આ છે કરિના કપૂરની ફેવરિટ એક્સર્સાઈઝ, તમે પણ નિયમિત કરીને રહી શકો છો ફિટ

કરિનાનું વર્કઆઉટ સિક્રેટ

કોઈના ફિટનેસ કે ડાયટ સિક્રેટ ચોરવા જેવા હોય તો સૌથી પહેલું નામ મગજમાં ઝબકે એ છે કરિના કપૂર ખાનનું. કરિનાની ફિટનેસ અને તેનું ડાયટ હંમેશાથી ચર્ચામાં રહ્યું છે.

સુપર ફિટ એક્ટ્રેસ કરિના

39 વર્ષની કરિના કપૂર ખાનની ગણતરી બોલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં થાય છે. તેનું દેશી ડાયટિંગ હંમેશા ચર્ચામાં રહે છે. યોગ કરિનાના જીવનનો મહત્વનો ભાગ છે અને છેલ્લા 10 વર્ષથી એક્ટ્રેસ યોગ કરે છે. હાલમાં જ કરિનાની પર્સનલ યોગ ટ્રેનર રૂપલ સિદ્ધપુરાએ કરિનાનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તૈમૂરની મમ્મી સૂર્યનમસ્કાર કરતી જોવા મળે છે.

કુશળતાથી કરે છે સૂર્યનમસ્કાર

કરિનાની યોગ ટ્રેનરે જૂનો વિડીયો શેર કર્યો હતો જેમાં એક્ટ્રેસ હાઈ-ઈન્ટેન્સિટી સૂર્યનમસ્કાર કરતી જોવા મળે છે. એક પછી એક સૂર્યનમસ્કારના રિપિટેશન કરતી કરિનાના વખાણ તેની ટ્રેનરે પણ કર્યા છે. ટ્રેનરે પોસ્ટમાં જણાવ્યું કે, એક્ટ્રેસ તેના વર્કઆઉટને એકદમ સમર્પિત છે.

શેપમાં રહેવા કરિના પાડે છે ખૂબ પરસેવો

 

યોગ ઉપરાંત ફિટ રહેવા માટે કરિના કાર્ડિયો અને પિલાટે એક્સર્સાઈઝ પણ કરે છે. તૈમૂરના જન્મ પછીથી કરિના વર્કઆઉટ પર વધારે ધ્યાન આપી રહી છે. કરિનાનું વર્કઆઉટ રૂટિન બદલાતું રહે છે. કરિના યોગ ઉપરાંત એરોબિક્સ, HIIT, પિલાટે, કિકબોક્સિંગ કરે છે. કરિનાએ એક વખત કહ્યું હતું કે, “યોગ મારી આત્મા અને મારા જીવનનો ભાગ છે.”

બેબો ક્યારેય વર્કઆઉટ ચૂકતી નથી

સ્ટાઈલ ડિવા ક્યારેય પોતાના વર્કઆઉટ સાથે બાંધછોડ કરતી નથી. કરિનાનો દીકરો તૈમૂર ઘણીવાર તેની સાથે જિમમાં જોવા મળ્યો છે.

કરિનાને શા માટે પસંદ છે સૂર્યનમસ્કાર

કરિનાએ એરિયલ યોગ સહિતના યોગના લગભગ તમામ પ્રકાર ટ્રાય કર્યા કરે છે પરંતુ તેને સૌથી પસંદ સૂર્યનમસ્કાર છે. સૂર્યનમસ્કારના વખાણ કરતાં એકવાર કરિનાએ કહ્યું હતું, “હું સામાન્ય રીતે અષ્ટાંગ કરું છું અને મેં બધા જુદા-જુદા પ્રકાર ટ્રાય કર્યા છે પરંતુ હું તમને એટલું ચોક્કસ કહી શકું છું કે સૂર્યનમસ્કાર ફિટ રહેવામાં ખૂબ મદદ કરે છે.” કરિનાની આ વાત સાથે સહમત થવું જ રહ્યું કારણકે નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદો થાય છે.

વાંચો, નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને થાય છે ગજબ ફાયદા

વજન ઘટાડે

સૂર્યનમસ્કારના લગભગ 10 રિપિટેશન કરવાથી વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. સૂર્યનમસ્કાર શરીરમાંથી વધારાનું ફેટ દૂર કરવામાં મદદ કરે છે. જો તમે તમારા શરીરને વ્યવસ્થિત કાર્યરત રાખવા માગતા હોય તો સૂર્યનમસ્કાર કરવાનું શરૂ કરી દો. નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે, બ્લડ ફ્લો સુધરે છે અને શરીર સ્વસ્થ રહે છે.

મહિલાઓને આ રીતે કરે છે મદદ

મહિલાઓ નિયમિત સૂર્યનમસ્કાર કરે તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ સુધરે છે, હોર્મોન્સ બેલેન્સ થાય છે. તેમજ PCOS અથવા PCOD જેવી સમસ્યા સામે લડવામાં મદદ મળે છે.



source https://www.iamgujarat.com/health-news/kareena-kapoor-khans-favourite-exercise-is-suryanamaskar-553257/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?