કોરોના વાયરસ સામે લડાઈઃ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારશે આ આયુર્વેદિક ઉપાયો
કોરોના વાયરસ હાલમાં મહામારી બનીને કહેર વર્તાવી રહ્યો છે. એવામાં પોતાને વાયરસના સંક્રમણથી દૂર રાખવા સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે તમે આયુર્વેદ મુજબ કેટલાક ઉપાયો કરીને સ્વયંની સારસંભાળ રાખવા સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કેટલાક આયુર્વેદિક ઉપાયોનું સૂચન કર્યું છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જે મુજબ, આ મુશ્કેલ સમયમાં લોકોએ ખાસ કરીને વૃદ્ધોએ ખાવા-પીવામાં સાવધાની રાખવી જોઈએ. ઘરના ગરમ, સાત્વિક અને પચવામાં સરળ આહારનું સેવન કરવાનું રાખો. વાસી, આથાવાળા ખોરાક, જંકફૂડ કે ઠંડાપીણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આયુર્વેદ મુજબ કરો આ ઉપાય
- સુંઠ નાખી ઉકાળેલું પાણી અને તુલસીના રસમાં મરી પાવડરનું સેવન કરો.
- હળદર મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા
- ઉકળતા પાણીમાં અજમો નાખીને નાસ લેવો આવી સ્થિતિમાં વધારે હિતાવહ છે.
- એક-એક ચમચી સુંઠ અને નાગરમોથને દસ ગ્લાસ પાણીમાં ઉકાળી પાંચ ગ્લાસ જેટલું પાણી થાય ત્યારે ગાળી લેવું. આ ઔષધિય જળને નવસેકું કરીને જરૂરીયાત મુજબ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- આ ઉપરાંત સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં નિઃશુલ્ક ઉપલબ્ધ અમૃત પેય ઉકાળાનું સેવન કરવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ સાથે જ સ્વસ્થ અને નિયમિત જીવનશૈલી અપનાવવી જોઈએ. કોરોના વાયરસ સામેની આ લડાઈમાં બધા લોકોએ સાથે મળીને લડવું જરૂરી છે, ત્યારે જ જીત મળી શકશે. વાયરસના કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સમય પર નિર્ણય લઈને તમે પોતાના પરિવારને અને અન્ય લોકોને વાયરસથી સંક્રમિત થતા બચાવી શકો છો.
source https://www.iamgujarat.com/health-news/ayurvedic-tips-to-improve-immune-system-and-fight-coronavirus-541333/
Comments
Post a Comment