આખરે ડાયાબિટિઝના દર્દીઓ માટે કેમ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે કોરોના?

કોરોનાના આંકડા શું બોલે છે

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ભારતને ડાયાબિટિઝની રાજધાની કહેવામાં આવે છે. કોરોનાવાયરસની મહામારીએ દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં દુનિયામાં આ મહામારીના કારણે લાખો લોકોના જીવ ગયા છે. ત્યારે એક એહેવાલ મુજબ કોરોના વાયરસથી સૌથી વધુ મોત ડાયાબિટિઝ અને હૃદયરોગના દર્દીઓના થયા છે. ત્યારે ડોક્ટર્સ અને નિષ્ણાંત પહેલાથી જ જેમને ડાયાબિટિસ છે તેવા દર્દીઓને વધુ સાવધાની રાખવા માટે સલાહ આપે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ડાયાબિટિઝ દર્દી માટે કેમ ઘાતક છે કોરોના

NBT

ડાયાબિટિસઝના દર્દીઓમાં કોરોના વાયરસ શરીરમાં પ્રવેશતા જ જલ્દીથી સંક્રમણ ફેલાવવા લાગે છે. એક અભ્યાસમાં જોવા મળ્યું કે સામાન્ય વ્યક્તિમાં કોરોનાના સંક્રમણની ઝડપ ઓછી હોય છે પરંતુ ડાયાબિટિઝના દર્દીમાં તે ખૂબ જ ઝડપથી શ્વસનતંત્રને જકડવા લાગે છે. જેથી આ દર્દીઓએ વહેલીતકે જ સારવાર લેવી જોઈએ અન્યથા કોરોના જીવલેણ સાબિત થાય છે.

બીજુ કારણ રોગપ્રતિકારક ક્ષમતા

NBT

ડાયાબિટિઝ જેવા રોગથી જજૂમી રહેલા લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ નબળી પડી જાય છે. ડાયાબિટિઝના દર્દીઓમાં રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે તેમાં પણ કોરોનાના ફેલાવા બાદ દવાઓની અસર ઓછી થઈ જાય છે અને રિકવરી સ્લો થઈ જાય છે. આ કારણ છે કે ડાયાબિટિઝના દર્દીઓ માટે કોરોનાવાયરસ વધારે જીવલેણ સાબિત થાય છે.

સ્ટ્રેસના કારણે વધી જાય છે ખતરો

NBT

હાલમાં જ એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ દ્વારા જો વધુ સ્ટ્રેસ લેવામાં આવે તો જીવ ગુમાવવનો ભય અનેકગણો વધી જાય છે. ડાયાબિટિઝના દર્દી પહેલાથી જ બીમારીના કારણે સ્ટ્રેસ લેતા હોય છે તેમાં કોરોનના સંક્રમણ તેમના સ્ટ્રેસમાં ખૂબ જ વધારો કરે છે.

સંક્રમિત થયા બાદ શું કરવું

NBT

ડાયાબિટિઝના દર્દીઓને જો એવું લાગે કે તેઓ કોરોના સંક્રમિત થયા છે. તો જરા પણ સમય બગાડ્યા વગર સારવાર માટે ડોક્ટર્સ પાસે જવું જોઈએ. તેમજ ખાસ કરીને જરા પણ માનસિક તાણ ન લેવું જોઈએ. તેમજ સારવાર દરમિયાન ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવેલ દરેક બાબતોનું ગંભીરતાપૂર્વક પાલન કરવું જોઈએ.

બચવા માટે આ કામ કરો

NBT

કોરોનાના સંક્રમણથી બચવા માટે ફક્ત ડાયાબિટિઝના દર્દી જ નહીં પરંતુ સામાન્ય લોકોએ પણ આ સાવચેતી લેવી જોઈએ. દરેક નાનામાં નાની સેફ્ટી ટિપ્સનું પાલન કરશો તો જ આ સંક્રમણથી બચશો. ખાસ કરીને ધ્યાન રાખો કે ઘરની બહાર નીકળો તો કોઈપણ શરદી-ઉધરસ કે તાવ ધરાવતા વ્યક્તિની નજીક ન જાવ. તેમજ ડાયાબિટિઝના દર્દીઓએ આયુષ મંત્રાલય દ્વારા સૂચવ્યા મુજબ કાઢો ઘરે બનાવીને પીવો જોઈએ.



source https://www.iamgujarat.com/health-news/why-diabetic-patient-are-at-more-risk-amid-corona-situation-worldwide-568479/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?