કેમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કોરોના?
ડાયાબિટીસના દર્દી માટે ખતરનાક છે કોરોના

એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓમાં મોટાભાગના દર્દીઓમાં ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત સમસ્યા જોવા મળી છે. કેટલાંક કેસમાં ડોક્ટર્સે ડાયાબિટીસના દર્દીઓને વિશેષ સાવધાની રાખવાનું જણાવ્યું છે. કેમ ડાયાબિટીસના દર્દીઓમાં કોરોના વાયરસ વધારે ઘાતકી સાબિત થઈ રહ્યો છે? ચાલો જાણીએ.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ડાયાબિટીસના દર્દીમાં ઝડપથી ફેલાય છે કોરોના

કોરોના વાયરસ ડાયાબિટીસના દર્દીઓમાં પ્રવેશ્યા પછી ઝડપથી ફેલાય છે. જેની અસર દર્દીના શ્વસન તંત્ર ઉપર પડે છે અને જો દર્દી ઈલાજ માટે સમયસર હોસ્પિટલ પહોંચે નહીં તો આ સ્થિતિ તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે

કારણકે ડાયાબિટીસના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેના કારણે તે જલદી કોરોના વાયરસના ચેપનો ભોગ બને છે. આ દર્દીઓમાં દવાની અસર પણ ધીરે-ધીરે થાય છે અને આ કારણે કોરોના વાયરસ, ડાયાબિટીસના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ડાયાબિટીસના દર્દીઓને જ્યારે એવું જાણવા મળે કે તેઓ કોરોના વાયરસનો ભોગ બન્યા છે તો તેઓ જલદી તણાવમાં આવી જાય છે. આ કારણે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોરોના વાયરસ ઘાતકી સાબિત થઈ રહ્યો છે.
ડાયાબિટીસના દર્દીઓ તણાવથી દૂર રહે

ડાયાબિટીસના દર્દીઓએ તણાવ લેવો જોઈએ નહીં, અને જ્યારે એવું જાણવા મળે કે તેઓ કોરોના વાયરસ સંક્રમિત છે તો તેમણે તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ. ઈલાજ દરમિયાન ડોક્ટર તરફથી જણાવવામાં આવેલી તમામ વાતોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ અને આયુર્વેદિક ઉકાળાનું પણ સેવન કરવું જોઈએ.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
source https://www.iamgujarat.com/health-news/diabetes-and-coronavirus-what-people-should-know-568370/
Comments
Post a Comment