ઈમ્યૂૂનિટી વધારીને અનેક રોગો સામે રક્ષણ આપશે આ આયુર્વેદિક ડ્રિંક, ખાલી પેટે પીવું

પ્રાચીન ચિકિત્સા આયુર્વેદ

આયુર્વેદ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેનો ઉપયોગ છેલ્લા 1000 વર્ષોથી કરવામાં આવે છે. આયુર્વેદની અસરકારકતા અને તેના મહત્વના કારણે તેના સિદ્ધાંતો અને કોન્સેપ્ટનો ઉપયોગ આજના મોર્ડન વર્લ્ડમાં પણ થાય છે. હાલ આખી દુનિયા અણધારી આફતની જેમ આવી પડેલી કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે આયુર્વેદ માનવજાત માટે વરદાન સાબિત થઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે આયુર્વેદ

હાલ કોરોના વાયરસની રસી કે દવા શોધાઈ નથી, દુનિયાભરના વૈજ્ઞાનિકો આ માટે મથી રહ્યા છે. એવામાં હાલ તો સોશિયલ ડિસ્ટન્સિંગ, પર્સનલ હાઈજિન, માસ્ક પહેરવા જેવી નાની-નાની સાવચેતીઓ જ આપણને આ જીવલેણ વાયરસ સામે રક્ષણ આપી શકે છે. જો કે, આ સિવાય આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો સુરક્ષિત રહી શકીશું. હેલ્ધી ફૂડ અને લાઈફસ્ટાઈલનું પાલન કરીને ઈમ્યૂનિટી વધારી શકાય છે. અહીં તમને એક આયુર્વેદિક ડ્રિંક વિશે જણાવીશું જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.

ખાલી પેટે પીવો આ ડ્રિંક

આયુર્વેદ મુજબ, ઓજસ (શરીરની આસપાસ પ્રકાશ અને તેજ) શારીરિક, માનસિક તંદુરસ્તી ઉપરાંત રોગપ્રતિરાક શક્તિ મજબૂત હોવાની પુષ્ટિ કરે છે. જે તમને જીર્ણતા અને કથળતી તંદુરસ્તી સામે લડવાની શક્તિ આપે છે ઉપરાંત ચમક અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે. આયુર્વેદિક ઓજસ ડ્રિંક નુકસાનકારક પેથોજન સામે લડવામાં મદદ કરી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવે છે. આ ડ્રિંક દિવસમાં એકવાર સવારે ઉઠીને ખાલી પેટે લેવાથી ફાયદો થાય છે.

બનાવવાની રીત

આખી રાત પલાળેલી 10 બદામ (છાલ કાઢી લેવી)
આખી રાત પલાળેલા 5 ખજૂર (ઠળિયા કાઢવા)
1 કપ ગાયનું દૂધ
1/4 ટીસ્પૂન હળદર
1/8 ટીસ્પૂન ઈલાયચી પાઉડર
1 ટીસ્પૂન ઘી
1 ટીસ્પૂન મધ

મિક્સ્ચર જારમાં બદામ, ખજૂર, હળદર, ઈલાયચી પાઉડર, ઘી અને દૂધ લો. આ બધી વસ્તુઓને 2-3 વાર સ્મૂધ થાય ત્યાં સુધી ક્રશ કરો. હવે આ મિશ્રણને એક ગ્લાસમાં કાઢી લો અને ઉપર મધ નાખો. બરાબર હલાવી લો. તમારું ઈમ્યૂનિટી બુસ્ટર ડ્રિંક તૈયાર છે.

કેવી રીતે ઉપયોગી છે આ ડ્રિંક

બદામ: આમાં વિટામિન E રહેલું છે, જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. સાથે જ તેમાં આયર્ન અને પ્રોટીન રહેલા છે જે શરીર માટે ખૂબ જરૂરી છે.

ખજૂર: ખજૂરમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા છે અને આરોગ્યપ્રદ છે. ફ્રી રેડિકલ્સ સામે શરીરને રક્ષણ પૂરું પાડે છે. ફ્રી રેડિકલ્સ શરીરમાં નુકસાનકારક રિએક્શનનું કારણ બનીને ઘણા રોગોને નોતરી શકે છે.

હળદર, ઈલાયચી અને મધમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. આ ત્રણેય રોગપ્રતિકારક શક્તિ માટે યોગ્ય ગણાય છે.



source https://www.iamgujarat.com/health-news/ayurvedic-drink-to-boost-immunity-healthy-too-557978/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?