કોરોના સંક્રમિત થતા આવુ ભોજન લઈ રહ્યા છે અમિતાભ બચ્ચન

હોસ્પિટલમાં રહીને તબિયતનું ધ્યાન રાખ્યું

અમિતાભ બચ્ચનની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે. જ્યારે અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે એક પડકાર તરીકે તેનો સ્વીકાર કર્યો અને હોસ્પિટલમાં રહીને તબિયતનું ધ્યાન રાખ્યું. જે કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેણે એવો આહાર લેવો જોઈએ કે જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. અહીં નોંધનીય છે કે અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અનેક બીમારીઓની સામે લડી ચૂક્યા છે

અમિતાભ બચ્ચન વર્ષ 1980ના દાયકામાં જ્યારે ઈજાગ્રસ્ત થયા ત્યારે તેઓને લાંબી સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારબાદ પણ તેઓ અનેક બીમારીઓની સામે લડી ચૂક્યા છે. જ્યારે તેઓ કોરોના સંક્રમિત થયા ત્યારે તેમણે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

આ પ્રકારનો આહાર લેવો જોઈએ

ડોક્ટર્સના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિત વ્યક્તિનો આહાર એવો હોવો જોઈએ કે જેથી શરીરમાં વિટામિન્સનું પ્રમાણ જળવાઈ રહે. ખાસ કરીને વિટામીન સી અને ડીયુક્ત આહાર લેવો જોઈએ. સાથે જ થોડું ગરમ પાણી, તાજા શાકભાજી, ખિચડી અને દાળ જમવા જોઈએ. એવું ભોજન કે જેનાથી કોરોનાના દર્દીનો થાક દૂર થાય, શરીરમાં શક્તિ આવે. જેથી કોરોના વાયરસને જલદી હરાવી શકાય.

દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવું

જે કોઈ વ્યક્તિનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેણે જમવામાં વિવિધ શાકભાજી જમવા જોઈએ. વધારે પડતું મીઠું, તેલ અથવા ખાંડવાળા આહાર લેવો જોઈએ નહીં. ડાયાબિટીસના દર્દીએ ગળ્યા આહારથી દૂર રહેવું જોઈએ. દિવસ દરમિયાન ભરપૂર પાણી પીવું જોઈએ અને ફળ ખાવા જોઈએ. આલ્કોહોલનું સેવન કરવું જોઈએ નહીં.



source https://www.iamgujarat.com/health-news/coronavirus-positive-amitabh-bachchan-know-about-food-573442/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?