સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ તો કોરોના વાયરસની શક્યતા
સામે આવ્યા કોરોનાના નવા લક્ષણ

ભારતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે કોરોના વાયરસના લક્ષણમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના નવા લક્ષણોમાં સૂંઘવાની ક્ષમતા ઓછી થવી અને સ્વાદ પારખી શકવો નહીં તે 2 લક્ષણોનો ઉમેરો કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
સ્વાદ અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો

ભારતમાં કોરોના વાયરસના હજારો એવા દર્દીઓ છે કે જેમનામાં કોરોના વાયરસના કોઈ ગંભીર લક્ષણ નહીં જોવા મળતા પણ રિઝલ્ટ પોઝિટિવ આવી રહ્યું છે. આ પ્રકારના દર્દીઓને asymptomatic કહેવાય છે કે જેઓમાં કોરોના વાયરસના લક્ષણ નહીં જોવા મળતા પણ કોરોના વાયરસની હાજરી હોય છે.
કોરોના વાયરસના સામાન્ય લક્ષણો

કોરોના વાયરસના સામાન્ય લક્ષણોમાં દર્દીને તાવ આવે છે, સૂકો કફ સહિત ઉધરસ અને થાકનો અનુભવ થાય છે. આ સિવાય વારંવાર ગળું સૂકાઈ જવું, શરીર અને માથામાં દુ:ખાવો, ચામડી સૂકી પડી જવી અને હાથ તેમજ પગની આંગળીનો રંગ બદલાઈ જવો પણ સામેલ છે. કોરોના વાયરસના જે દર્દીઓ ગંભીરરીતે પીડિત છે તેઓમાં શ્વાસ લેવામાં તકલીફ થવી અને છાતીમાં દર્દની સમસ્યા સામેલ છે. હવે સ્વાદ અને સૂંઘવાની ક્ષમતામાં ઘટાડો થવો પણ કોરોના વાયરસના નવા લક્ષણો છે.
ભારતમાં કોરોનાના કેસ 3 લાખને પાર

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 308,993 કેસ નોંધાયા છે અને કુલ 8,884 લોકોના અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોમાં કોરોના વાયરસના કારણે હાલત ખૂબ જ ખરાબ છે. જ્યારે ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22,562 થઈ છે.
source https://www.iamgujarat.com/health-news/loss-of-taste-or-smell-is-new-symptoms-of-coronavirus-563574/
Comments
Post a Comment