કોરોનાને હરાવીને સાજા થયેલા મોટાભાગના દર્દીઓમાં વિકસિત થાય છે એન્ટીબોડીઃ રિસર્ચ

જીવલેણ કોરોના વાયરસની ચપેટમાં આવનાર મોટાભાગની દરેક વ્યક્તિ એન્ટીબોડી વિકસિત કરે છે, આ વાત તાજેતરમાં હાથ ધરાયેલા એક રિસર્ચમાં કહેવામાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ચીનની ચોંગકિંગ (Chongqing)મેડિકલ યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, 285 દર્દીઓમાંથી 95 ટકા દર્દીઓ વાયરસ સામે લડવા માટે બંને પ્રકારના ઈમ્યૂન સેલ્સ વિકસિત કરે છે.

એન્ટીબોડીઝ પર હજુ પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમ કે, દરેક તે શરીરમાં વિકસિત કરે છે કે કેમ, એન્ડીબોડીઝનું કયુ સ્તર રક્ષણ આપવા માટે જરૂરી છે, અને તે કેટલા સમય સુધી રક્ષણ પૂરું પાડે છે.

હાલમાં હાથ ધરાયેલી સ્ટડીમાં આ સવાલોમાંથી કેટલાકના જવાબ મળ્યા છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર ડો. ફ્રાન્સિસ કોલિન્સે ગુરુવારે પોતાના બ્લોગમાં આ વાત કહી હતી.

એન્ટીબોડીઝ એ ઈમ્યૂન સેલ્સ છે જે વાયરસની સામે શરીરમાં વિકસિત થાય છે. તેથી, જો તમે કોઈ વાયરસ કે બેક્ટેરિયાના સંપર્કમાં નથી આવ્યા જેમ કે, કોવિડ 19 તો તમારી પાસે એન્ટીબોડીઝ નથી. પરંતુ જ્યારે ચેપ લાગે છે ત્યારે શરીર આ વિશિષ્ટ હથિયાર અંદર બનાવવાનું શરૂ કરે છે. જે ચેપને ઓળખે છે, ટાર્ગેટ કરે છે અને તેની સામે લડે છે.

ચોંગકિંગ મેડિકલ સેન્ટરના સંશોધનકર્તાઓએ ઈમ્યૂન સેલ્સના સંકેતો માટે 258 દર્દીઓના લોહીનું નિરીક્ષણ કર્યું હતુ. શરીરમાં બે પ્રકારના એન્ટીબોડીઝ વિકસિત થાય છે. ઈમ્યુનોગ્લોબ્યુલિન M (IgM) અને ઈમ્યુનોગ્લોબ્યુલિન G (IgG).

પહેલું ચેપના પ્રારંભિક તબક્કામાં ઉત્પન્ન થાય છે. ચેપ લાગ્યાના અઠવાડિયાની અંદર માત્ર 40 ટકા દર્દીઓ IgM એન્ટીબોડીઝ વિકસિત કરે છે. પરંતુ જ્યારે દર્દીઓને બે અઠવાડિયા માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા તો તેમાંથી 95 ટકાએ IgM એન્ટીબોડીઝ વિકસિત કર્યા હતા.

આ સિવાય તેમણે તમામે IgG એન્ટિબોડીઝનું નિર્માણ કર્યું હતું, જેને વિકસિત થવામાં વધુ સમય લાગે છે. જો કે તે લાંબા સમય સુધી રક્ષણ પણ પૂરું પાડે છે. જે બાદ સંશોધનકર્તાઓએ અન્ય 69 દર્દીનું લોહી લીધી હતું. 20 દિવસમાં તમામ સિવાય માત્ર બે દર્દીઓ કે જેઓ મા-દીકરી હતા તેમનામાં એન્ટીબોડીઝ વિકસિત થયાં હતા.

આ એન્ટીબોડીઝ કેટલું રક્ષણ આપે છે અને કેટલા લાંબા સમય સુધી ઈમ્યૂનિટી આપે છે તે જાણવા માટે ચીનની રિસર્ચર્સ ટીમે તેનું ફોલો-અપ લેતા રહેવું પડશે.

આ સ્ટડીને પૂરું કરવામાં હજુ ઘણો સમય લાગશે. પરંતુ આ ચાઈનીઝ રિસર્ચ એક હકારાત્મક સંકેત છે કે, માનવ શરીર કોરોના વાયરસ સામે લડતા શીખી શકે છે.

લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરતાં BJP MLAના પુત્રએ હાઈવે પર કરી ઘોડે સવારી!



source https://www.iamgujarat.com/health-news/nearly-everyone-who-recovers-from-coronavirus-develops-antibodies-to-it-study-552490/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?