લવિંગના તેલથી કેન્સરની સારવાર, IIT મદ્રાસે વિકસાવી થેરેપી
માનસ પ્રતિમ ગોહેન, નવી દિલ્હી: IIT મદ્રાસે કેન્સરની સારવાર માટે લવિંગના તેલનો ઉપયોગ કરીને એક મિશ્રણ તૈયાર કર્યું છે. અહીંના રિસર્ચર્સનો દાવો છે કે, તેની આ મિશ્રણ કેન્સરની સારવારમાં ઘણું ઉપયોગી થઈ શકે છે અને એન્ટી-માઈક્રોબાયલ રેઝિસ્ટન્સ કાબુ મેળી શકે છે. આ રિસર્ચ પેપર તાજતેરમાં જાણીતા ઈન્ટરનેશનલ જર્નલ ઓફ નોનોમેડિસિનમાં પ્રકાશિત થયું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial
આઈઆઈટી મદ્રાસમાં કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ આર નાગરાજનના માર્ગદર્શન હેઠળ રિસર્ચર્સની ટીમે આ મિશ્રણ તૈયાર કર્યું છે. નાગરાજને જણાવ્યું કે, લવિંગમાંથી નેનો-સ્કેલનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કેન્સર સામે લડતી અને બેક્ટેરિયા વિરોધી પ્રવાહી મિશ્રણ આપમેળે તૈયાર થતી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, આ ફોર્મ્યુલેશન્સ બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે. તેમના કહેવા મુજબ, રેડિએશન, કિમોથેરેપી અને સર્જરી જેવી પારંપરિક પદ્ધતિઓથી બીજી મોટી સાઈડ-ઈફેક્ટ્સની સાથે-સાથે સામાન્ય સેલ્સને કેટલાક નુકસાન પણ થાય છે, પરંતુ પાંદડામાંથી લેવાયેલું તેલથી આવી આડ અસરો થતી નથી.
તેમણે જણાવ્યું કે, ‘આ મિશ્રણોનો ફાયદો એ છે કે તે નાના ડ્રોપ્લેટ સાઈઝમાં છે ઉપરાંત તૈયાર કરવામાં સરળ, નજરે દેખાતી સ્પષ્ટતા, સારી શારીરિક સ્થિરતા, જૈવિક ઉપલબ્ધતામાં સુધારો, બિન ઝેરી છે અને તાપસી નથી.’ નાગરાજને કહ્યું કે, આ મિશ્રણ શરીરમાં પ્રસરતા જતા કેન્સરની સારવારમાં ઘણું ઉપયોગી થઈ શકે છે. ઉપરાંત તેમાં વપરાતી વસ્તુઓ સસ્તી છે અને સારું પરિણામ આપે છે, અને બનાવવાનું સરળ છે, જે કોઈપણ દવા બનાવવામાં ઘણું જરૂરી છે.’
વૈજ્ઞાનિકોની આ ટીમમાં એ પોસ્ટ ડોક્ટરલ ફેલો જોયસે નિર્મલા, બી ટેક સ્ટૂડન્ટ વિનીત ગોપકુમાર અને રિસર્ચ સાયન્ટિસ્ટ લથા દુરાઈનો સમાવેશ થતો હતો. આ બધા જ આઈઆઈટી મદ્રાસના છે .
source https://www.iamgujarat.com/health-news/iit-madras-developed-a-clove-oil-based-emulsion-to-treat-cancer-551527/
Comments
Post a Comment