આ રીતે ત્રિફળાનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, આ સમયે કરવું સેવન

ત્રિફળા વધારશે રોગપ્રતિકારક શક્તિ

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે હવે લોકો રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા પર ભાર આપી રહ્યા છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ તમને બીમારી ફેલાવતા વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. જ્યારે ઈમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને વધારવાની વાત આવે ત્યારે ત્રિફળાને કેવી રીતે ભૂલી શકાય. ત્રિફળા ત્રણ ફળોનું મિશ્રણ છે. પુતના નામની હરડે, બહેડાં અને આમળાંનું ચૂર્ણ એટલે ત્રિફળા. રોજ ત્રિફળાનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત થવાની સાથે લાંબા ગાળાની બીમારીઓ પણ દૂર થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ત્રિફળાના ત્રણ ફળ

આમળા– એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, પોટેશિયમ અને ફાઈબર આમળામાં રહેલા છે. જે શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢે છે. સાથે જ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે, વાળ, નખ અને દાંતની સ્થિતિ સુધારે છે.

હરડે– પોષકતત્વોથી ભરપૂર હરડેમાં પોટેશિયમ, મેંગેનીઝ, લોહતત્વ અને કોપર રહેલા છે. બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.

બહેડાં– એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વો રહેલા છે. પાચન માટે સારા છે, ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે, ગળામાં ખરાશ હોય તો મટાડે છે. સાથે જ એલર્જી અને કબજિયાતમાં રાહત અપાવે છે.

કેવી રીતે બનાવશો ત્રિફળાની ચા

સામગ્રી

1 કપ પાણી અને 1 કપ ત્રિફળા પાઉડર
અથવા
1 કપ પાણી, 1 આમળું, 1 હરડે અને 1 બહેડું.

બનાવવાની રીત

પ્રથમ પદ્ધતિ– એક કપ ગરમ પાણીમાં એક ચમચી ત્રિફળાનો પાઉડર મિક્સ કરો. બે મિનિટ રાખી મૂકો અને પછી પી લો.

બીજી પદ્ધતિ– 1 વાસણ લો, તેમાં 1 આમળું, 1 હરડે અને 1 બહેડું નાખો. પાણીનો ઊભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો. મિશ્રને 2-3 મિનિટ ઠંડું પડવા દો. પછી ગાળીને આ પાણી પી લો. સ્વાદ માટે તમે 1 ચમચી લીંબુનો રસ ઉમેરી શકો છો.

ત્રિફળાની ચાના ફાયદા

– શરીરમાં Cholecystokininનો સ્ત્રાવ બનાવવામાં મદદ કરે છે. જેથી પેટ ભરેલું લાગે અને આચરકૂચર ખાવાનું ટાળીએ.
– શરીરને ડિટોક્સ કરીને તેમાંથી બીમારીને આમંત્રિત કરતાં ટોક્સિન્સ દૂર કરે છે. જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
– પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ ચા મદદ કરી શકે છે.
– દાંતની સમસ્યાઓ જેવી કે પ્લાક, પેઢામાં દુખાવો, મોઢાના ચાંદા વગેરેમાં રાહત અપાવે છે.
– યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી પીડાતી મહિલાઓ માટે પણ આ ચા ફાયદાકારક છે.

ક્યારે પીવી

ત્રિફળા ચા સવારે ખાલી પેટે અથવા રાત્રે ઊંઘવાના અડધો કલાક પહેલા પીવી જોઈએ.



source https://www.iamgujarat.com/health-news/have-triphala-in-the-morning-to-boost-immunity-563165/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?