જાણો, શા માટે કોરોનાના કારણે સગર્ભા મહિલાની ડિલિવરી બન્યું ‘મેજર ઓપરેશન’

દુર્ગેશ નંદન, નવી દિલ્હીઃ કોરોન વાયરસ મહામારી દરમિયાન સગર્ભાની ડિલિવરીનું ઓપરેશન પણ મેજર ઓપરેશન બની ગયું છે. હેપેટાઈટિસ બી અને સી તથા એચઆઈવીથી પીડાતી મહિલાઓ માટે પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે તેવું જ પાલન ડિલિવરી માટે કરવામાં આવી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

દિલ્હીના સાકેતમાં આવેલી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર અને ગાયનેક ડોક્ટર અનુરાધા કપૂરે જણાવ્યું છે કે સગર્ભાની ડિલિવરીમાં એટલા માટે આટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમ કે નવજાત બાળકને કોરના વાયરસનું ટ્રાન્સમિશન થવાનું જોખમ હોય છે. તેમણે કહ્યું હતું કે, ‘અમે પ્રોટેક્ટિવ એપ્રોન, માસ્ક, આંખો માટેનું માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીએ છીએ જેથી કરીને ડિલિવરી દરમિયાન અમે ઈન્ફેક્શનનું જોખમ ટાળી શકીએ. ઓપરેશન બાદ આ તમામ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ)નો નાશ કરી દેવામાં આવે છે.’

કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિ જ્યારે ઉધરસ કે છીંક ખાય છે ત્યારે વાયરસ હવામાં આવે છે અને તે અન્યના શ્વાસોચ્છ્વાસમાં પણ જાય છે. આ ઉપરાંત જે સપાટી પર આ વાયરસ હોય છે તે સપાટીને અડ્યા બાદ મોઢા, નાક અને આંખોને અડવાથી તેનો ચેપ લાગી જાય છે.

ગુરુગ્રામમાં આવેલી કોમ્બિયા એશિયા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અમિતા શાહે જણાવ્યું હતું કે ‘દર્દીઓ દ્વારા જણાવવામાં આવેલી તેમની કોન્ટેક્ટ હિસ્ટ્રી પર વિશ્વાસ રાખવો મુશ્કેલ હોય છે. તેથી સાવચેતીના ભાગ રૂપે અમે તમામ ડિલિવરી માટે પીપીઈનો ઉપયોગ કરીએ છીએ.’

સામાન્ય રીતે સિઝેરિયન દ્વારા કરવામાં આવતી ડિલિવરીમાં બે જૂનિયર ડોક્ટર, બે ટેકનિશિયન અને અન્ય કેટલોક સ્ટાફ હાજર હોય છે. આ ઉપરાંત એક ગાયનેકોલોજીસ્ટ હોય છે. જોકે, હાલના દિવસોમાં પીપીઈ મર્યાદિત પ્રમાણમાં હોવાથી ઓપરેશન થિયેટરમાં એકમદ જરૂરી હોય તેવા જ સભ્યોને રાખવામાં આવે છે. એપોલો હોસ્પિટલના સિનિયર કન્ટલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિસિયન અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રંજના શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે દર્દીને મળવા માટે વધારે સગવ્હાલાને પણ મંજૂરી આપતા નથી. ડિલિવરી સમયે ફક્ત પતિને જ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે છે.’

તેમણે વધારેમાં જણાવ્યું હતું કે જો બાળકની માતાને કોવિડ-19ના લક્ષણો દેખાતા હોય તો તેને બાળકને બ્રેસ્ટ ફીડિંગની મંજૂરી આપવામાં આવતી નથી અને બાળકને તેનાથી થોડા અંતરે રાખવામાં આવે છે. સિઝેરિયન વિભાગમાં જનરલ એનેસ્થેસિયાને ટાળવામાં આવે છે અને તેના બદલે ઈન્ટુબેશન અને સ્પાઈનલ એનેસ્થેસિયાને પ્રાથમિકતા આપવામાં આવે છે.

માસિક ચેક અપ માટે આવવાના બદલે સગર્ભા મહિલાઓને ઘરમાં જ રહેવાની અને જરૂરી ન હોય ત્યાં સુધી નહીં આવવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટર શાહે કહ્યું હતું કે, ‘અમે વોટ્સએપ વિડીયો કોલ દ્વારા વાતચીત અને કન્સલ્ટિંગ કરીએ છીએ.’ તેમણે કહ્યું હતું કે માર્ચમાં 50 જેટલી ડિલિવરી કરવામાં આવી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લયુએચઓ)એ અત્યારે તો જણાવ્યું છે કે સગર્ભા મહિલાને કોવિડ-19નું જોખમ વધારે હોય છે તેવા કોઈ પૂરવા નથી. જોકે, ડોક્ટર્સનું કહેવું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં થતાં ફેરફારો અને રોગપ્રતિકારક શક્તિના કારણે આવી મહિલાઓ માટે પણ જોખમ રહેલું છે. તેથી આવી મહિલાઓએ તેમના ડોક્ટર્સને તેમને તાવ કે ખાંસી પણ આવે તો તેની જાણ કરવી જરૂરી છે. નોંધનીય છે કે અત્યાર સુધી એવા કોઈ પૂરાવા મળ્યા નથી કે સગર્ભા મહિલા જો કોરોનાથી ચેપગ્રસ્ત હોય તો ગર્ભમાં રહેલા બાળકને કે પછી જન્મ આપતા દરમિયાન નવજાતને તેનો ચેપ લાગે છે કે નહીં.



source https://www.iamgujarat.com/health-news/why-normal-child-delivery-become-major-operation-in-coronavirus-pandemic-541215/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?