. આમ કરવાથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિ અન્ય લોકોને સંક્રમણથી બચાવી શકે છે.

હજી વધુ રિસર્ચની જરૂર છે

કોરોના વાયરસના સંક્રમણને જોતાં હજી વધુ રિસર્ચ થાય તે જરૂરી છે. જેથી વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકાય કે કોરોનાનો કોઈ દર્દી સાજો થઈ જાય તો તેને ફરીથી ચેપ લાગી શકે છે કે નહીં? સાથે જ સંક્રમણમાંથી સાજા થયેલા વ્યક્તિએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ બાબતો પર વિસ્તારપૂર્વક રિસર્ચ થાય તે જરૂરી છે. ડૉક્ટરોની ટીમ સતત આ બાબતો પર રિસર્ચ કરી રહી છે.

અમદાવાદ કોર્પોરેશનના ડોર ટુ ડોર સર્વેમાં સાચી માહિતી આપોઃ AMC કમિશનર



source https://www.iamgujarat.com/health-news/how-many-days-coronavirus-can-live-in-body-539958/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?