કોરોના સામે જંગઃ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ રીતે ઘરે જ બનાવો હર્બલ ટી
સમગ્ર દેશ હાલમાં કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે અને હજી સુધી તેની કોઈ ચોક્કસ સારવાર અને દવા શોધી શકાઈ નથી. તેવામાં આ ચેપને કાબૂમાં રાખવા અને કોવિડ-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દરરોજ હર્બલ ટીનું સેવન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જોકે, આ લોકો પણ આ હર્બલ ટી ઘરે બનાવી શકે છે અને તેઓ પણ તેનું સેવન કરીને પોતાની રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોનાની સારવાર લઈ રહેલા 932 જેટલા દર્દીઓને ગુરૂવારથી હર્બલ-ટી આપવામાં આવી રહી છે. આ હર્બલ ટીમાં સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળનું મિશ્રણ હોય છે.
આ રીતે ઘરે જ બનાવો હર્બલ ટીમ (100 મિલી ચા માટે)
તજ (1 ગ્રામ), મરી (3 નંગ), સૂંઠ (1 ગ્રામ), કાળી દ્રાક્ષ (10 નંગ), તુલસી-ફૂદીનાના પાન (20 નંગ), દેશી ગોળ (5 ગ્રામ), લીંબુ (અડધી ચમચી). આ તમામ વસ્તુઓનું મિશ્રણ કરીને હર્બલ ટી બનાવી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
કોરોનાના દર્દીઓ માટે ખાસ ડાયેટ
વૈશ્વિક મહામારી COVID-19નો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં COVID-19ની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 1200 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં હાલ 932 જેટલા દર્દીઓને નોવેલ કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે.
આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથે સાથે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે (દશમૂલ ક્વાથ + પથ્યાદિ ક્વાથ) 40 મિલી તેમજ એક ગ્રામ ત્રિકટુ મિશ્રિત ઉકાળો સવાર-સાંજ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દર્દીઓ માટે નિયત ડાયેટ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે. જેથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં શક્ય તેટલી ઝડપથી વધારો કરી શકાય.
source https://www.iamgujarat.com/health-news/coronavirus-in-india-herbal-tea-to-boost-your-immunity-549340/
Comments
Post a Comment