હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

આ લક્ષણો દેખાતાં હોસ્પિટલમાં દાખલ થયા ઐશ્વર્યા-આરાધ્યા

એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ ગત રવિવારે (9 જુલાઈ) પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ હોમ ક્વોરન્ટીન થયા હતા. જો કે, રિપોર્ટ પ્રમાણે, 17 જુલાઈએ તેઓએ શ્વાસમાં તકલીફની ફરિયાદ કરી હતી સાથે જ તાવ વધી જતાં તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં અગાઉથી જ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે લક્ષણો

અગાઉ ઐશ્વર્યા અને આરાધ્યા અસિમ્પટોમેટિક હતા અને ઘરે ક્વોરન્ટીન થયા હતા. હોમ ક્વોરન્ટીન થયેલા કોરોનાના ઘણા દર્દીઓ અગાઉ સાજા થઈ ગયા છે. જો કે, કોરોનાના લક્ષણો માઈલ્ડમાંથી વધી જતાં વાર નથી અને આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. અસિપ્ટમેટિક દર્દીઓ હોય તેમને પણ સતત મોનિટર કરવાની જરૂર છે. જેથી તેમના લક્ષણો વકરે તો સમયસર સારવાર મળી રહી. અહીં તમને 4 એવા લક્ષણો વિશે જણાવીશું જે દેખાય તો કોરોનાના દર્દીએ વાર કર્યા વિના હોસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ.

શ્વાસ લેવામાં તકલીફ

શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો સંકેત આપે છે કે સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસ રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે અને આ વાયરસ ફેફસા અને શ્વનસમાર્ગ પર હુમલો કરે છે. જેના લીધે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો તમને થોડુંક ચાલતા જ શ્વાસ ચડી જતો હોય તો આ વોર્નિંગ સાઈન ઓળખીને તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ.

ઓક્સિજન લેવલ ઘટવું

ઓક્સિજન લેવલ ઘટી જવું પણ ચિંતાનો વિષય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય ત્યારે તેનો કોવિડ ન્યૂમોનિયા થવાની સંભાવના વધી જાય છે. હોસ્પિટલમાં દર્દી દાખલ હોય ત્યારે બધી બાબતોનું વ્યવસ્થિત ધ્યાન રખાતું હોય છે પરંતુ સંક્રમિત વ્યક્તિનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટી જાય છે અને તેને ખબર પણ નથી પડતી. એટલે જ હોમ ક્વોરન્ટીન થયેલા દર્દીઓને કેટલાક રાજ્યો ઓક્સિમીટર પૂરા પાડે છે જેથી તે પોતાનું ઓક્સિજન લેવલ ચેક કરી શકે. જ્યારે શરીરમાં ઓક્સિજન ઘટી જાય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. આ સમયે તમારે તાત્કાલિક સારવારની જરૂર પડે છે.

મૂંઝવણ થવી

કોવિડ-19 મગજ અને નર્વસ સિસ્ટમ પર હળવી અસર કરે છે. તમે કેવું અનુભવો છો, મૂંઝવણી, ઊંઘ આવવી કે આળસ થવી વગેરે સંક્રમણ વધી રહ્યું હોવાની નિશાની છે. નિષ્ણાતોના મતે, જો દર્દીને બોલવામાં લોચા પડે અથવા તો સામાન્ય કામ પણ વ્યવસ્થિત ના કરી શકે તો સમજવું કે કોરોના વકરી રહ્યો છે.

છાતીમાં દુખાવો

કોઈપણ પ્રકારના છાતીના દુખાવાને ક્યારેય હળવાશમાં ના લેવો જોઈએ. કોરોના ફેફસાના મ્યુકોસલ લાઈનિંગ પર હુમલો કરે છે. જેના કારણે છાતી કે તેના આસપાસના ભાગમાં ખેંચાણ કે બેચેની જેવું લાગ્યા કરે છે. ઘણીવાર કોરોનાના દર્દીઓને સ્તનના હાડકાં નીચે દુખાવો રહ્યા કરે છે. જો આ દુખાવો અસહ્ય થઈ જાય તો ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ.

હોઠ વાદળી થવા

હોઠ અથવા ચહેરાના કોઈ ભાગ પર વાદળી રંગના ચાઠા ઉપસી આવે તો ઓક્સિજન લેવલ ઘટી ગયું છે તેમ સમજવું. દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવો.

અન્ય લક્ષણો

ઉપર જણાવેલા લક્ષણો ઉપરાંત સ્વાદ કે સૂંઘવાની શક્તિ જતી રહેવી, ઝાડા થવા વગેરે જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ.



source https://www.iamgujarat.com/health-news/warning-symptoms-of-coronavirus-which-needs-hospitalization-575143/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?