કોરોનાના આ નવા લક્ષણની અસર મગજ પર પડી શકે છે: રિપોર્ટ
કોરોનાનું નવું લક્ષણ સામે આવ્યું

કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં સતત નવા રિસર્ચ થઈ રહ્યા છે. કોરોના વાયરસ નવો છે, આ વાયરસ અંગે જેટલું પણ સંશોધન થઈ રહ્યું છે તેટલી જ ચોંકાવનારી જાણકારીઓ સામે આવી રહી છે. હવે એક નવા રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે કોરોના વાયરસના દર્દીઓમાં ચિંતા અથવા તો તણાવવાળા મૂડ હોવાના લક્ષણોની શક્યતાઓ રહેલી છે.
દર્દીઓમાં મનોવૈજ્ઞાનિક લક્ષણો

ધ Laryngoscope જર્નલમાં પ્રકાશિત તારણો થકી એવું જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના દર્દીઓમાં આ મનોવૈજ્ઞાનિક લક્ષણો જેવા કે ચિંતા અને અવસાદ જોવા મળ્યા છે. આ લક્ષણો કોરોનાના દર્દીના અન્ય લક્ષણો જેવા કે સૂંઘવાની શક્તિ ગુમાવવી સાથે જોડાયેલા છે. જે કોરોના વાયરસના સામાન્ય લક્ષણો જેવા કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઉધરસ અથવા તાવ જેવા લક્ષણવાળા દર્દીઓમાં જોવા નથી મળ્યા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે…

એક રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોનાના સૌથી ઓછા હાનિકારક લક્ષણ સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારીનું કારણ બની શકે છે. જેનાથી આપણને આ બીમારી વિશે કશું નવું જાણવા મળી શકે છે. સંશોધકોએ ગત 6 અઠવાડિયામાં કોરોના સંક્રમિત થયેલા 114 દર્દીઓ સાથે ટેલિફોન પ્રશ્નાવલી દ્વારા સવાલ પૂછવામાં આવ્યા. આ તમામ 114 દર્દીઓનો સ્વિત્ઝરલેન્ડમાં ઈલાજ થયો હતો.
મૂડ ઘણાં દિવસ સુધી તણાવગ્રસ્ત રહ્યો

સંશોધકોએ સૂંઘવાની અને સ્વાદની શક્તિ ગુમાવવી, નાક બંધ થઈ જવું, તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણોનું અધ્યયન કર્યું. જેમાં આ કોરોનાના દર્દીઓ થકી એવું જાણવા મળ્યું કે 47.4 ટકા દર્દીઓએ જણાવ્યું કે તેઓ મૂડ ઘણાં દિવસ સુધી તણાવગ્રસ્ત રહ્યો હતો. જ્યારે 21.1 ટકા દર્દીઓએ જણાવ્યું કે તેઓ દરરોજ ઉદાસ રહેતા હતા. સાથે જ આ દર્દીઓએ ચિંતામાં રહેતા હોવાની પણ વાત કરી હતી.
source https://www.iamgujarat.com/health-news/anxiety-may-be-symptoms-of-coronavirus-574543/
Comments
Post a Comment