શું તમે બ્રેડ અને મધને ફ્રિજમાં મૂકો છો? આટલું જાણી લેશો તો ફાયદામાં રહેશો
દરેક નાસ્તો ફ્રિજમાં સ્ટોર કરો છો?

જ્યારે પણ નાસ્તો સ્ટોર કરવાની વાત આવે ત્યારે તેને બધા ફ્રિજ તરફ ભાગવા લાગે છે…પછી તેમ પણ નથી જોતા કે તેને ફ્રિજમાં રાખવાની જરૂર છે કે નહીં. અહીંયા અમે તમને જણાવીશું એવી વસ્તુ વિશે જે રૂમ ટેમ્પરેચર પર વધારે સમય સુધી એકદમ ફ્રેશ રહે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
બ્રેડને ફ્રિજમાં રાખવાની જરૂર નથી

– જી હા…ચોંકવાની જરૂર નથી, શું તમે ક્યારેય કરિયાણાની દુકાનમાં કે બેકરીમાં બ્રેડને ફ્રિજમાં રાખેલી હોય તેવું જોયું છે? જવાબ હશે ના…કારણ કે બ્રેડ રૂમ ટેમ્પ્રેચર પર જ સારી રહે છે.
– જો તમે બ્રેડને ફ્રિજમાં રાખશો તો તે સૂકાઈ જશે અને કડક થઈ જશે. આ સિવાય તેનો સ્વાદ પણ બદલાય જાય છે. જેના કારણે તે પહેલા કરતાં ટેસ્ટી લાગતી નથી. જો તમે બ્રેડને તેના પેકેટ પર આપવામાં આવેલી એક્સપાઈરી ડેટ જોઈને લાવશો તો બ્રેડને ફ્રિજમાં રાખવાની કોઈ જરૂર નથી.
મધને પણ ફ્રિજમાં ન મૂકશો

-મોટાભાગના લોકો આ વાત જાણતા નથી કે જો મધને ફ્રિજમાં રાખવામાં આવે તો તેનો ટેસ્ટ અને ટેક્સચર બંને બદલાઈ જાય છે. મધને ફ્રિજમાં રાખવાથી તે ક્રિસ્ટલાઈઝ્ડ થઈ જાય છે. કોઈ પારદર્શી પત્થરની જેમ દેખાવા લાગે છે.
– આ સાથે તેનો ખાવામાં ઉપયોગ કરવો મુશ્કેલ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે. તેથી મધને પણ બહાર જ રાખો. જો તેને કાઢવામાં મુશ્કેલી થાય તો થોડીવાર માટે ગરમ પાણીમાં બોટલને મૂકી દો.
નટ્સ

મોટાભાગના લોકો ડ્રાયફ્રૂટ્સ ફ્રિજમાં રાખે છે, કારણ કે તેમનું કહેવું હોય છે કે, બહાર રાખવાથી તે ખરાબ થઈ જાય છે.
– પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ડ્રાયફ્રૂટ્સને બહાર રાખશો તો પણ તેને મહિનાઓ સુધી કંઈ થશે નહીં. બસ તેને થોડી ઠંડી જગ્યા હોય ત્યાં રાખવું. સૂર્યનો પ્રકાશ તેના પર સીધો ન આવવો જોઈએ.
source https://www.iamgujarat.com/health-news/you-should-not-store-bread-and-honey-in-the-fridge-here-is-why-563425/
Comments
Post a Comment