ઘરમાં રોજબરોજ વપરાતી આ વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે કોરોના વાયરસ!

આ વસ્તુમાં છુપાયેલો હોઈ શકે કોરોના

દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેને લઈને સરકાર પણ લોકોને સુરક્ષાના પગલા લેવાની અપીલ કરી રહી છે. આ સિવાય હજુ કોરોનાની રસી પણ શોધાઈ નથી. ત્યારે પૂરતી સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોવિડ 19 સામેની લડાઈની મુખ્ય અને મહત્વની ચાવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કેટલાક કેસમાં તો લક્ષણો પણ નથી દેખાતા

Annals of Internal Medicineના જરનલમાં પબ્લિશ કરાયેલા રિસર્ચ પ્રમાણે, ઘણા કેસો એવા છે. જેનામાં લક્ષણો ન દેખાયા હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોય. જેના કારણે આ વાયરસને અંકુશમાં લાવવો ખરેખર અઘરું કામ છે. સ્ટડીમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકોમાં કોવિડ-19ના લક્ષણો નથી દેખાતા તેઓ 14 દિવસથી વધુ સમય સુધી ચેપગ્રસ્ત રહી શકે છે. આવી વ્યક્તિ અન્ય કેટલાક લોકોમાં વાયરસ ટ્રાન્સમિટ કરી શકે છે.

શું તમે પૂરતી સફાઈ કરો છો?

જાણીને નવાઈ લાગશે કે, તમે રોજબરોજના જીવનમાં જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તેમાં પણ કોરોના વાયરસ ચોંટેલો હોઈ શકે છે. તેથી તમારા ઘરમાં જ રહેલા ‘કોવિડ હોટસ્પોટ’થી સાવચેત રહેવું જરૂરી છે, તમે અથવા તમારા ઘરની વ્યક્તિની તબિયત સારી ન હોય અથવા વાયરસના સંપર્કમાં આવ્યા હોય ત્યારે તો ખાસ. જો તમે ઘરમાં સૌથી વધારે સ્પર્શ થતી સરફેસને ઘસી-ઘસીને સાફ અને સેનિટાઈઝ કરતાં હો તો પણ બની શકે કે તમે અન્ય કન્ટેન્ટમેન્ટ સાઈટને ભૂલી જાઓ.

આ વસ્તુઓમાં હોઈ શકે વાયરસ

જો તમે દરવાજાના આગળીયા, સિન્ક અને ટેબલ જેવી હાઈ-કોન્ટેક્ટ સરફેસને નિયમિત સાફ અને ડિસઈન્ફેક્ટ કરતાં હો તો પણ એક એરિયા એવો છે જેને તમે સાફ કરવાનું ભૂલતા હશો. અમેરિકન સોસાયટી ફોર માઈક્રોબાયોલોજીએ હાથ ધરેલા રિસર્ચ મુજબ, ચીનમાં કોરોનાના કન્ફર્મ દર્દીઓના રૂમમાં ત્રણ જગ્યા સૌથી વધારે ગંદી હતી. જેમાં ચાદર, ઓશિકા અને બેડની કિનારીનો સમાવેશ થાય છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, રૂમને દિવસમાં બેવખત સેનિટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરાતો હતો. પરંતુ આ ત્રણ જગ્યા ગંદી હતી.

આ વાતનું રાખો ધ્યાન

અત્યારના સમયમાં થોડા-થોડા દિવસના અંતરે ચાદર અને ઓશિકા ધોવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ તમારા ઘરે રાત્રિરોકાણ કરીને ગયું હોય ત્યારે. આ સિવાય તમારા પગરખા પણ ઘર બહાર જ રાખવા. તેમજ ચાદરને અઠવાડિયામાં બેવાર અને ઓશિકાને એક-એક દિવસના અંતરે ધોવા. ચાદર અને ઓશિકા કેટલીવાર ધોવા તેવો કોઈ ખાસ નિયમ નથી. પરંતુ મહામારીના સમયમાં વધારે સ્વચ્છતા રાખજો તો વધારે હેલ્ધી રહેશો.



source https://www.iamgujarat.com/health-news/coronavirus-may-be-hiding-in-these-everyday-objects-in-your-household-571428/

Comments

Popular posts from this blog

વાળનો ગ્રોથ વધારવા માટે અઠવાડિયામાં બે વખત લગાવો આ પેસ્ટ, પછી જુઓ કમાલ

ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુ બોલાવી શકે છે કોરોના વાયરસનો ખાતમો

દર મહિને પીરિયડ્સ દરમિયાન કેટલું બ્લડ લૉસ થાય છે?