શું તુલસી સાથે દૂધ પીવું યોગ્ય છે કે નહીં?
કોરોના વાયરસની મહામારી દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો હવે કસરત કરી રહ્યા છે અને સારા ભોજનની આદત પાડી રહ્યા છે. ભારતીય લોકો આયુર્વેદનો સહારો લઈ રહ્યા છે. જેમ કે મોટાભાગના ભારતીયોના ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસી પૂજાના કામ સહિત સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. પણ, શું તુલસી અને દૂધ સાથે લઈ શકાય કે નહીં? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
તુલસીમાં વધુ માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે જેનાથી હાર્ટ સ્વસ્થ રહે છે. શ્વાસ સંલગ્ન બીમારીઓમાં પણ રાહત મળે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ઋતુ બદલાતા આવતા વાયરસથી બચી શકાય છે. પણ, તુલસી તીખી હોવાને કારણે તે દૂધ સાથે લેવી જોઈએ નહીં. એટલે કે દૂધ અને તુલસીનું સાથે સેવન કરવું જોઈએ નહીં.
ડોક્ટરના જણાવ્યા મુજબ કેટલાંક એવા સ્વાદ હોય છે જે દૂધની સાથે મિક્સ થતા શરીરમાં સમસ્યા થઈ શકે છે. દૂધની સાથે તીખી, ખાટી, કડવી, ખારા સ્વાદવાળી ચીજવસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. પણ, એવું કોઈ રિસર્ચ થયું નથી જે એવું સાબિત કરી આપે કે દૂધ અને તુલસીનું સેવન એકસાથે કરવું જોઈએ નહીં. ડોક્ટરના જણાવ્યા મુજબ જો તુલસીને દૂધ સાથે લેવી હોય તો પછી ચાની જેમ (ચા બનાવીને) લેવી જોઈએ. કારણકે દૂધની સાથે મિક્સ થયા પછી તુલસીના તત્વમાં ફેરફાર થાય છે. જેના કારણે તુલસીવાળુ દૂધ એસિડિક થઈ જાય છે અને તે આપણા શરીર માટે યોગ્ય નથી.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
source https://www.iamgujarat.com/health-news/side-effects-of-tulsi-milk-565300/
Comments
Post a Comment