શું કોરોના વાયરસની અસર દર્દીઓના સુગર લેવલ પર થઈ રહી છે?

મુંબઈ: શું કોરોના વાયરસના કારણે દર્દીઓના શરીરમાં સુગરનું પ્રમાણ અસંતુલિત થઈ રહ્યું છે? અથવા દર્દીના સુગરમાં વધારો થઈ રહ્યો છે? છેલ્લાં ઘણાં મહિનાથી સમગ્ર વિશ્વના ડોક્ટર્સ એવું કહી રહ્યા છે કે ડાયાબિટીસના દર્દીઓમાં કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ રહેલું છે. હવે એક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે કોરોના વાયરસના કારણે સ્વાદુપિંડ પર અસર થાય છે અને દર્દીઓના શરીરમાં સુગરનું પ્રમાણ પણ વધી શકે છે. એક ડોક્ટરે આ વિશે વાત કરતા જણાવ્યું કે જે દર્દીઓ આવી રહ્યા છે તેઓમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કારણકે સ્વાદુપિંડ ઈન્સ્યુલિન ઉત્તપન્ન કરે છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. જ્યારે નવા રિપોર્ટ્સમાં એવું સામે આવ્યું છે કે કોરોના વાયરસના કારણે દર્દીના સ્વાદુપિંડને અસર થાય છે. ડોક્ટરે આ વિશે વધુ વાત કરતા જણાવ્યું કે જો બ્લડ સુગર અનિયંત્રિત થઈ જાય તો દર્દીમાં ડાયાબિટીસના રોગની શક્યતાઓ વધી જાય છે.

પણ, સુગરમાં કામચલાઉ વધારો થવો તે ડાયાબિટીસ નથી. ક્યારેક સુગર વધવાના કારણે ડાયાબિટીસનો રોગ થઈ જતો નથી. દર્દીનું સતત 6 મહિનાનું ચેકઅપ થાય ત્યાર બાદ જાણી શકાય કે ખરેખર સમસ્યા શું છે. પણ, આ રિપોર્ટ પરથી એવું પણ સામે આવ્યું છે કે કોરોના વાયરસ અને હાઈ સુગર વચ્ચે સંબંધ રહેલો છે.



source https://www.iamgujarat.com/health-news/is-coronavirus-causing-high-sugar-among-patients-563891/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?