લ્યૂકેમિયા બ્લડ કેન્સરના પીડિત હતા ઋષિ કપૂર, જાણો લક્ષણો, કારણો અને તેની સારવાર વિશે

67 વર્ષની વયે ઋષિની દુનિયાને અલવિદા

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે 30 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. તેમનું 67 વર્ષ વયે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં અવસાન થઈ ગયું. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. બીગ બીની ટ્વીટમાં તેમની પીડા દેખાઈ આવે છે. એક દિવસ પહેલા જ એક્ટર ઈરફાન ખાનનું પણ કેન્સરને કારણે અવસાન થયું છે ત્યારે હવે રિષી કપૂરના અવસાનથી બોલિવૂડ જ નહીં પરંતુ આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લ્યૂકેમિયા બ્લડ કેન્સરે લીધો જીવ

જણાવી દઈએ કે, ઋષિ કપૂર કેન્સરથી પીડિત હતા. છેલ્લા બે વર્ષથી તે લ્યૂકેમિયાથી પીડાતા હતા જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. લોકોમાં લ્યૂકેમિયા કેન્સર અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે. આવો જાણીએ લ્યૂકેમિયા કેન્સર શું હોય છે…

શું છે લ્યૂકેમિયા

લ્યૂકેમિયા એક પ્રકારનું બ્લડ કેન્સર છે. લ્યૂકેમિયાને ક્રોનિક લિમ્ફોસાઈટિક લ્યૂકેમિયા અથવા CLL પણ કહેવામાં આવે છે. લ્યૂકેમિયા થવાથી શરીરમાં લોહીની અંદર સફેદ રક્તકોષોની સંખ્યા વધવા લાગે છે. વધવાની સાથે સાથે તેની સાઈઝમાં પણ ફેરફાર થાય છે. વધતી ઉંમર સાથે તેના કેસ વધુ જોવા મળે છે. આ કેન્સર શરીરને રોગ પ્રતિકારક શક્તિને અત્યંત નબળી કરી દે છે. જેનાથી નાનકડું સંક્રમણ અથવા તાવ પર જીવલેણ સાબિત થાય છે.

શું છે બ્લડ કેન્સરનો મતલબ

જો તમે કેન્સરનો મતલબ એવો જ સમજતા હોય કે, તેમાં શરીરના કોઈ ભાગમાં ગાંઠ બનવા માડે છે અને કેન્સરનું રૂપ લઈ લે છે, તો બ્લડ કેન્સર કેવી રીતે થાય છે? તો તમને જણાવી દઈએ કે, બ્લડ કેન્સર લોહી બનાવનારા તંતુઓનું કેન્સર હોય છે. આ તંતુઓમાં બોન મેરો પણ શામેલ છે. બ્લડ કેન્સર પણ શામેલ છે. બ્લડ કેન્સર ઘણા પ્રકરના હોય છે જેમ કે, એક્યૂટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યૂકેમિયા, એક્યૂટ માયલોઈડ લ્યૂકેમિયા અને ક્રૉનિક લિમ્ફોસાઈટિક લ્યૂકેમિયા.

લ્યૂકેમિયા કેન્સરના લક્ષણો

લ્યૂકેમિયા કેન્સરના શરૂઆતમાં લક્ષણો નથી દેખાતા પણ જ્યારે તે ઝડપથી ફેલાવા લાગે છે ત્યારે તે શરીર પર આવી અસરો કરે છે.

– વજન ઝડપથી ઉતરવા લાગે છે.

– કંઈપણ કર્યા વિના થાક લાગવા માંડે છે

– વારંવાર ઈન્ફેક્શન અથવા બીમારી લાગી જાય છે.

– શરીર પર ઠેર-ઠેર ચમાકા પડવા લાગે છે.

– અતિશય રક્તસ્ત્રાવ (ખાસ કરીને નાકમાંથી)

– વારંવાર માથાનો દુ:ખાવો થવો

લ્યૂકેમિયાના કારણો

લ્યૂકેમિયા માટે ચોક્કસ કારણોને ચિન્હીત કરવામાં આવ્યા નથી. આની પાછળ ઘણા બધા કારકો હોઈ શકે છે. આમાંથી કેટલાક નીચે પ્રમાણે છે.

– પરિવારમાંથી કોઈને લ્યૂકેમિયા કેન્સર હોવું.

– સ્મોકિંગ કરવાની આદત

– સફેદ બ્લડ સેલ્સ વધારે પ્રમાણમાં બનવા.

સારવાર

આ બીમારીની સારવાર વિશે વાત કરતા ડૉ. રાહુલ ભાર્ગવ (ગુડગાંવ ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના એન્કોલૉજી એન્ડ બૉન મેરો ટ્રાન્સપ્લાન્ટના વિભાગના ડિરેક્ટર) કહે છે કે, MUD (મેચ અનરિલેટેડ ડૉનર) ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સારવાર થઈ શકે છે જેમાં રિડ્યૂસ ઈન્ટેન્સિટી કન્ડિશનિંગ (RIC)નો ઉપયોગ કરવામાં આવે છે જેને દર્દીની ઉંમર પ્રમાણે આપવામાં આવે છે.

 



source https://www.iamgujarat.com/health-news/rishi-kapoor-succumbs-to-leukemia-here-is-all-we-know-about-the-condition-and-treatment-549345/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?