જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

મુંબઈઃ કોરોના વાયરસ મહામારીના સમયમાં નારિયેળ તેલ અને તેનાથી ‘સ્વાસ્થ્યને લગતા ફાયદા’ ફરી એકવાર ડોક્ટરોમાં ચર્ચાનાં કેન્દ્રમાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ભારતની પ્રતિષ્ઠિત જર્નલમાંથી એક JAPI (જરનલ ઓફ અસોસિએશન ઓફ ફિઝિશિયન)એ જુલાઈના પોતાના એડિશનમાં નારિયેળ તેલના ‘ઇમ્યુનો મોડ્યુલેશન બેનેફિટ્સ’ અને ‘સુક્ષ્મજીવાણુઓ સામે કામ કરવાની ક્ષમતા’ પર સમીક્ષા કરી છે.

આ પેપરના મુખ્ય લેખકોમાંથી એક ડો. શશાંક જોશીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘નારિયેળ તેલમાં લોરિક એલિડ હોય છે. જે શરીર દ્વારા સરળતાથી સંશ્લેષિત થઈ શકે છે. ભારતીયો વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ લે છે, ખાસ કરીને ઘી, જે શરીરના મેટાબોલિઝ્મ માટે ફેટ મેળવવાનો યોગ્ય સ્ત્રોત છે’. શશાંક જોશી ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સના ડીન અને કોવિડ 19 માટેની રાજ્ય સરકારની ટાસ્ટ ફોર્સના સભ્ય પણ છે.

4 હજાર વર્ષ પહેલાથી જ નારિયેળ તેલનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેનું સેવન કરવામાં આવે અથવા તો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે લોરિક એસિડ રિલીઝ કરે છે. જે મોનોલૌરિન બનાવે છે અને તે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ જેવા રોગકારક જીવોને મારી શકે છે.

‘કોવિડ 19 નારિયેળ તેલ પર સમીક્ષા કરવા માટેનું મુખ્ય કારણ નહોતું. પરંતુ તે હકીકત છે કે, રસોઈમાં નારિયેળ તેલનો વધારે પડતો ઉપયોગ કરનારા કેરળના લોકો કોરોના સામે સારી રીતે લડવામાં સફળ થયા છે’, તેમ ડો.જોશીએ કહ્યું. તેમણે તેમ પણ કહ્યું કે, અમેરિકામાં વર્જિન નારિયેળ તેલનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યો છે.

બધા ડોક્ટરો આ વાતની પુષ્ટિ કરતાં નથી. સરકારી હોસ્પિટલ સાથે જોડાયેલા એક ડોક્ટરે કહ્યું કે, નારિયેળ તેલ કોવિડ 19 જેવા ચેપી રોગો સામે રક્ષણ આપે છે, તે વાત કહેવાનો કોઈ આધારરુપ પુરાવો નથી. ‘તે બધાને જાણ છે કે, તેમાં એન્ટીમાઈક્રોબાયલ ગુણધર્મો છે. આ સિવાય તેમાં ભરપૂર પ્રમાણમાં ઝીંક હોય છે, જે કોરોનાના દર્દીઓની ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે’, તેમ ડોક્ટરે કહ્યું. ‘પરંતુ અમે જાણતા નથી કે, નારિયેળ તેલમાં રહેલા આ કેમિકલ્સને શોષી લેવામાં માનવ શરીર કેટલું સક્ષમ છે’.

દિલ્હીના એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. અનૂપ મિશ્રાએ કહ્યું કે, ‘નારિયેળ તેલ માનવીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરતું હોવાનું સાબિત થાય તો મને ખુશી થશે. પરંતુ વર્તમાનમાં ડેટા એટલો મર્યાદિત છે કે આ બાબતે વધારે કંઈ કહી શકાય નહીં’. તેમણે કહ્યું કે, ફિશ ઓઈલમાં ઈમ્યૂન-મોડ્યુલેટરી ગુણધર્મ હોય છે. ‘પરંતુ કોવિડ 19ના દર્દીઓમાં તેનું ટેસ્ટિંગ કરવાનું બાકી છે’, તેમ તેમણે કહ્યું.

માર્ચ મહિનામાં જ્યારથી ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારથી ભારતીય અથવા વૈકલ્પિક દવાઓના ઉપયોગ વિશે ચર્ચા થઈ રહી છે. ભારતીય આરોગ્ય અધિકારીઓએ ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે હોમિયોપેથી અને આયુર્વેદિકના ઉપયોગને મંજૂરી આપી છે.



source https://www.iamgujarat.com/latest-news/india-news/is-coconut-oil-helpful-in-battle-against-coronavirus-571077/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?