COVID 19: કરિયાણું ખરીદવા જાઓ ત્યારે દુકાનમાં રહેલી આ વસ્તુને ભૂલથી પણ ન અડશો

અનલોક 1.0

દેશભરમાં લોકડાઉન 5.0 (અનલોક 1.0) લાગુ કરાયું છે. ધીમે-ધીમે દુકાનો અને માર્કેટ ખોલું રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો પણ આ સાથે વધી રહ્યો છે, ત્યારે આ કપરા સમયમાં પોતાને સંક્રમણથી કેવી રીતે બચાવવા તે અંગે દરેક કોઈ જાણવા માગે છે. કોરોનાના કારણે કેટલાક તો બહાર જતાં પણ ડર છે. જો કે, કેટલાક કામ એવા હોય છે જ્યારે તમારે ફરજિયાત બહાર જવું જ પડે. જેમ કે, કરિયાણું લેવું હોય ત્યારે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કરિયાણાની દુકાન પણ વાયરસનો ભંડાર હોઈ શકે છે. તમે હાથમાં ગ્લવ્ઝ અને મોં પર માસ્ક પહેરીને જાઓ તો પણ કરિયાણાની દુકાનમાં કેટલીક એવી વસ્તુ છે જે તમારે ન અડવી જોઈએ.

કરિયાણાની દુકાનમાં આ વસ્તુ ન અડવી

શોપિંગ બાસ્કેટ અને શોપિંગ કાર્ટ કરિયાણાની દુકાનમાં રહેલી એવી વસ્તુ હોય છે, જેને વારંવાર લોકો અડતા હોય છે. આ સિવાય કેટલીક જગ્યાએ તો તેને વારંવાર સેનિટાઈઝ પણ કરાતી નથી. તેથી કરિયાણાની દુકાનમાં જાઓ તો આ બે વસ્તુને ન અડશો. જેટલું જરૂરી હોય એટલું જ ખરીદો, વધારે પડતી ખરીદી કરશો નહીં. આ સિવાય તમારે જે વસ્તુ નથી લેવી તેને પણ સ્પર્શવું નહીં.

અહીંયા, જાણો આ પાછળનું કારણ

વધારે ખરીદી કરવાની હોવાથી મોલ કે દુકાનમાં લોકો શોપિંગ બાસ્કેટ અને કાર્ટનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ થયો કે, તેના હેન્ડલ પર વારંવાર હાથ અડ્યા હશે. તેથી તે જર્મ્સ અને વાયરસનું હોટસ્પોટ સરળતાથી બની શકે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ આ કાર્ટ કે બાસ્કેટને અડ્યું હશે અને તમે તે અડશો તો વાયરસ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. જો તમે ગ્લવ્ઝ પહેરીને તે બાસ્કેટને અડ્યા તો પણ તમારા કપડા કે અન્ય વસ્તુથી તે તમારા શરીરમાં પ્રવેશી શકે છે.

આવી સ્થિતિ શું કરવું જોઈએ?

શોપિંગ બેગ કે કાર્ટને શોધ્યા વગર ઘરેથી તમારી સાથે કાપડમાંથી બનેલી થેલી લઈને જવી. જો વધારે વસ્તુ લેવાની હોય અને તે તમારી થેલીમાં ન આવી રહી હોય તો પછી શોપિંગ બેગની જગ્યાએ શોપિંગ કાર્ટનો ઉપયોગ કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ કરતાં પહેલા તે સેનિટાઈઝ થયેલું હોવું જોઈએ.

આ બાબત પણ ધ્યાનમાં રાખો

કોરોના વાયરસથી બચવા માટેનું સૌથી મોટું હથિયાર છે સોશિયલ ડિસ્ટન્સિંગ. જો તમારે કરિયાણું લેવા જવાનું હોય તો એવા સમયે જાઓ જ્યારે ભીડ ખૂબ ઓછી હોય. જેમ કે, વહેલી સવારે અથવા બપોરે. દુકાનમાં જતા પહેલા મોં યોગ્ય રીતે ઢંકાયેલું હોય તેનું ધ્યાન રાખવું. દુકાનમાંથી બહાર નીકળ્યા બાદ તમારા હાથને સેનિટાઈઝ કરવાનું ભૂલશો નહીં.

ઘરે પહોંચ્યા બાદ…

ઘરે પહોંચ્યા બાદ જે થેલી લઈને તમે દુકાને ગયા હો તેને ધોઈ નાખો અને તમારા હાથને સાબુ-પાણીથી 20 સેકન્ડ સુધી વોશ કરો. આ સિવાય ફૂડ પેકેટને પણ પાણીથી અથવા હળદરવાળા પાણીથી સાફ કરીને થોડા સમય માટે તડકામાં સૂકવી દો.



source https://www.iamgujarat.com/health-news/coronavirus-you-should-avoid-touching-this-thing-while-shopping-for-grocery-559457/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?