ગરમીમાં ખાઓ આ ફૂડ, કોરોના વાયરસ રહેશે દૂર
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા ફૂડ
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસ વિશેની લોકોને જાણકારી મળતા જ ડર ફેલાઈ ગયો હતો. તે સમયે શિયાળો હતો પણ હવે ઉનાળામાં જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે આપણે તે ચીજવસ્તુઓ જમવી જોઈએ કે જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. રોગપ્રતિકારક શક્તિ જેટલી વધારે હશે તેટલો જ કોરોના વાયરસ દૂર રહેશે. તો ચાલો જાણીએ કે ગરમીમાં કઈ ચીજવસ્તુઓ ખાશો તો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
ગરમીમાં ખાઓ દહીં
ગરમીની સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દહીં ખાવું જોઈએ. દરરોજ ઓછામાં ઓછો એક કપ દહીં ખાવું જોઈએ. તમે રોટલી અથવા તો ભાત સાથે દહીં જમી શકો છો. સાંજે દહીં અને રાયતું ખાવું જોઈએ નહીં.
કેળા ખાવાથી થશે ફાયદો
કેળામાં રહેલા તમામ તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેળામાં આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. કેળા ખાવાથી ફેફ્સામાં ઓક્સિજનમાં વધારો થાય છે. કોરોના વાયરસના કારણે શ્વસનતંત્ર પર થતી અસર સામે લડવા માટે કેળા ખાવા જરૂરી છે.
છાશ પીવાની સિઝન
છાશ પીવાથી લૂ લાગતી નથી અને પાચનતંત્ર વ્યવસ્થિત રીતે કામ કરે છે. બપોરે છાશ પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી. ભોજન બાદ છાશ પીવી જોઈએ, તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
તુલસી અમે મધની ચા
તુલસીમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા હોય છે અને સોજા પર નિયંત્રણ આવે છે. તમે ગરમીમાં બપોરે તુલસી અને મધ મિક્સ કરીને તેની ચા પી શકો છો. આ પ્રકારની ચા પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
આવી રીતે બનાવો તુલસીની ચા
તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં તુલસીના 4થી 5 પાંદડા અને ચા પત્તી સહિત કાળા મરી મિક્સ કરી ઉમેરો. આ ઉકળી જાય પછી તે થોડી મિનિટ રહેવા દો. તે ઠંડું થાય એટલે તેમાં મધ ઉમેરો. આ ચા પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
source https://www.iamgujarat.com/health-news/immunity-boosting-foods-to-fight-coronavirus-554500/
Comments
Post a Comment